
- અમેરિકા જવા માટે ગુજરાતી પટેલ બન્યો પાકિસ્તાની મોહમ્મદ; અમેરિકનોએ પકડી પાડ્યો
અમદાવાદ: ભારતથી અમેરિકા જવા માટે ગુજરાતના એસી પટેલે નકલી પાસપોર્ટ બનાવ્યો અને પાકિસ્તાનનો મોહમ્મદ નઝીર હુસૈન બની ગયો હતો. પટેલના પાસપોર્ટમાં હુસૈનનું નામ અને પાકિસ્તાની નાગરિકતા હતી, પરંતુ યુએસ અધિકારીઓએ છેતરપિંડીને પારખી ગયા હતા. હુસૈન હોવાનો દાવો કરનાર આ માણસનો પર્દાફાશ થઈ ગયો. યુએસ અધિકારીઓએ પટેલને ભારત પાછો મોકલી દીધો. તે 12 ફેબ્રુઆરીના રોજ AA-292 ફ્લાઇટ દ્વારા દિલ્હી એરપોર્ટ પહોંચ્યા હતો.
પટેલની ખરી મુશ્કેલીઓ તો ભારત આવ્યા પછી શરૂ થઈ હતી. ભારત પહોંચતા જ દિલ્હી પોલીસે તેની ધરપકડ કરી લીધી. તેના પર છેતરપિંડી, નકલી ઓળખનો ઉપયોગ અને પાસપોર્ટનો દુરુપયોગ સહિતના અનેક ગંભીર આરોપો છે. પાકિસ્તાની પાસપોર્ટ જોઈને અધિકારીઓ આશ્ચર્યચકિત થઈ ગયા. આ કોઈ બનાવટી દસ્તાવેજ નહોતો પણ હુસૈનનો અસલી ખોવાયેલો પાસપોર્ટ હતો.
પકડાયા પછી કબૂલ્યો ગુનો
પકડાયા પછી પટેલે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. તેણે પોતાની ઓળખ બદલવા માટે દુબઈમાં એક એજન્ટને પૈસા ચૂકવ્યા હતા. તેણે પોતાની ગુજરાતી ઓળખ બદલીને પાકિસ્તાની કરી લીધી હતી જેથી તેને અમેરિકા જતી ફ્લાઇટમાં જગ્યા મળી શકે. પટેલનો મૂળ પાસપોર્ટ 2016માં જ સમાપ્ત થઈ ગયો હતો. તેને રિન્યૂ કરવાને બદલે તેણે માનવ તસ્કરો પર આધાર રાખ્યો હતો. જેમણે તેને નકલી દસ્તાવેજો આપ્યા અને દુબઈ થઈને તેની ગેરકાયદેસર મુસાફરીને સરળ બનાવી હતી.
એક સૂત્રએ જણાવ્યું હતું કે માનવ તસ્કરો એવા પાસપોર્ટ પસંદ કરે છે જે યુએસ વિઝા મેળવવા માટે પૂરતા મજબૂત હોય છે અથવા યુએઈના નાગરિકનો પાસપોર્ટ અમેરિકામાં ઘૂસણખોરી માટે રેન્ડમલી પ્રદાન કરે છે. તેનો અર્થ એ કે દાણચોરો એવા પાસપોર્ટ શોધે છે જેમાં અમેરિકન વિઝા મળવાની સારી તક હોય. અથવા તેઓ અમેરિકામાં ઘૂસણખોરી કરવા માટે ફક્ત યુએઈના નાગરિકનો પાસપોર્ટ પસંદ કરે છે. પટેલના કેસમાં લોકો ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કેવી રીતે કરે છે તે પ્રકાશમાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે જાન્યુઆરીથી ડોનાલ્ડ ટ્રમ્પના નવા કાર્યકાળ બાદ અમેરિકન એજન્સીઓએ દસ્તાવેજો વિના ભારતીયો સામે કાર્યવાહી વધુ તીવ્ર બનાવી દીધી છે. તેઓ અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ઇમિગ્રન્ટ્સને નિશાન બનાવી રહ્યા છે અને તેમને તેમના દેશમાં પાછા મોકલી રહ્યા છે. છેલ્લા એક મહિનામાં યુએસ અધિકારીઓ દ્વારા ભારતીયોને બહાર કાઢ્યા બાદ ત્રણ ફ્લાઇટ્સ ભારત આવી છે. આમાં 74 ગુજરાતીઓનો અત્યાર સુધીમાં પરત મોકલી દેવામાં આવ્યા છે.
આ પણ વાંચો-ગયા વર્ષે પીએમ નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસોમાં લગભગ 20 કરોડ રૂપિયાનો ખર્ચ થયો: RTI