રાજકોટના માલિયાસણ નજીક ગમખ્વાર અકસ્માત; ઘટના સ્થળે જ પાંચ લોકોના મોત

  • Gujarat
  • February 25, 2025
  • 0 Comments
  • રાજકોટના માલિયાસણ નજીક ગમખ્વાર અકસ્માત; ઘટના સ્થળે જ પાંચ લોકોના મોત

રાજકોટના માલિયાસણ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ટ્રક અને રિક્ષા વચ્ચે થયેલા અકસ્માતમાં પાંચ લોકોના મોત નિપજ્યા છે. ઘટનાની જાણ થતાં જ પાંચ એમ્બ્યુલન્સ અને પોલીસનો કાફલો ત્યાં દોડી આવ્યો છે. અકસ્માત એટલો ગંભીર છે કે, ટ્રકની અડફેટે ચડતા રિક્ષાના ફૂરચે-ફૂરચા ઉડી ગયા હતા. અકસ્માત થતાં જ ઘટના સ્થળે લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા છે.

અકસ્માત અંગે મળતી વિગતો મુજબ, ઘટનામાં પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે, જ્યારે બે લોકો રિક્ષાની અંદર ફસાઈ ગયા છે. હાલ બંને લોકોને બચાવવા માટે બચાવની કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત માલીયાસણ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો અકસ્માતમાં ભોગ બનેલાઓની મદદે આવ્યા છે.

આ પહેલા મોડી રાત્રે દ્વારકા-પોરબંદર રોડ પર અકસ્માત થયો હતો. કર્ણાટકથી શ્રદ્ધાળુઓ ભરીને ઉપડેલી બસ સોમવારે મોડી રાત્રે પોરબંદર-દ્વારકા હાઇવે પર કુછડી ગામ નજીક ટ્રક સાથે ધડાકાભેર અથડાઇ હતી. આ અકસ્માતમાં બે શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે 7 જેટલા લોકોને ઇજા પહોંચી હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

આ પહેલા દાદરા નગર હવેલીમાં એસ.ટી. બસે સર્જેલા અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા. સેલવાસથી વાપી તરફ જઈ રહેલી આ બસના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ રોંગ સાઇડમાં ઘૂસી ગઈ હતી. આ દરમિયાન સામેથી મોપેડ પર આવતાં બે લોકોને બસે અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. આ ગોજારા અકસ્માતમાં લવાસાના બે યુવકોનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતાં.

આ પણ વાંચો- આઉટસોર્સિંગ-કોન્ટ્રાક્ટ પ્રથાને નામે રાજ્યના યુવાનોનું શોષણ: અમિત ચાવડા

Related Posts

Gujarat Rain Update: આજે ગુજરાતના આ વિસ્તારોમાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
  • June 16, 2025

Gujarat Rain Update: રાજ્યમાં બે દિવસની વરસાદી માહોલ જામ્યો છે. કેટલાક વિસ્તારોમાં મેઘરાજા ધડબટાડી બોલાવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં આજે પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે, જેમાં કેટલાક વિસ્તારોમાં…

Continue reading
પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupani ના આજે થશે અંતિમ સંસ્કાર, અત્યાર સુધીમાં આટલા મૃતકોના DNA સેમ્પલ મળ્યા
  • June 16, 2025

Vijay Rupani : અમદાવાદમાં વિમાન દુર્ઘટના પછી, મૃતદેહોની ઓળખ માટે એકત્રિત કરાયેલા સંબંધીઓના ડીએનએ નમૂનાઓ સાથે 90 મૃતદેહોના ડીએનએ નમૂનાઓ મેચ થયા છે, જેમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નામ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat Rain Update: આજે ગુજરાતના આ વિસ્તારોમાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

  • June 16, 2025
  • 2 views
Gujarat Rain Update: આજે ગુજરાતના આ વિસ્તારોમાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Ayodhya News: બહરાઈચ, બારાબંકી બાદ અયોધ્યામાં પણ દાદા મિયાં ઉર્સ પર પ્રતિબંધ

  • June 16, 2025
  • 4 views
Ayodhya News: બહરાઈચ, બારાબંકી બાદ અયોધ્યામાં પણ દાદા મિયાં ઉર્સ પર પ્રતિબંધ

પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupani ના આજે થશે અંતિમ સંસ્કાર, અત્યાર સુધીમાં આટલા મૃતકોના DNA સેમ્પલ મળ્યા

  • June 16, 2025
  • 5 views
પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupani ના આજે થશે અંતિમ સંસ્કાર, અત્યાર સુધીમાં આટલા મૃતકોના DNA સેમ્પલ મળ્યા

Earthquake in Peru: પેરુમાં મોડી રાત્રે 6.1 ની તીવ્રતાના આંચકા અનુભવાયા, એકનું મોત, અનેક ઇમારતો ધરાશાયી

  • June 16, 2025
  • 6 views
Earthquake in Peru: પેરુમાં મોડી રાત્રે 6.1 ની તીવ્રતાના આંચકા અનુભવાયા,  એકનું મોત, અનેક ઇમારતો ધરાશાયી

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

  • June 15, 2025
  • 22 views
Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

  • June 15, 2025
  • 22 views
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?