
Dharmendra Death: પીઢ અભિનેતા ધર્મેન્દ્રનું અવસાન થયું છે. તેમના અવસાનના સમાચારથી સમગ્ર ઉદ્યોગમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. ધર્મેન્દ્ર લાંબા સમયથી બીમાર હતા.
બોલીવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું નિધન થયું છે. તેઓ ૮૯ વર્ષના હતા. “હી-મેન” તરીકે જાણીતા આ અભિનેતાના નિધનથી દેશભરમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. ધર્મેન્દ્ર લાંબા સમયથી બીમાર હતા અને થોડા દિવસોથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ હતા. ત્યારબાદ તેમને ઘરે લઈ જવામાં આવ્યા હતા અને ઘરેથી સારવાર લઈ રહ્યા હતા.IANS અનુસાર, ધર્મેન્દ્રનું અવસાન થયું છે,તેમના અંતિમ સંસ્કાર વિલે પાર્લે પવન હંસ સ્મશાનગૃહમાં કરવામાં આવશે જ્યાં પરિવાર પહોંચ્યો છે.
ઉલ્લેખનીય છે કે ધર્મેન્દ્રને ગત.તા.૩૧ ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ નિયમિત તપાસ માટે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. ૧૦ નવેમ્બરના રોજ તેમની તબિયત વધુ ખરાબ થઈ ગઈ હતી ત્યારે તેમના તમામ પરિવારના અને નજીકના સભ્યો હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને તે વખતે ધર્મેન્દ્રના મોતની અફવા ઉડી હતી બાદમાં તેઓને ઘરે લવાયા હતા અને સારવાર ચાલુ હતી જેઓનું નિધન થઈ ગયું છે.ધર્મેન્દ્રનું પૂરું નામ ધર્મેન્દ્ર કેવલ કૃષ્ણ દેઓલ છે. તેમનો જન્મ ૮ ડિસેમ્બર, ૧૯૩૫ ના રોજ પંજાબના નસરાણી ગામમાં થયો હતો.
■ધર્મેન્દ્રની 65 વર્ષની લાંબી ફિલ્મ કારકિર્દી રહી છે
ધર્મેન્દ્રએ 1960 માં ફિલ્મ “દિલ ભી તેરા હમ ભી તેરે” થી અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી.
ત્યારબાદ તે 1961ની ફિલ્મ “બોય ફ્રેન્ડ”માં સહાયક ભૂમિકામાં જોવા મળ્યો હતો. અસંખ્ય હિટ, સુપરહિટ અને બ્લોકબસ્ટર આપીને ધર્મેન્દ્ર 65 વર્ષ સુધી અભિનયમાં સક્રિય રહ્યા. તેણે શોલે (1975), ચુપકે ચુપકે (1975), સીતા ઔર ગીતા (1972), ધરમવીર (1977), ફૂલ ઔર પથ્થર (1966), જુગનુ (1973), અને યાદો કી બારાત (1973) જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે.
2023માં આવેલી ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં તેના પાત્રની ખૂબ ચર્ચા થઈ હતી.
તેણે આ ફિલ્મમાં શબાના આઝમીને ચુંબન કર્યું હતું, જેની ઘણી ચર્ચા થઈ હતી. તેઓ 2024 માં રિલીઝ થયેલી ફિલ્મ “તેરી બાતોં મેં ઐસા ઉલ્સા જિયા” માં પણ દેખાયા હતા.
■ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ
ધર્મેન્દ્ર 89 વર્ષની ઉંમરે પણ સતત કામ કરી રહ્યા હતા. તેમના અવસાન પછી પણ તેમની છેલ્લી ફિલ્મ આ વર્ષે રિલીઝ થશે. તેઓ ફિલ્મ “21” માં જોવા મળશે. આ ફિલ્મમાં તેઓ અગસ્ત્ય નંદાના પિતાની ભૂમિકા ભજવશે. આ ફિલ્મ 25 ડિસેમ્બર, 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
ધર્મેન્દ્રનું અંગત જીવન ધર્મેન્દ્રના અંગત જીવન વિશે વાત કરીએ તો, તેમણે બે વાર લગ્ન કર્યા. તેમના પહેલા લગ્ન પ્રકાશ કૌર સાથે થયા હતા. આ લગ્નથી તેમને ચાર બાળકો છે જેમાં સની દેઓલ, બોબી દેઓલ, વિજેતા દેઓલ અને અજિતા દેઓલ છે
જ્યારે તેમના બીજા લગ્ન અભિનેત્રી હેમા માલિની સાથે થયા હતા.હેમા માલિનીથી તેમને બે પુત્રીઓ એશા દેઓલ અને આહના દેઓલ છે.અત્રે ઉલ્લેખનીય છે કે જન્મદિવસના 14 દિવસ પહેલાં 89 વર્ષીય ધર્મેન્દ્રનું અવસાન થયું છે તેમનો પરિવાર વિલે પાર્લે સ્મશાન ઘાટ પહોંચી ગયો છે જ્યાં મોટી સંખ્યામાં ફિલ્મી સેલિબ્રિટી પણ જોડાયા છે.
આ પણ વાંચો:
Rupee Hits Record Low Against Dollar: ભારતના ઇતિહાસમાં પ્રથમવાર રૂપિયો આટલો નબળો પડયો:મોંઘવારી વધશે






