
Narendramodi: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સમયે દાવો કર્યો હતો કે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી થઈ જશે!જે મારુ સપનું છે પણ 2025 પૂર્ણ થવા આવ્યું અને હવે 2026 બેસી જશે પણ ખેડૂતોની સ્થિતિ ઠેરની ઠેર રહી છે ત્યારે મોદીજીએ કરેલા આ દાવો ચર્ચામાં આવ્યો છે તેઓના વિડીયો વાયરલ થઈ રહયા છે અને લોકો સવાલો કરી રહયા છે કે આખરે ક્યારે ખેડુતોની હાલત સુધરશે? મોદીજીનું સપનું કેમ પૂર્ણ ન થઈ શક્યું તે અંગે કોઈની પાસે જવાબ નથી.
આપને જણાવી દઈએ કે વીતેલા વર્ષોમાં તા.28 ફેબ્રુઆરી 2016ના રોજ ખેડૂતોની તકલીફોને દૂર કરવા માટે ઉત્તર પ્રદેશના બરેલીમાં ‘કિસાન સ્વાભિમાન રેલી’ને સંબોધતા વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે “2022માં જ્યારે ભારત આઝાદીનું 75મું વર્ષ ઊજવી રહ્યું હશે, ત્યારે અમે ખેડૂતોની આવક બમણી કરી દઈશું. આ જ મારું સપનું છે.”
આજની વાસ્તવિક પરિસ્થિતિ એ છે કે ગુજરાતમાં કૃષિ દેવું બે ગણું અને ભાવ ઓછા થયા છે.આ મુદ્દે વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલે કરેલી વિસ્તૃત છણાવટ અત્રે પ્રસ્તુત છે,જુઓ વિડીયો
The Gujarat Report | સાંપ્રત લોક હિતના વિષયોના સમાચાર અને સચોટ વિશ્લેષણ જુઓ માત્ર ધ ગુજરાત રિપોર્ટ પર







