ભલે PM મોદી ટ્રમ્પ વિરૂદ્ધ ન બોલ્યા પરંતુ બાબા રામદેવે હિંમત કરી નાંખી

  • India
  • March 11, 2025
  • 0 Comments
  • ભલે PM મોદી ટ્રમ્પ વિરૂદ્ધ ન બોલ્યા પરંતુ બાબા રામદેવે હિંમત કરી નાંખી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર લગાવેલા ટેરિફને લઈને ચારેતરફ ચર્ચા થઈ રહી છે. તો બીજી તરફ ટેરિફ ઘટાડવાને લઈને ભારત સરકારની સંમતિ પણ ચર્ચાનો વિષય બની ગયો છે. આ પહેલા અમેરિકા દ્વારા ભારતીયોને હાથકડી પહેરાવીને ડિપોર્ટ કરવાના મુદ્દે મોદી સરકારના ઈજ્જતના કાંકરા થયા હતા.

તે પછી ડોનાલ્ડ ટ્રમ્પે મોદી સરકારને ધમકાવીને પોતાના દેશ પર લગાવેલા ટેરિફ ઓછા કરાવ્યા છે તો તેના દ્વારા ભારત ઉપર વધારે ટેરિફ લગાવવાની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. આ બાબતે ન તો વિદેશ મંત્રાલય કોઈ નિવેદન આપી રહ્યુ છે ન અત્યાર સુધી પીએમ મોદીએ એક શબ્દનો ઉચ્ચારણ કર્યો છે.

જોકે, આ બધા વચ્ચે દેશના યોગગુરૂ અને પીએમ મોદીના નજીકના ગણાતા બાબા રામદેવે અમેરિકન રાષ્ટ્રપતિને લઈને ટિપ્પણી કરી છે. તેમને ટ્રમ્પના નિર્ણયને આર્થિક આતંકવાદ ગણાવતા ગંભીર આરોપો લગાવ્યા છે. તે ઉપરાંત અમેરિકામાં મંદિરો થયેલી તોડફોડ બાબતે કહ્યું કે, અમેરિકામાં મંદિરો ઉપર થઈ રહેલા ધાર્મિક હુમલાઓ ખુબ જ શરમજનક છે. તે બીજી વસ્તુ છે કે, ભારતમાં લઘુમતી લોકો ઉપર થતાં હુમલાઓ કે તોડી પાડવામાં આવતી મસ્જિદો વિશે ક્યારેય બાબાજીએ શરમ ભરી નથી.

બાબા રામદેવે અમેરિકાને લઈને આપેલા નિવેદન પછી તેમનો એક જૂનું નિવેદન પણ વાયરલ થઈ રહ્યો છે. તે વખતે પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે બધુ સારૂં ચાલી રહ્યું હતું. તે સમય એવો હતો કે, પીએમ મોદી પોતે એક વખત ટ્રમ્પ સરકારની તરફેણમાં નારા લગાવી રહ્યા હતા.

તેથી બાબારામદેવ પોતાના મિત્ર મોદીની વાતને દોહરાવી રહ્યા હતા અને ડોનાલ્ડ ટ્રમ્પના ગુણગાણ ગાઈ રહ્યા હતા. પરંતુ હવે અચાનક સ્થિતિ બદલાઈ ગઈ છે. ટ્રમ્પ પીએમ મોદીને ડરાવી-ધમકાવીને પોતાની વાતો મનાવી રહ્યા હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. આ વચ્ચે બાબા રામદેવ પણ લાલચોળ થઈ ગયા છે. આ ગુસ્સામાં તેમણે ડોનાલ્ડ ટ્રમ્પ સહિત પૂતિન-શી જિંનપિંગ અને કિંગજોંગ વિશે ટિપ્પણી કરી દીધી હતી.

  • Related Posts

    Delhi AQI: દિલ્હીના ભયાનક પ્રદૂષણથી UK, કેનેડા, સિંગાપોરના લોકોને દિલ્હી પ્રવાસ ટાળવા અપીલ, 200થી વધુ ફ્લાઈટ રદ
    • December 16, 2025

    Delhi AQI: દિલ્હીમાં કેટલાય સમયથી AQI સતત 400થી 450ને પાર રહ્યું છે જે હવે નીચે જતું નથી અને કેટલાય સમયથી સ્થાનિક તબીબો બાળકો અને વૃધ્ધો માટે દિલ્હી રહેવા લાયક નહિ…

    Continue reading
    Shashi Tharoor on MNREGA: ‘મહાત્મા ગાંધીના વારસાનું અપમાન ન કરો!’, મનરેગા નામ બદલવા પર શશિ થરૂરની પ્રતિક્રિયા
    • December 16, 2025

    Shashi Tharoor on MNREGA: તિરુવનંતપુરમના કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) ના નામ બદલવા પર પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે આ વિવાદને દુર્ભાગ્યપૂર્ણ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Delhi AQI: દિલ્હીના ભયાનક પ્રદૂષણથી UK, કેનેડા, સિંગાપોરના લોકોને દિલ્હી પ્રવાસ ટાળવા અપીલ, 200થી વધુ ફ્લાઈટ રદ

    • December 16, 2025
    • 3 views
    Delhi AQI: દિલ્હીના ભયાનક પ્રદૂષણથી UK, કેનેડા, સિંગાપોરના લોકોને દિલ્હી પ્રવાસ ટાળવા અપીલ, 200થી વધુ ફ્લાઈટ રદ

    Shashi Tharoor on MNREGA: ‘મહાત્મા ગાંધીના વારસાનું અપમાન ન કરો!’, મનરેગા નામ બદલવા પર શશિ થરૂરની પ્રતિક્રિયા

    • December 16, 2025
    • 4 views
    Shashi Tharoor on MNREGA: ‘મહાત્મા ગાંધીના વારસાનું અપમાન ન કરો!’, મનરેગા નામ બદલવા પર શશિ થરૂરની પ્રતિક્રિયા

    Mexico Plane Crash: મેક્સિકોમાં ખાનગી જેટ ઇમારત સાથે અથડાયું, 7 લોકોના મોત, આકાશ ધુમાડાથી ભરાઈ ગયુ

    • December 16, 2025
    • 5 views
    Mexico Plane Crash:  મેક્સિકોમાં ખાનગી જેટ ઇમારત સાથે અથડાયું, 7 લોકોના મોત, આકાશ ધુમાડાથી ભરાઈ ગયુ

    Rana Balachoria Murder: મોહાલીમાં કબડ્ડી ખેલાડીની હત્યા! બંબીહા ગેંગે કહ્યુ,’સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો અમે બદલો લીધો!’

    • December 16, 2025
    • 7 views
    Rana Balachoria Murder: મોહાલીમાં કબડ્ડી ખેલાડીની  હત્યા! બંબીહા ગેંગે કહ્યુ,’સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો અમે બદલો  લીધો!’

    Gujarat Politics: ગુજરાત ભાજપના CM સહિત ત્રણ નેતા અચાનક સરકારી વિમાનમાં દિલ્હી કેમ પહોંચ્યા? PM સાથે સાથે શુ ચર્ચા થઈ?

    • December 16, 2025
    • 12 views
    Gujarat Politics: ગુજરાત ભાજપના CM સહિત ત્રણ નેતા અચાનક સરકારી વિમાનમાં  દિલ્હી કેમ પહોંચ્યા? PM સાથે સાથે શુ ચર્ચા થઈ?

    BJP Government: ચોર-લૂંટારાઓ અને અંધ ભક્તોની ભક્તિ વચ્ચે પીસતી જનતાની વ્યથા ! જુઓ સિનીયર પત્રકાર મેહુલભાઇ વ્યાસ શુ કહે છે!

    • December 15, 2025
    • 8 views
    BJP Government: ચોર-લૂંટારાઓ અને અંધ ભક્તોની ભક્તિ વચ્ચે પીસતી જનતાની વ્યથા ! જુઓ સિનીયર પત્રકાર મેહુલભાઇ વ્યાસ શુ કહે છે!