Shashi Tharoor on MNREGA: ‘મહાત્મા ગાંધીના વારસાનું અપમાન ન કરો!’, મનરેગા નામ બદલવા પર શશિ થરૂરની પ્રતિક્રિયા

  • India
  • December 16, 2025
  • 0 Comments

Shashi Tharoor on MNREGA: તિરુવનંતપુરમના કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) ના નામ બદલવા પર પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે આ વિવાદને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો. થરૂરે કહ્યું કે સરકારના પ્રસ્તાવિત નવા G-RAM-G બિલમાં મનરેગાના નામ બદલવા પરનો વિવાદ દુર્ભાગ્યપૂર્ણ છે.

મનરેગામાંથી મહાત્મા ગાંધીનું નામ દૂર કરવાના મામલે કોંગ્રેસના સાંસદ શશી થરૂરે એક કાંકરે બે પક્ષી માર્યા, એક તરફ, તેમણે કોંગ્રેસ પાર્ટીને પણ અરીસો બતાવ્યો તો બીજી તરફ, તેમણે સરકારને સલાહ પણ આપી. તેમણે કહ્યું કે ગાંધીજી ક્યારેય ગ્રામ સ્વરાજ અને રામ રાજ્યના વિરોધી નહોતા. તેઓ તેમના છેલ્લા શ્વાસમાં “રામ” હતા. યોજનામાંથી તેમનું નામ દૂર કરવું એ તેમના વારસાનું અપમાન છે.

તેમણે કહ્યું કે છેલ્લા 20 વર્ષથી, દરેક વ્યક્તિ આ યોજનાને વિવિધ ભાષાઓમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના તરીકે ઓળખે છે. હવે તેને કેમ બદલવી? તમે યોજનાની શરતો બદલી શકો છો. તે સરકારનો અધિકાર છે, પરંતુ નામ બદલવું જરૂરી નથી.

મનરેગાના નામ બદલવા અંગે કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું, “તેઓ મહાત્મા ગાંધીનું નામ કેમ કાઢી રહ્યા છે? તેમને આ દેશ અને દુનિયાના મહાન નેતા માનવામાં આવે છે. મને આ પાછળનો સરકારનો હેતુ સમજાતો નથી. તેનો ફાયદો શું છે? આવું શા માટે થઈ રહ્યું છે? મને તેનો હેતુ સમજાતો નથી. ગૃહ કાર્યરત નથી. ભલે તેઓ તેની ચર્ચા કરી રહ્યા હોય, પણ મને ખબર નથી કે તેઓ શું ચર્ચા કરી રહ્યા છે.”

■સરકાર એક નવી યોજના, VB-G RAM G રજૂ કરી રહી છે

કેન્દ્ર સરકાર મનરેગાના સ્થાને એક નવી યોજના, VB-G RAM G રજૂ કરી રહી છે. આ યોજના ગ્રામીણ પરિવારોને 100 દિવસની જગ્યાએ 125 દિવસ કામ પૂરું પાડશે. ભંડોળ હવે 90:10 નહીં, પણ 60:40 ફોર્મ્યુલા પર આધારિત હશે. રાજ્યોનો હિસ્સો અને જવાબદારી બંને વધશે. આ નવા બિલનો ઉદ્દેશ્ય ‘વિકસિત ભારત 2047’ ના રાષ્ટ્રીય દ્રષ્ટિકોણને અનુરૂપ ગ્રામીણ વિકાસ માટે એક નવું માળખું બનાવવાનો છે.

આ પણ વાંચો:

Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે!પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!

Padaliya News:બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

Related Posts

Rising Violence in India: પરિસ્થિતિ એવી બની ગઈ છે કે જો સલામત રહેવું હોય તો આ પાંચ વસ્તુઓ ભૂલથી પણ ના કરશો!
  • September 17, 2026

Rising Violence in India: દેશમાં રોજિંદા જીવનમાં નાની-નાની બાબતોને લઈને લોકો વચ્ચે વધતા વિવાદ, ગાળાગાળી, રોડ રેજ અને મારામારી અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે. એક જાહેર ચર્ચામાં મયૂર જાનીએ…

Continue reading
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા
  • September 16, 2026

Manusmriti and BR Ambedkar: 26 નવેમ્બર 1949ના રોજ ભારતનું બંધારણ અપનાવવામાં આવ્યું તેના બે દિવસ પહેલાં સમાજ સુધારક અને કોંગ્રેસ નેતા કેશવરાવ જેધેએ ડૉ. બી.આર. આંબેડકર અને તેમના સાથીઓને બંધારણ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Rising Violence in India: પરિસ્થિતિ એવી બની ગઈ છે કે જો સલામત રહેવું હોય તો આ પાંચ વસ્તુઓ ભૂલથી પણ ના કરશો!

  • September 17, 2026
  • 3 views
Rising Violence in India: પરિસ્થિતિ એવી બની ગઈ છે કે જો સલામત રહેવું હોય તો આ પાંચ વસ્તુઓ ભૂલથી પણ ના કરશો!

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

  • September 16, 2026
  • 3 views
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

  • September 16, 2026
  • 5 views
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

  • September 16, 2026
  • 5 views
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

  • September 16, 2026
  • 11 views
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

  • September 16, 2026
  • 9 views
‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani