ભલે PM મોદી ટ્રમ્પ વિરૂદ્ધ ન બોલ્યા પરંતુ બાબા રામદેવે હિંમત કરી નાંખી

  • India
  • March 11, 2025
  • 0 Comments
  • ભલે PM મોદી ટ્રમ્પ વિરૂદ્ધ ન બોલ્યા પરંતુ બાબા રામદેવે હિંમત કરી નાંખી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર લગાવેલા ટેરિફને લઈને ચારેતરફ ચર્ચા થઈ રહી છે. તો બીજી તરફ ટેરિફ ઘટાડવાને લઈને ભારત સરકારની સંમતિ પણ ચર્ચાનો વિષય બની ગયો છે. આ પહેલા અમેરિકા દ્વારા ભારતીયોને હાથકડી પહેરાવીને ડિપોર્ટ કરવાના મુદ્દે મોદી સરકારના ઈજ્જતના કાંકરા થયા હતા.

તે પછી ડોનાલ્ડ ટ્રમ્પે મોદી સરકારને ધમકાવીને પોતાના દેશ પર લગાવેલા ટેરિફ ઓછા કરાવ્યા છે તો તેના દ્વારા ભારત ઉપર વધારે ટેરિફ લગાવવાની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. આ બાબતે ન તો વિદેશ મંત્રાલય કોઈ નિવેદન આપી રહ્યુ છે ન અત્યાર સુધી પીએમ મોદીએ એક શબ્દનો ઉચ્ચારણ કર્યો છે.

જોકે, આ બધા વચ્ચે દેશના યોગગુરૂ અને પીએમ મોદીના નજીકના ગણાતા બાબા રામદેવે અમેરિકન રાષ્ટ્રપતિને લઈને ટિપ્પણી કરી છે. તેમને ટ્રમ્પના નિર્ણયને આર્થિક આતંકવાદ ગણાવતા ગંભીર આરોપો લગાવ્યા છે. તે ઉપરાંત અમેરિકામાં મંદિરો થયેલી તોડફોડ બાબતે કહ્યું કે, અમેરિકામાં મંદિરો ઉપર થઈ રહેલા ધાર્મિક હુમલાઓ ખુબ જ શરમજનક છે. તે બીજી વસ્તુ છે કે, ભારતમાં લઘુમતી લોકો ઉપર થતાં હુમલાઓ કે તોડી પાડવામાં આવતી મસ્જિદો વિશે ક્યારેય બાબાજીએ શરમ ભરી નથી.

બાબા રામદેવે અમેરિકાને લઈને આપેલા નિવેદન પછી તેમનો એક જૂનું નિવેદન પણ વાયરલ થઈ રહ્યો છે. તે વખતે પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે બધુ સારૂં ચાલી રહ્યું હતું. તે સમય એવો હતો કે, પીએમ મોદી પોતે એક વખત ટ્રમ્પ સરકારની તરફેણમાં નારા લગાવી રહ્યા હતા.

તેથી બાબારામદેવ પોતાના મિત્ર મોદીની વાતને દોહરાવી રહ્યા હતા અને ડોનાલ્ડ ટ્રમ્પના ગુણગાણ ગાઈ રહ્યા હતા. પરંતુ હવે અચાનક સ્થિતિ બદલાઈ ગઈ છે. ટ્રમ્પ પીએમ મોદીને ડરાવી-ધમકાવીને પોતાની વાતો મનાવી રહ્યા હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. આ વચ્ચે બાબા રામદેવ પણ લાલચોળ થઈ ગયા છે. આ ગુસ્સામાં તેમણે ડોનાલ્ડ ટ્રમ્પ સહિત પૂતિન-શી જિંનપિંગ અને કિંગજોંગ વિશે ટિપ્પણી કરી દીધી હતી.

  • Related Posts

    Ayodhya News: બહરાઈચ, બારાબંકી બાદ અયોધ્યામાં પણ દાદા મિયાં ઉર્સ પર પ્રતિબંધ
    • June 16, 2025

    Ayodhya News: ઉત્તર પ્રદેશમાં મુસ્લિમ પરંપરાઓ, રિવાજો અને તેમના ધાર્મિક સ્થળો, મદરેસા અને ઈદગાહોને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. રાજ્યની યોગી સરકારે અત્યાર સુધીમાં ઘણી મસ્જિદો, મદરેસા, ઈદગાહો અને…

    Continue reading
    Earthquake in Peru: પેરુમાં મોડી રાત્રે 6.1 ની તીવ્રતાના આંચકા અનુભવાયા, એકનું મોત, અનેક ઇમારતો ધરાશાયી
    • June 16, 2025

    Earthquake in Peru: ફરી એકવાર પ્રચંડ ભૂકંપના કારણે ધરતી ધ્રુજી ઉઠી છે. મોડી રાત્રે, પેસિફિક મહાસાગરના કિનારે દક્ષિણ અમેરિકન દેશ પેરુમાં એક શક્તિશાળી ભૂકંપ આવ્યો, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો.…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Gujarat Rain Update: આજે ગુજરાતના આ વિસ્તારોમાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

    • June 16, 2025
    • 2 views
    Gujarat Rain Update: આજે ગુજરાતના આ વિસ્તારોમાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

    Ayodhya News: બહરાઈચ, બારાબંકી બાદ અયોધ્યામાં પણ દાદા મિયાં ઉર્સ પર પ્રતિબંધ

    • June 16, 2025
    • 4 views
    Ayodhya News: બહરાઈચ, બારાબંકી બાદ અયોધ્યામાં પણ દાદા મિયાં ઉર્સ પર પ્રતિબંધ

    પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupani ના આજે થશે અંતિમ સંસ્કાર, અત્યાર સુધીમાં આટલા મૃતકોના DNA સેમ્પલ મળ્યા

    • June 16, 2025
    • 5 views
    પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupani ના આજે થશે અંતિમ સંસ્કાર, અત્યાર સુધીમાં આટલા મૃતકોના DNA સેમ્પલ મળ્યા

    Earthquake in Peru: પેરુમાં મોડી રાત્રે 6.1 ની તીવ્રતાના આંચકા અનુભવાયા, એકનું મોત, અનેક ઇમારતો ધરાશાયી

    • June 16, 2025
    • 6 views
    Earthquake in Peru: પેરુમાં મોડી રાત્રે 6.1 ની તીવ્રતાના આંચકા અનુભવાયા,  એકનું મોત, અનેક ઇમારતો ધરાશાયી

    Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

    • June 15, 2025
    • 22 views
    Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

    Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

    • June 15, 2025
    • 22 views
    Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?