
Gandhinagar: હાલમાં વરસાદી માહોલમાં અનેક વિસ્તારોમાંથી જર્જરીત ઈમારત તૂટી પડવી, વૃક્ષો ધરાશાઈ થવા નિર્માણધીન સાઇટ પર દિવાલ અને માટી ધસી પડવા સહિતની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે આજે ગાંધીનગરમાં નિર્માણાધીન બિલ્ડિંગની દીવાલ ધરાશાયી દુખદ ઘટના સામે આવી છે. આજે ગાંધીનગરના કોબા સર્કલ નજીક કમલમ પાસે નિર્માણાધીન બિલ્ડિંગની દીવાલ ધરાશાયી થઇ હતી.
કોબા કમલમ નજીક નિર્માણધીન દીવાલ ધરાશાયી થતા 3 શ્રમિકો દટાયા
મળતી માહિતી મુજબ ગાંધીનગરમાં કમલમ પાસે શ્રીજી એરીશ નામની નિર્માણાધીન બિલ્ડિંગની દીવાલ ધરાશાયી થઈ હતી. આ ઘટનામાં ત્રણ શ્રમિકો દટાયા હતા જેમાથી એક શ્રમિકનું મોત નીપજ્યું હોવાની માહિતી સામે આવી છે. આ ઘટનામાં જેમનું મોત થયું છે તેમનું નામ અજય પરમાર છે તે ડુંગરપુર રાજસ્થાનનો રહેવાશી છે તેમજ આ ઘટનામાં નટવર ડામોર અને ચિરાગ ડામોર નામના વ્યક્તિને ઈજા પહોંચી છે. આ બંને પણ રાજસ્થાનના ડુંગરપુરના જ વતની છે.
આ મામલે સુપરવાઈઝર ચંદ્રેશના જણાવ્યા મુજબ સેફ્ટીનેટ બાંધતી વખતે ત્રણ લોકો કામ કરતા હતા. તે દરમિયાન આ ઘટના બની હતી. આ ત્રણમાંથી બે લોકોને બતાવી લેવામાં આવ્યા છે જ્યારે એક મજુરનું મોત થયું છે.
આ પણ વાંચો:
Bulandshahr Accident: બુલંદશહેરમાં ભયાનક અકસ્માત, કારમાં આગ લાગતા એક જ પરિવારના 5 લોકો જીવતા ભળથું
Ahmedabad Plane Crash: ભારતમાં થયેલા અકસ્માતની તપાસ માટે વિદેશી એજન્સીઓ કેમ આવી?
Gujarat Weather Update: ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી
ટિકટોક સ્ટાર Kirti Patel ની અમદાવાદથી ધરપકડ, 2 કરોડની ખંડણી કેસમાં હતી ફરાર
Visavadar by-elections: વિસાવદરમાં રાજકારણ ચરમસીમાએ, દારુ, પૈસા સાથે ગંદી રાજનીતિનો કોણ ખેલે છે ખેલ?
Ahmedabad Plane Crash: 177 DNA સેમ્પલ થયા મેચ, 133 મૃતદેહ પરિવારજનોને સોંપાયા