મુંબઈ સહિત આ શહેરોને દરિયો ગળી જશે!, 10 કરોડ ઇમારતો પાણીમાં ગરકાવ થઈ જવાની અગાહીથી ખળભળાટ

  • India
  • October 10, 2025
  • 0 Comments

માનવીના હાથના કર્યા હવે હૈયે વાગવાના છે અને માનવીએ પર્યાવરણનું સત્યાનાશ વાળી દેતા મોટા ભયાનક પરિવર્તન આવી રહયા છે અને એક આગાહી મુજબ સદીના અંત સુધીમાં મેકગિલ યુનિવર્સિટીના એક અભ્યાસમાં આગાહી કરવામાં આવી છે કે જો ઉત્સર્જનને નિયંત્રિત કરવામાં નહીં આવે, તો સદીના અંત સુધીમાં ૧૦ કરોડ ઇમારતો ડૂબી જશે.

દરિયાના પાણીનો ૦.૫ મીટરનો વધારો ૩૦ લાખ લોકોને અસર કરશે. જો આમ થશેતો ભારતમાં મુંબઈનો ૨૧.૮% અને ચેન્નાઈનો ૧૮% ભાગ પણ દરિયામાં ગરકાવ થઈ જશે પરિણામે લાખો લોકોને અસર થશે અને અર્થતંત્ર જોખમમાં મુકાશે.

આબોહવા પરિવર્તનને કારણે સમુદ્રનું સ્તર ધીમે ધીમે પણ સતત વધી રહ્યું છે. એક નવા અભ્યાસ મુજબ, જો આપણે અશ્મિભૂત ઇંધણનો ઉપયોગ બંધ ન કરીએ, તો સદીના અંત સુધીમાં વિશ્વભરમાં 100 મિલિયનથી વધુ ઇમારતો ડૂબી શકે છે. આ ઇમારતો એવી હશે જે દરિયાકાંઠાના શહેરોમાં આવેલી છે, જ્યાં લાખો લોકો રહે છે.

મેકગિલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલ આ અભ્યાસ, જે નેચર અર્બન સસ્ટેનેબિલિટી જર્નલમાં પ્રકાશિત થયો છે, તે આફ્રિકા, દક્ષિણપૂર્વ એશિયા અને મધ્ય અને દક્ષિણ અમેરિકાના દરિયાકાંઠાના વિસ્તારોમાં મકાન-દર-મકાન જોખમને માપવા માટેનો પ્રથમ અભ્યાસ છે. ચાલો આ સમસ્યા અને ભારત પર તેની અસર સમજીએ.

વૈજ્ઞાનિકોએ ઉપગ્રહ નકશા અને ઊંચાઈના ડેટાનો ઉપયોગ કરીને લગાવેલા સટીક અંદાજ મુજબ જો સમુદ્રનું સ્તર માત્ર 0.5 મીટર પણ વધે (જે ઉત્સર્જન ઘટાડા સાથે પણ થઈ શકે છે), તો પણ લગભગ 3 મિલિયન ઇમારતો ડૂબી જશે અને ચોંકાવનારી વાત એ છે કે તે ઉત્સર્જન ઘટાડા છતાંપણ આ વધારો શક્ય છે.

જો ઉત્સર્જનને નિયંત્રિત ન કરવામાં આવે અને સ્તર 5 મીટર કે તેથી વધુ વધશે અને તેનાથી જોખમ નોંધપાત્ર રીતે વધશે, જેમાં 100 મિલિયનથી વધુ ઇમારતો ડૂબી જશે. દરિયાકિનારે આવેલી મોટાભાગની ઇમારતો ગીચ વસ્તીવાળા નીચાણવાળા વિસ્તારોમાં સ્થિત છે આ સિવાય બંદરો, તેલ રિફાઇનરીઓ અને પ્રાચીન સાંસ્કૃતિક સ્થળો પણ આ પૂરમાં ડૂબી જશે.

ભારત પણ આનાથી બચી શકશે નહીં બીજા એક અભ્યાસ મુજબ, જો ઉત્સર્જનને નિયંત્રિત ન કરવામાં આવે તો, સદીના અંત સુધીમાં મુંબઈનો 21.8% (1,377 ચોરસ કિલોમીટર) ડૂબી શકે છે જેમાં 830 ચોરસ કિલોમીટર વિસ્તાર પહેલાથી જ જોખમમાં છે.
ત્યારબાદ ચેન્નાઈ પણ આગામી 16 વર્ષમાં 7.3% (86.8 ચોરસ કિલોમીટર) ડૂબી જશે, સદીના અંત સુધીમાં 18% (215 ચોરસ કિલોમીટર) ડૂબી જશે.
યાનમ અને થુથુકુડી: 2040 સુધીમાં 10% તેમજ પણજી અને ચેન્નાઈ: 5-10%,

જ્યારે કોચી, મેંગલોર, વિશાખાપટ્ટનમ, હલ્દિયા, ઉડુપી, પારાદીપ, પુરી: 1-5% જમીન ડૂબી શકે છે.

આ સિવાય લક્ષદ્વીપ: દર વર્ષે 0.4-0.9 મીમીના દરે સમુદ્ર વધી રહ્યો છે. અમીની ટાપુનો 60-70% અને ચેતલાતનો 70-80% ભાગ જોખમમાં છે.
ફક્ત ઇમારતો જ નહીં, પરંતુ જીવન અને અર્થતંત્ર પણ જોખમમાં છે.

આ સમસ્યા ફક્ત ઇમારતો પૂરતી મર્યાદિત નથી. લાખો લોકો બેઘર થઈ જશે. બંદરો ડૂબી જવાથી વેપાર ખોરવાઈ જશે અને ખાવા-પીવાની કિંમતમાં વધારો થશે.
પ્રોફેસર એરિક ગાલબ્રેથ કહે છે કે આબોહવા પરિવર્તન દરેકને અસર કરશે, પછી ભલે તેઓ દરિયા કિનારે રહેતા હોય કે ન હોય. આપણો ખોરાક અને બળતણ બંદરોમાંથી આવે છે. જો તે તૂટી પડે છે, તો સમગ્ર વૈશ્વિક અર્થતંત્ર હચમચી જશે.

સંશોધક માયા વિલાર્ડ-સ્ટેપન ઉમેરે છે કે ટ્રાફિકમાં વધારો રોકી શકાતો નથી, પરંતુ દરિયાકાંઠાના વિસ્તારો જેટલા વહેલા તૈયાર થશે, તેટલા સુરક્ષિત રહેશે.

વૈજ્ઞાનિકોએ એક ઇન્ટરેક્ટિવ નકશો પણ બનાવ્યો છે જે દર્શાવે છે કે કયા વિસ્તારો સૌથી વધુ જોખમમાં છે. આમ,બદલાયેલા વાતાવરણ અને પર્યાવરણ ઉપર જોખમ વધતા તેની જોખમી અસરો ભવિષ્યમાં ઉભી થશે ત્યારે હજુપણ થંભી જવાનો સમય છે અને પર્યાવરણ બચાવવા સામુહિક જગૃત થવાની જરૂર છે.

આ પણ વાંચો:

બિહારમાં પ્રત્યેક ઘરના એક સભ્યને સરકારી નોકરી આપવી શક્ય છે? તેજસ્વી યાદવના ‘સરકારી નોકરી’ના વચનોનું આ છે વિશ્લેષણ! વાંચો | Tejashwi Yadav

Ahmedabad Viral Video: રસ્તા પર યોજાયેલી બર્થ ડે પાર્ટીમાં યુવક સાથે ડાન્સ કરતી યુવતી કિન્નર નીકળ્યો!, પછી પોલીસે…

Bhavnagar: ‘હાય રે મોદી હાય હાય’, મહુવામાં ખરાબ રોડ રસ્તાને લઇ કોંગ્રેસ કાર્યકરો રસ્તા પર ઉતર્યા

અરવલ્લીમાં આરોપ: ભાજપા નેતા ખુમાનસિંહની દાદાગીરી, માટી લેવા દેતા નથી, ખેડૂતો ક્યા જાય? | Aravalli

ગુજરાત પ્રવાસ પેકેજ

Related Posts

Fastag New Rule :નિયમો બદલાઈ ગયા!હાઇવે ઉપર જાવ ત્યારે આટલું ધ્યાન રાખજો,ફાયદામાં રહેશે!
  • November 16, 2025

Fastag New Rule : કેન્દ્ર સરકાર દ્વારા ફરી એકવાર ટોલ ટેક્સ ચુકવણી સંબંધિત નિયમો બદલી નાખતા નિયમોની જેને ખબર નથી તેવા વાહન ચાલકોને ટોલ પ્લાઝા પર રોકડમાં બમણો ટોલ ચૂકવવો…

Continue reading
Bihar Election:નીતિશ કાલે રાજીનામું આપશે!ધારાસભ્ય દળની બેઠકમાં CM સહિત ડે. CM નક્કી થશે! આ નામોની ચર્ચા
  • November 16, 2025

Bihar Election Result 2025:બિહારમાં NDAની જીત બાદ, મંત્રીમંડળની રચના અને ઘટક પક્ષોના હિસ્સેદારી માટે ફોર્મ્યુલાને અંતિમરૂપ આપી દેવાયું છે અને આવતી કાલે સોમવારે તા.17 નવેમ્બરના રોજ JDU વિધાનસભા પક્ષની બેઠક…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Fastag New Rule :નિયમો બદલાઈ ગયા!હાઇવે ઉપર જાવ ત્યારે આટલું ધ્યાન રાખજો,ફાયદામાં રહેશે!

  • November 16, 2025
  • 5 views
Fastag New Rule :નિયમો બદલાઈ ગયા!હાઇવે ઉપર જાવ ત્યારે આટલું ધ્યાન રાખજો,ફાયદામાં રહેશે!

Bihar Election:નીતિશ કાલે રાજીનામું આપશે!ધારાસભ્ય દળની બેઠકમાં CM સહિત ડે. CM નક્કી થશે! આ નામોની ચર્ચા

  • November 16, 2025
  • 15 views
Bihar Election:નીતિશ કાલે રાજીનામું આપશે!ધારાસભ્ય દળની બેઠકમાં CM સહિત ડે. CM નક્કી થશે! આ નામોની ચર્ચા

Bhavnagar માં ફરી હચમચાવતી ઘટના, ફોરેસ્ટ ક્વાર્ટરમાંથી મહિલા સહિત બે બાળકોનાં મળ્યા મૃતદેહ

  • November 16, 2025
  • 8 views
Bhavnagar માં ફરી હચમચાવતી ઘટના,  ફોરેસ્ટ ક્વાર્ટરમાંથી મહિલા સહિત બે બાળકોનાં મળ્યા મૃતદેહ

Gujrat police: પોલીસની જનરક્ષક(!)ગાડીએ અકસ્માત સર્જ્યો!શુ ડ્રાઈવર ‘પી’ ગયો હતો?

  • November 16, 2025
  • 17 views
Gujrat police: પોલીસની જનરક્ષક(!)ગાડીએ અકસ્માત સર્જ્યો!શુ ડ્રાઈવર ‘પી’ ગયો હતો?

IND vs SA 1st Test: 15 વર્ષ પછી દક્ષિણ આફ્રિકાએ ભારતીય ધરતી પર ટેસ્ટ જીતી, ટીમ ઇન્ડિયાને 30 રને હરાવ્યું

  • November 16, 2025
  • 12 views
IND vs SA 1st Test: 15 વર્ષ પછી દક્ષિણ આફ્રિકાએ ભારતીય ધરતી પર ટેસ્ટ જીતી, ટીમ ઇન્ડિયાને 30 રને હરાવ્યું

RCB New Controversy: IPL 2026 ની હરાજી પહેલા RCB નવા વિવાદમાં ફસાયું, વિરાટ કોહલીને પણ જવાબ આપવો બનશે મુશ્કેલ!

  • November 16, 2025
  • 24 views
RCB New Controversy: IPL 2026 ની હરાજી પહેલા RCB નવા વિવાદમાં ફસાયું, વિરાટ કોહલીને પણ જવાબ આપવો બનશે મુશ્કેલ!