Govardhan Asrani passes away: દિવાળીની છેલ્લી શુભેચ્છા પાઠવ્યા બાદ અભિનેતા ગોવર્ધન અસરાનીએ અંતિમ શ્વાસ લીધા

  • Gujarat
  • October 21, 2025
  • 0 Comments

 Govardhan Asrani passes away: હિન્દી સિનેમાના પીઢ અભિનેતા ગોવર્ધન અસરાનીનું દિવાળીના દિવસે 84 વર્ષની ઉંમરે નિધન થયું છે.આજ દિવસે અસરાનીએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી છેલ્લી દિવાળીની અંતિમ શુભેચ્છાઓ પાઠવી હતી.ફિલ્મ અભિનેતા અસરાનીના નિધન અંગેની માહિતી તેમના ભત્રીજા અશોક અસરાનીએ આપી હતી.

એક સમય હતો જ્યારે તેઓ કોમેડી ભૂમિકાઓનો પર્યાય બની ગયા હતા.1975માં આવેલી સુપર હિટ ફિલ્મ “શોલે”ના જાણીતા ડાયલોગ “હમ અંગ્રેજોકે જમાને કે જેલર હૈ” થી ફિલ્મમાં તેઓની જેલરની ભૂમિકાની ખૂબ પ્રશંસા થઈ હતી અને લોકપ્રિયતા હાંસલ કરી હતી.

હાસ્યમાં અસરાનીનું યોગદાન અમૂલ્ય રહ્યું છે.તેઓ મૂળ જયપુરના હતા અને જયપુરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો.આજ દિવસે અસરાનીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી દિવાળીની શુભેચ્છાઓ પોસ્ટ કરવામાં આવી હતી.

એક જાણીતા હિંદી તથા ગુજરાતી ચલચિત્ર અભિનેતા અસરાનીનું ખરું નામ ગોવર્ધન અસરાની છે,તેમનો જન્મ ૧ જાન્યુઆરી ૧૯૪૧ના રોજ થયો હતો તેમના પત્ની પણ એક અભિનેત્રી છે જેનું નામ મંજુ બંસલ છે.એમના પુત્રનું નામ નવીન અસરાની છે જે અમદાવાદમાં દંતચિકિત્સક તરીકે સેવા આપે છે.

અસરાનીએ મુખ્ય નાયક તરીકે, હાસ્ય કલાકાર તરીકે, સહાયક અભિનેતા તથા ચરિત્ર અભિનેતા તરીકે ઘણાં ગુજરાતી તથા હિંદી ચલચિત્રોમાં અભિનય કર્યો હતો. ૨૦ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ દીવાળીના દિવસે ૮૪ વર્ષની વયે મુંબઈની સાયન હોસ્પિટલમાં અવસાન થયું છે.લગભગ પાંચ દાયકાની કારકિર્દીમાં અસરાનીએ 350 થી વધુ ફિલ્મોમાં અભિનય આપ્યો હતો.”શોલે”, “બાવર્ચી”, “મેરે અપને” અને “અભિમાન” સહિત અનેક સુપરહિટ ફિલ્મોમાં પોતાના અભિનયથી દર્શકોને પ્રભાવિત કર્યા હતા.

અસરાની છેલ્લા કેટલાક સમયથી ઉંમરના કારણે બીમાર હતા.મૃત્યુના થોડા કલાકો પહેલા જ તેમણે સોશિયલ મીડિયા પર દિવાળીની શુભેચ્છાઓ પણ શેર કરી હતી.
તેમના નિધનના સમાચારથી સમગ્ર ફિલ્મ ઉદ્યોગમાં શોકની લાગણી પ્રસરી હતી.તેઓના અંતિમ સંસ્કાર મુંબઈના સાંતાક્રુઝ સ્મશાનગૃહમાં તેમના પરિવારજનોની હાજરીમાં કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:

US-Ukraine: ‘જો પુતિન ઈચ્છે તો તે યુક્રેનનો નાશ કરી દેશે’, ટ્રમ્પનું મગજ ગયું!, વ્હાઇટ હાઉસમાં ઝેલેન્સકીને ઝાટક્યા!

ટ્રમ્પ ઝેલેન્સકી પછી બીજા નેતા સાથે બાખડ્યા, આ વખતે મળ્યો જવાબ! | Donald Trump

Rajkot: કાળી ચૌદશે રાજકોટમાં ખેલાયો ખૂની ખેલ, બે સગા ભાઈ સહિત 3 લોકો ગુમાવ્યા જીવ

  • Related Posts

    Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ
    • October 29, 2025

    Bhavnagar News: ભાવનગર મહાનગરપાલિકાનાં વર્તમાન શાસકોની લાપરવાહી અને તંત્રની બેદરકારીના કારણે બોરતળાવ ની કૈલાશ બાલવાટીકાની સ્થિતિ દિવસેને દિવસે બદતર થતી જતી હોય છે. કરોડો રૂપિયાનો ખર્ચ છતાં કમોસમી વરસાદે નબળી…

    Continue reading
    Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ
    • October 29, 2025

    Bhavnagar: ભાવનગર શહેરનાં મધ્યમાં આવેલ ગંગાજળીયા તળાવ વિસ્તારની જૂની અને મોટી શાકમાર્કેટ અતિ જર્જરિત હાલતમાં થઈ ગઈ છે. વર્ષો જૂની આ માર્કેટમાં અનેક જગ્યાએ સ્લેબમાંથી ગાબડાં પડી રહ્યા છે, જેના…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

    • October 29, 2025
    • 3 views
    Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

    Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

    • October 29, 2025
    • 13 views
    Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

    3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

    • October 29, 2025
    • 17 views
    3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

    Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

    • October 29, 2025
    • 19 views
    Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

    Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

    • October 29, 2025
    • 19 views
    Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

    Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

    • October 29, 2025
    • 13 views
    Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં