
Gujaratis kidnapped: ગુજરાતથી દિલ્હી થઈ ઓસ્ટ્રેલિયા જઈ રહેલા ચાર ગુજરાતીઓનું ઈરાનના તહેરાનમાં કરાયું હતુ. ઈરાનમાં એક મહિલા સહિત ત્રણ પુરુષોને બંધક બનાવવામાં આવ્યા હતા. એજન્ટ અને પરિવારને તેમના ત્રાસના વીડિયો મોકલીને લાખો રૂપિયાની ખંડણી માંગી હતી.જોકે ભારત સરકારની મદદ તેઓ પરત દિલ્હી આવી ચૂક્યા છે.તેઓ હવે પોતાના વતન માસા તાલુકાના બાપુપુરા ગામમાં પહોંચશે.
મિડિયા અહેવાલો મુજબ માણસા તાલુકાના બાપુપુરાના 3 અને બદપુરા ગામની એક વ્યક્તિ મળી ચાર ગુજરાતીઓને ઓસ્ટ્રેલિયા જવા દિલ્હી એરપોર્ટ પહોંચ્યા હતા. ત્યાંથી બેંગકોક અને દુબઈ અને પછી તેહરાન લઈ જવામાં આવ્યા હતા. ઈરાન પહોંચ્યા પછી, તેમને ટેક્સીમાં બેસાડીને અજાણ્યા સ્થળે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને બંધક બનાવવામાં આવ્યા હતા. ઈરાનમાં આ બંદીવાન ગુજરાતીઓને ભારે ત્રાસ આપવામાં આવ્યો હતો. અહેવાલો મુજબ બે કથિત વીડિયો ક્લિપ્સ પણ મળી છે, જેમાં બે યુવાનોને નગ્ન કરીને માર મારવામાં આવતાં હોવાનું દેખાઈ છે.
ઈરાનમાં સામે આવેલા ત્રાસના એક વીડિયોમાં બે યુવાનોને હાથ-પગ બાંધીને માર મારવામાં આવી રહ્યા છે. અહેવાલ છે કે આ વીડિયો પીડિતાના એજન્ટ અને તેના પરિવારને ખંડણી માંગવા માટે મોકલવામાં આવ્યો હતો. જેમને માર મારવામાં આવી રહ્યો છે, તેઓ અપહરણકારોની માંગણીઓનું પાલન કરવાની પણ માંગ કરી રહ્યા છે, એમ કહી રહ્યા છે કે તેઓ હવે તે સહન કરી શકતા નથી. આ બે વીડિયો ઉપરાંત અપહરણકારોએ એક દંપતીનો ફોટો પણ ફરતો કર્યો છે જેમાં તેમના હાથ બાંધેલા અને મોં બંધાયેલા હતા. 26 ઓક્ટોબરના રોજ માણસાના ધારાસભ્ય જયંતિ પટેલે કેન્દ્રીય ગૃહમંત્રીને પત્ર લખીને ઈરાનથી અપહરણ કરાયેલા ગુજરાતીઓને સુરક્ષિત પરત લાવવા વિનંતી કરી હતી. ચાર ગુજરાતીઓ 19 ઓક્ટોબરના રોજ અમીરાતની ફ્લાઇટથી દિલ્હી આવી પહોંચ્યા છે અને પોતાના વતન જશે.
તહેરાનમાં કરાયું હતુ અપહરણ
તેહરાન એરપોર્ટ પર ઉતરેલા આ લોકોને હેલી નામની હોટલમાં લઈ જવામાં આવ્યા હતા. એવી પણ અટકળો છે કે બાબા નામના વ્યક્તિએ ઈરાનમાં તેમનું અપહરણ કર્યું હતું. આ વિશે વાત કરતા બાપુપુરા ગામના સરપંચ પ્રકાશ ચૌધરીએ IM ગુજરાતને જણાવ્યું હતું કે અપહરણ કરાયેલા ત્રણ લોકો બાપુપુરાના અને એક બદપુરાના હતા. તેમણે એમ પણ કહ્યું કે તેમને ત્રણ દિવસ પહેલા તેમના અપહરણના સમાચાર મળ્યા હતા. જોકે, આ લોકોને ઓસ્ટ્રેલિયા મોકલનાર એજન્ટ વિશે કોઈ માહિતી મળી નથી. જુલાઈ 2023 માં ડોંકી રૂટ દ્વારા અમેરિકા જતા એક ગુજરાતી દંપતી સાથે આવી જ ઘટના બની હતી. તેમનું ઈરાનમાં પણ અપહરણ કરીને ત્રાસ આપવામાં આવ્યો હતો. તેમના એજન્ટ પાસેથી મોટી રકમની માંગણી કરવામાં આવી હતી. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈરાનમાં બંધક બનાવેલા ચાર માનસાના રહેવાસીઓ ઓસ્ટ્રેલિયા જવા રવાના થઈ ગયા છે, પરંતુ આ વાતની પુષ્ટિ થઈ નથી.
હજુ 6 લોકો ઈરાનમાં ફસાયેલા
4 ગુજરાતીઓને અપહરણકર્તાઓની જાળમાંથી છૂટ્યા બાદ માહિતી મળી રહી છે કે હજુ ત્યા 6 લોકો ફસાયેલા છે. કુલ 13 વ્યક્તિઓ ગેરકાયેદસર રીતે ઓસ્ટ્રેલિયા અને યુરોપ જવા નીકળ્યા હતા. જેમાંથી 4 ગુજરાતીઓને બંધક બનાવાયા હતા બાદમાં તેમને છોડી દેવાયા છે અને તેઓ ગુજરાત પહોંચી પણ ગયા છે. જો કે આ પહેલાં 3 લોકો પાછા આવી ગયા હતા. જ્યારે હજુ 6 લોકો ત્યાં જ ફસાયેલા છે.
આ પણ વાંચો:






