Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લો એટલે ભ્રષ્ટાચારનો અડ્ડો! 2017માં ₹400 કરોડનું કૌભાંડ થયું હતું! લખતર ઠાકોર સાહેબની જમીન મામલે શુ રંધાયું? તપાસ ચાલુ!

Surendranagar News: સુરેન્દ્રનગર કલેક્ટર સામે ઈડીની તપાસ મુદ્દે સૌથી મોટો ખુલાસો થવા પામ્યો છે, કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સામે જમીનમાં ભ્રષ્ટ્રાચારને લઈ તપાસ શરૂ થઈ છે.બીન સત્તાવાર અહેવાલો અનુસાર લખતર રાજવી પરિવારના બલભદ્રસિંહની જમીન મુદ્દે પણ ભ્રષ્ટ્રાચારની આશંકાને લઈ તપાસ શરૂ કરી હોવાના અહેવાલ છે.

લખતર સ્ટેટ બલભદ્રસિંહની કૌટુંબિક જમીનના વિવાદમાં કૌભાંડની આશંકા વ્યક્ત થઈ રહી છે જોકે આ અંગે હજુ કોઈ સત્તાવાર વિગતો સામે આવી નથી.નોંધનીય છે કે લખતર રાજવી પરિવારમાં કૌટુંબિક જમીનના વિવાદ મુદ્દે છેલ્લા 3 વર્ષથી નામદાર કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.

જિલ્લામાં જમીન વ્યવહાર અને બિનખેતી (NA) મંજૂરીને લઈને કરોડોના કથિત કૌભાંડની આશંકા વચ્ચે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મોટું પગલું ભરવામાં આવ્યું છે ત્યારે મોટા ખુલાસા થવાની શકયતા વ્યક્ત કરાઈ રહી છે.

મહત્વનું છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં જમીન સંપાદનનું ₹1500 કરોડનું ધુપ્પલ સામે આવ્યા બાદ રાજ્યમાં આ મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે અને હાલમાં જિલ્લા કલેક્ટર અને નાયબ મામલતદાર સહિત પાંચ સામે EDની તપાસ ચાલુ છે ત્યારે આપને જણાવી દઈએ કે સુરેન્દ્રનગર જિલ્લામાં ભ્રષ્ટાચારની આ પહેલી ઘટના નથી. આ પહેલાં પણ વર્ષ 2017 400 કરોડની જમીન કૌભાંડ કેસ ખૂબજ ગાજયો હતો.

જમીન કૌભાંડ અને હથિયાર લાયસન્સ માટે લાંચ લેવાના કેસમાં તે સમયના કલેક્ટર, નાયબ મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓને સસ્પેન્ડ કરી તેમના પર કાર્યવાહી કરવામાં આવી હતી.

2017થી લઈ 2025 સુધીમાં સમગ્ર રાજ્યમાં સુરેન્દ્રનગર જિલ્લાના કૌભાંડી અધિકારીઓ સતત ચર્ચામાં રહ્યા છે.
આ અંગે સમાચાર માધ્યમોમાં વિસ્તૃત અહેવાલો પણ આવી ચુક્યા છે ત્યારે આ અંગે સિનિયર પત્રકાર દિલીપ પટેલે વિગતવાર છણાવટ કરી છે જે અત્રે પ્રસ્તુત છે.

The Gujarat Report | સાંપ્રત લોક હિતના વિષયોના સમાચાર અને સચોટ વિશ્લેષણ જુઓ માત્ર ધ ગુજરાત રિપોર્ટ પર જુઓ આ વિડીયો

આ પણ વાંચો:

Gujarat Police: પોલીસનો હાઇવે ઉપર ઈજ્જતનો ‘કચરો’ કોણે કર્યો? હપ્તાની લાઈન શુ છે?હર્ષ સંઘવી જાતે આ વીડિયો જોઈને નક્કી કરે!!

Bauxite mineral theft: ખેડાના અમૃતપુરા ગામે 62 હેક્ટર ગૌચરની જમીનમાંથી કોલસો ખોદાશે!

Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યામાં મોટો ખુલાસો! આખરે સત્ય સામે આવીજ ગયું! કટ્ટરવાદીઓ ખુલ્લા પડ્યા

Liquor: ગુજરાતના આ ‘CITY’માં હવે ખુલ્લેઆમ દારૂ પી શકાશે! પરમીટની જરૂર નહીં પડે! સરકારે આપી વધુ છૂટછાટ!

Related Posts

Ram Mandir Corruption Controversy: રામ મંદિરનો જશ મોદીને : અમિત શાહ, હવે ચોરીનો અપજશ કોનો?
  • June 20, 2026

Ram Mandir Corruption Controversy: અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના નિર્માણ માટે કરોડો હિન્દુઓએ પોતાની શ્રદ્ધા અને કમાણીમાંથી દાન આપ્યું હતું, પરંતુ આજે તે જ આસ્થા પર ભ્રષ્ટાચારનું ગ્રહણ લાગ્યું…

Continue reading
Gujarat Industrial Policy: ઔદ્યોગિક નીતિ નિષ્ફળ, ફરી ધોલેરાની લોલોપોપ, જૂઠનું સત્ય વિશ્લેષણ
  • June 18, 2026

Gujarat Industrial Policy: ઔદ્યોગિક નીતિ નિષ્ફળ, ફરી ધોલેરાની લોલોપોપ, જૂઠનું સત્ય વિશ્લેષણ દિલીપ પટેલ અમદાવાદ, 18 જૂન 2026 ઉત્પાદન હબથી ગુજરાતને વિશ્વ સંશોધન અને ટેકનોલોજી હબ બનાવવાનો છે. રોકાણનું ગુજરાતનું…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

TMC Political Crisis: મમતા બેનર્જીની પાર્ટી સામે અસ્તિત્વનું સંકટ, શું તૃણમૂલ ફરી એકવાર ‘તૃણમૂલ’ બની શકશે?

  • June 20, 2026
  • 2 views
TMC Political Crisis: મમતા બેનર્જીની પાર્ટી સામે અસ્તિત્વનું સંકટ, શું તૃણમૂલ ફરી એકવાર ‘તૃણમૂલ’ બની શકશે?

Jharkhand Rajya Sabha election: ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો, ક્રોસ-વોટિંગથી હાથમાંથી સરકી ગઈ બેઠક

  • June 20, 2026
  • 3 views
Jharkhand Rajya Sabha election: ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો, ક્રોસ-વોટિંગથી હાથમાંથી સરકી ગઈ બેઠક

Uttar Pradesh Politics: ભાજપાના મનોવૈજ્ઞાનિક યુદ્ધ સામે સપાની રણનીતિ, શું અખિલેશ યાદવ સત્તા હાંસલ કરી શકશે?

  • June 20, 2026
  • 8 views
Uttar Pradesh Politics: ભાજપાના મનોવૈજ્ઞાનિક યુદ્ધ સામે સપાની રણનીતિ, શું અખિલેશ યાદવ સત્તા હાંસલ કરી શકશે?

Noida Labour Protest: મજૂરોની માંગોથી ‘ષડયંત્ર’ સુધી, નોઈડા વિરોધ પ્રદર્શન પછી રાજ્યની બેવડી રણનીતિનો ખુલાસો

  • June 20, 2026
  • 7 views
Noida Labour Protest: મજૂરોની માંગોથી ‘ષડયંત્ર’ સુધી, નોઈડા વિરોધ પ્રદર્શન પછી રાજ્યની બેવડી રણનીતિનો ખુલાસો

Education System India: શિક્ષણ વ્યવસ્થા કે શોષણ મશીન? વિદ્યાર્થીઓનું વધતું આર્થિક અને માનસિક ભારણ

  • June 20, 2026
  • 9 views
Education System India: શિક્ષણ વ્યવસ્થા કે શોષણ મશીન? વિદ્યાર્થીઓનું વધતું આર્થિક અને માનસિક ભારણ

Ram Mandir Corruption Controversy: રામ મંદિરનો જશ મોદીને : અમિત શાહ, હવે ચોરીનો અપજશ કોનો?

  • June 20, 2026
  • 7 views
Ram Mandir Corruption Controversy: રામ મંદિરનો જશ મોદીને : અમિત શાહ, હવે ચોરીનો અપજશ કોનો?