
- વસ્ત્રાલમાં સામાન્ય જનતાને માર મારવાનો દંડ; આરોપીઓના ઘર પર બૂલડોઝરથી કાર્યવાહી
અમદાવાદ વસ્ત્રાલમાં જાહેરમાં ગુંડાગર્દી કરનારાઓ સામે સરકારે કડક પગલાં ભરવાના શરૂ કરી દીધા છે. પહેલા તો સામાન્ય લોકોને ઈજા કરનારા અને તોડફોડ કરનારાઓને પોલીસે ગણતરીની કલાકોમાં જ પકડી પાડીને કાયદાનો ભાન કરાવ્યો હતો. હવે એક તરફ તેમના ગેરકાયદેસર ઘરને તોડવાની કાર્યવાહી કરવાની સાથે-સાથે આરોપીઓની પણ સર્વિસ કરવામાં આવી રહી છે.
હવે સરકારે એક પગલું આગળ વધીને અસામાજિત તત્વોના ઘર ઉપર બુલડોઝર ફેરવવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. વસ્ત્રાલની શાશ્વત સોસાયટી નજીકના વિસ્તારમાં ગુરૂવારે મોડી રાતે લાકડી-દંડા અને તલવાર જેવા તીક્ષ્ણ હથિયારો વડે આતંક મચાવનાર 9 અસામાજિક તત્ત્વોને રામોલ પોલીસે પકડી પાડ્યા હતા.
શુક્રવારે જાહેરમાં મેથીપાક પણ ચખાડવામાં આવ્યો હતો. તો હવે આ ઘટનાના 24 કલાકમાં સરકારે તમામ આરોપીઓના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવવાનો નિર્ણય લીધો હતો. AMC અધિકારીઓ, પોલીસ કમિશ્નર સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે.
અમદાવાદના વસ્ત્રાલમાં આતંક મચાવનારાઓના ઘર તૂટવાના શરૂ!
ગણતરીની કલાકોમાં આરોપીઓને પકડી પહેલા તો સર્વિસ થઈ, સર્વિસ બાદ હવે માત્ર 24 કલાકમાં જ તેઓના ઘર તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
અમદાવાદ પોલીસ કમિશ્નર સહિત મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ આરોપીઓના ઘરે પહોંચ્યા છે. બુલડોઝર… https://t.co/pE0c5bfHOs pic.twitter.com/xUA5caDdvi
— Sagar Patoliya (@kathiyawadiii) March 15, 2025
આ ઘટનાના આરોપીઓની ગેરકાયદેસર મિલકત પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. ઘટનાના આરોપી રાજવીર સિંહ બિહોલાના ઘરે તંત્ર પોલીસ કાફલા સાથે પહોંચી ગયું હતું. બુલડોઝર ફેરવતાં પહેલાં ઘરમાંથી સામાન બહાર કાઢવામાં આવ્યો હતો.
એકબાજુ આરોપીઓના ઘર તૂટી રહ્યા છે ત્યારે એ જ જગ્યાએ આરોપીને લઈ જઈને પર્સનલ સર્વિસ કરતી @AhmedabadPolice #Ahmedabad #Gujarat https://t.co/1iMZuwTybN pic.twitter.com/xQAcuSaDXd
— Sagar Patoliya (@kathiyawadiii) March 15, 2025
તે ઉપરાંત ખોખરાના ભગવાનદાસની ચાલીમાં શ્યામ કામલેના મકાન હથોડા વડે મકાન તોડી પાડવામાં આવ્યું છે. જ્યારે અલ્કેશ યાદવના ઘરે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીઓનું મનોબળ તોડવા માટે થોડીવારમાં તેમને ઘટનાસ્થળે લાવવામાં આવ્યા હતા અને ઉઠક-બેઠક કરાવવામાં આવી હતી.