NTDNT: ગુજરાત સરકાર વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ આપવામાં કેમ આડી ફાટી?, 15 ઓગસ્ટ પહેલા શરુ કરો નહીં તો…

આ નિર્ણયના કારણે ઘણા ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારોના વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્ય પર સીધી અસર પડી છે, કારણ કે તેમના એડમિશનની પ્રક્રિયા અટકી ગઈ છે. આ મુદ્દે આમ આદમી પાર્ટી (AAP) ના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા છે અને 15 ઓગસ્ટ, 2025 પહેલાં આ નિર્ણય રદ કરવાની માંગ કરી છે. નહીં તો, તેઓએ વિદ્યાર્થીઓને સાથે રાખીને આંદોલન કરવાની ચીમકી આપી છે.

સ્કોલરશીપ બંધ થવાની અસર

વિચરતી અને વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ એ એક આશાનું કિરણ છે, જે તેમને ગરીબીના ચક્રમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે. આ વિદ્યાર્થીઓના પરિવારોની આર્થિક સ્થિતિ નબળી હોવાથી, તેઓ સ્કોલરશીપ પર નિર્ભર રહે છે. આ શિષ્યવૃત્તિની મદદથી તેઓ ઉચ્ચ શિક્ષણ મેળવીને પોતાનું અને પરિવારનું જીવન સુધારી શકે છે. જોકે, રાજ્ય સરકારે ડિપ્લોમા અભ્યાસક્રમો માટેની આ સ્કોલરશીપ બંધ કરવાનો ઠરાવ કર્યો છે, જેના કારણે ઘણા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ચિંતામાં મૂકાયા છે.

ઈસુદાન ગઢવીએ એક વીડિયોમાં જણાવ્યું હતું કે, “રાજ્ય સરકારનો આ નિર્ણય ગરીબ વિદ્યાર્થીઓના શિક્ષણના અધિકાર પર સીધો હુમલો છે. જ્યારે એડમિશનની પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ ચૂકી છે, ત્યારે આવો નિર્ણય લઈને સરકારે પોતાની નિષ્ફળતા અને બુદ્ધિનું દિવાળું કાઢ્યું છે.” તેમણે વધુમાં કહ્યું કે, UG અને PG અભ્યાસક્રમોમાં વિચરતી-વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવે છે, પરંતુ ડિપ્લોમા અભ્યાસક્રમો માટે આવી સુવિધા બંધ કરવી એ અન્યાય છે.

સરકારની નિષ્ફળતા કે નીતિગત ફેરફાર?

આ નિર્ણયના સત્તાવાર કારણો અંગે હજુ સુધી સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ નથી. ઉપલબ્ધ માહિતી અનુસાર, આદિજાતિ વિદ્યાર્થીઓની પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ સંદર્ભે આદિજાતિ વિભાગે 2022ની કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાનો હવાલો આપીને જણાવ્યું હતું કે મેનેજમેન્ટ ક્વોટાની બેઠકો માટે શિષ્યવૃત્તિ બંધ કરાઈ છે. જોકે, વિચરતી અને વિમુક્ત જાતિના ડિપ્લોમા વિદ્યાર્થીઓ માટેના આ નિર્ણયનો ચોક્કસ ઠરાવ કે તેની પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. આ બાબતે સરકાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન પણ જાહેર કરવામાં આવ્યું નથી.

આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ આ મુદ્દે સરકારની નિષ્ક્રિયતા અને નબળા વહીવટને જવાબદાર ગણાવ્યા છે. તેમણે કહ્યું, “આવા નિર્ણયો ગરીબ અને વંચિત વર્ગના વિદ્યાર્થીઓના શિક્ષણના મૂળભૂત અધિકારોનું હનન કરે છે. આ વિદ્યાર્થીઓ ક્યાં જશે? સરકારે આ નિર્ણય લેતા પહેલાં વિદ્યાર્થીઓના ભવિષ્ય વિશે એકવાર પણ વિચાર્યું નથી.”

આંદોલનની ચીમકી અને માંગ

ઈસુદાન ગઢવીએ રાજ્ય સરકારને ચેતવણી આપતાં જણાવ્યું કે, “જો 15 ઓગસ્ટ, 2025 સુધીમાં સરકારે આ ઠરાવ રદ કરીને ડિપ્લોમાના વિચરતી-વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ ફરી શરૂ નહીં કરે, તો આમ આદમી પાર્ટી આ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોને સાથે લઈને રસ્તા પર ઉતરશે અને આંદોલન કરશે.” તેમણે સરકારને આ નિર્ણય પર પુનર્વિચાર કરવા અને વિદ્યાર્થીઓના હિતમાં તાત્કાલિક પગલાં લેવાની અપીલ કરી છે.

વિચરતી અને વિમુક્ત જાતિ

વિચરતી જાતિએ સતત ભટકીને જીવન ગુજરાતી પ્રજા છે. જ્યારે વિમુક્ત જાતિ સામે આઝાદી કાળ પછી સરકારે ધ્યાન આપ્યું. રુપાણી સરકારમાં મત ખાટવા આ જાતિઓ વિશે વિચાર કર્યો. અને તેમને ઓબીસી અને વિચરતી-વિમુક્ત જાતિમાં સમાવેશ કર્યો છે. વિચરતી જાતિમાં 28 જાતિઓ જ્યારે વિમુક્ત 12 જાતિઓનો સમાવેશ થાય છે. આ જાતિઓ માટે સમાજિક કાર્યકર મિત્તલબેન પટેલ લડે છે. તેમને તમામ પ્રકારની સુવિધાઓ પુરી પાડવામાં મદદ કરી રહ્યા છે.

વિચરતી-વિમુક્ત જાતિઓ કઈ કઈ?

ગુજરાત રાજ્યમાં વિચરતી અને વિમુક્ત જાતિઓની યાદી નીચે મુજબ છે. આ યાદી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો (સા.શૈ.પ.વ.) ના ક્રમાંક સાથે આપવામાં આવી છે, જે ગુજરાત સરકારના નિયામક, વિકસતી જાતિ કલ્યાણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી પર આધારિત છે:

વિમુક્ત જાતિઓની યાદી

બાફણ (મુસ્લિમ) – 24

છારા – 14
ડફેર (હિન્દુ-મુસ્લિમ) – 19
હિંગોરા – 28
મે – 48
મિયાણા – 51
સંધિ (મુસ્લિમ) – 62
ઠેબા (મુસ્લિમ) – 73
વાઘેર – 81
વાઘરી – 80
ચુંવાળીયા કોળી – 16
કોળી (માત્ર કચ્છ જિલ્લાના રાપર અને ભચાઉ તાલુકામાં) – 39

વિચરતી જાતિઓની યાદી

બજાણિયા – 53

ભાંડ – 84
ગારુડી (અનુસૂચિત જાતિ)
કાઠોડી (અનુસૂચિત જનજાતિ)
પનાથ – 76
કોટવાળિયા (અનુસૂચિત જનજાતિ)
તુરી (અનુસૂચિત જાતિ)
વિટોળીયા (અનુસૂચિત જનજાતિ)
વાદી – 74
વાંસફોડા – 78
બાવા-વૈરાગી – 7
ભવૈયા – 71
ગરો (અનુસૂચિત જાતિ)
મારવાડા-વાઘરી – 80
ઓડ – 54
પારઘી (અનુસૂચિત જનજાતિ)
રાવળીયા – 60
શિકલીગર – 66
સરાણિયા – 63
વણઝારા (શિનાંગવાળા અને કાંગસીવાળા) – 79
જોગી – 126
ભોપા – 58
ગાડલિયા – 23
કાંગસિયા – 33
ઘાંટિયા – 91
ચામઠા – 88
ચારણ-ગઢવી (ફક્ત વડોદરા દેશના) – 13
સલાટ ઘેરા – 61

 

આ પણ વાંચો:

Malegaon Blast: 6 લોકોના મોત મામલે ભાજપ પૂર્વ સાંસદ પ્રજ્ઞા ઠાકુર અને લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત સહિત સાતને ક્લિનચીટ, જાણો સમગ્ર મામલો

India Economy: ‘ભારતનું અર્થતંત્ર મરેલું, આર્થિક-રક્ષણ અને વિદેશ નીતિ તબાહ’, રાહુલ ગાંધીએ આવું કેમ કહેવું પડ્યુ?

Surat: દવાખાને લઈ જવાના બહાને માતાએ પુત્રને ઝેર આપ્યું, પોતે પણ પીધું, માતાનું મોત, પુત્ર સારવાર હેઠળ, શું છે કારણ?

Namaste Trump: ભારતમાં જ ટ્રમ્પને રાષ્ટ્રપતિ બનાવવા પૂજાપાઠ, ટ્રમ્પ પાછળ 800 કરોડનો ખર્ચો, મોદીને ના ફળ્યો

અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પનો 800 કરોડ ખર્ચ ભારતને ભારે પડ્યો | Namaste Trump

Trump Tarrif: ટ્રમ્પને ટેરિફ લાદવાનું ચાલુ રાખવાની મંજૂરી, જાણો શું દલીલ કરવામાં આવી?

kheda: મહુધાના મંગળપુરમાં જીવન અને મૃત્યુ બંને મુશ્કેલીમાં, પાણીમાંથી કાઢવી પડી સ્મશાનયાત્રા, જુઓ

Related Posts

Loss to farmers: ખેડૂતોને લૂંટવા નીકળી પડ્યા વચેટિયા! 3 રૂપિયે કિલો બટેટા ખરીદી ₹22માં કિલો વેચી રહયા છે!! આ ઉઘાડી લૂંટ માટે કોઈ કાયદો બનશે ખરો?
  • March 17, 2026

■ગુજરાતમાં બટાકાના ભાવ 60 ટકા ઘટી જતા રૂ.6500 કરોડનું ખેડૂતોને નુકસાન ■વધારે વાવેતર અને ખાડી યુદ્ધને લીધે નિકાસ અટકતા વચેટિયાઓને જલસો પડી ગયો છે. (દિલીપ પટેલ દ્વારા) અમદાવાદ, 17 માર્ચ…

Continue reading
ACB: ગુપ્તચર ખાતાના PI લાંચ લેતા ઝડપાયા! DYSP બને તે પહેલાંજ ‘ખેલ’ થઈ ગયો!! IBના અધિકારી ACBની જાળમાં ફસાયા!
  • March 15, 2026

ACB: સરકારી ખાતાઓમાં ઉંચા સરકારી પગાર અને પદ-પ્રતિષ્ઠા અને સગવડો મળતી હોવાછતાં કેટલાક એટલા બધા લોભિયા હોય છે કે પગારથી સંતોષ થતો નથી અને બે નંબરના પૈસા ક્યાંથી આવે તેમાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

  • March 18, 2026
  • 2 views
Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

  • March 18, 2026
  • 4 views
BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

  • March 18, 2026
  • 4 views
NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

  • March 18, 2026
  • 6 views
PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

  • March 18, 2026
  • 5 views
Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”

  • March 18, 2026
  • 5 views
Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ  મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”