Govardhan Asrani passes away: દિવાળીની છેલ્લી શુભેચ્છા પાઠવ્યા બાદ અભિનેતા ગોવર્ધન અસરાનીએ અંતિમ શ્વાસ લીધા

  • Gujarat
  • October 21, 2025
  • 0 Comments

 Govardhan Asrani passes away: હિન્દી સિનેમાના પીઢ અભિનેતા ગોવર્ધન અસરાનીનું દિવાળીના દિવસે 84 વર્ષની ઉંમરે નિધન થયું છે.આજ દિવસે અસરાનીએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી છેલ્લી દિવાળીની અંતિમ શુભેચ્છાઓ પાઠવી હતી.ફિલ્મ અભિનેતા અસરાનીના નિધન અંગેની માહિતી તેમના ભત્રીજા અશોક અસરાનીએ આપી હતી.

એક સમય હતો જ્યારે તેઓ કોમેડી ભૂમિકાઓનો પર્યાય બની ગયા હતા.1975માં આવેલી સુપર હિટ ફિલ્મ “શોલે”ના જાણીતા ડાયલોગ “હમ અંગ્રેજોકે જમાને કે જેલર હૈ” થી ફિલ્મમાં તેઓની જેલરની ભૂમિકાની ખૂબ પ્રશંસા થઈ હતી અને લોકપ્રિયતા હાંસલ કરી હતી.

હાસ્યમાં અસરાનીનું યોગદાન અમૂલ્ય રહ્યું છે.તેઓ મૂળ જયપુરના હતા અને જયપુરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો.આજ દિવસે અસરાનીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી દિવાળીની શુભેચ્છાઓ પોસ્ટ કરવામાં આવી હતી.

એક જાણીતા હિંદી તથા ગુજરાતી ચલચિત્ર અભિનેતા અસરાનીનું ખરું નામ ગોવર્ધન અસરાની છે,તેમનો જન્મ ૧ જાન્યુઆરી ૧૯૪૧ના રોજ થયો હતો તેમના પત્ની પણ એક અભિનેત્રી છે જેનું નામ મંજુ બંસલ છે.એમના પુત્રનું નામ નવીન અસરાની છે જે અમદાવાદમાં દંતચિકિત્સક તરીકે સેવા આપે છે.

અસરાનીએ મુખ્ય નાયક તરીકે, હાસ્ય કલાકાર તરીકે, સહાયક અભિનેતા તથા ચરિત્ર અભિનેતા તરીકે ઘણાં ગુજરાતી તથા હિંદી ચલચિત્રોમાં અભિનય કર્યો હતો. ૨૦ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ દીવાળીના દિવસે ૮૪ વર્ષની વયે મુંબઈની સાયન હોસ્પિટલમાં અવસાન થયું છે.લગભગ પાંચ દાયકાની કારકિર્દીમાં અસરાનીએ 350 થી વધુ ફિલ્મોમાં અભિનય આપ્યો હતો.”શોલે”, “બાવર્ચી”, “મેરે અપને” અને “અભિમાન” સહિત અનેક સુપરહિટ ફિલ્મોમાં પોતાના અભિનયથી દર્શકોને પ્રભાવિત કર્યા હતા.

અસરાની છેલ્લા કેટલાક સમયથી ઉંમરના કારણે બીમાર હતા.મૃત્યુના થોડા કલાકો પહેલા જ તેમણે સોશિયલ મીડિયા પર દિવાળીની શુભેચ્છાઓ પણ શેર કરી હતી.
તેમના નિધનના સમાચારથી સમગ્ર ફિલ્મ ઉદ્યોગમાં શોકની લાગણી પ્રસરી હતી.તેઓના અંતિમ સંસ્કાર મુંબઈના સાંતાક્રુઝ સ્મશાનગૃહમાં તેમના પરિવારજનોની હાજરીમાં કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:

US-Ukraine: ‘જો પુતિન ઈચ્છે તો તે યુક્રેનનો નાશ કરી દેશે’, ટ્રમ્પનું મગજ ગયું!, વ્હાઇટ હાઉસમાં ઝેલેન્સકીને ઝાટક્યા!

ટ્રમ્પ ઝેલેન્સકી પછી બીજા નેતા સાથે બાખડ્યા, આ વખતે મળ્યો જવાબ! | Donald Trump

Rajkot: કાળી ચૌદશે રાજકોટમાં ખેલાયો ખૂની ખેલ, બે સગા ભાઈ સહિત 3 લોકો ગુમાવ્યા જીવ

  • Related Posts

    Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
    • March 19, 2026

    Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

    Continue reading
    Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
    • March 19, 2026

    ■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

    • March 19, 2026
    • 3 views
    Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

    Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

    • March 19, 2026
    • 7 views
    Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

    MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે PM મોદીને સવાલ!!

    • March 19, 2026
    • 15 views
    MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે  PM મોદીને સવાલ!!

    America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

    • March 19, 2026
    • 4 views
    America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

    PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

    • March 19, 2026
    • 12 views
    PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

    Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!

    • March 19, 2026
    • 10 views
    Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને  કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!