
Indian Back From Israel : ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના સંઘર્ષમાં વધારો થયા બાદ ઈરાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. ‘ઓપરેશન સિંધુ’ હેઠળ, મંગળવારે 161 ભારતીય નાગરિકોના પ્રથમ જૂથને ઈઝરાયલથી પરત લાવવામાં આવ્યા હતા. કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી પાબિત્રા માર્ગેરિટાએ દિલ્હી એરપોર્ટ પર મુસાફરોનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન, ભારત પરત ફરેલા નાગરિકોએ કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો.
ઇઝરાયલથી પરત ફર્યા ભારતીયો
મંગળવારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કેટલીક તસવીરો શેર કરી હતી. તેમણે લખ્યું હતું કે, “ઓપરેશન સિંધુનો ઇઝરાયલ તબક્કો 23 જૂને શરૂ થયો હતો, જેમાં 161 ભારતીય નાગરિકોનો પહેલો જથ્થો ઇઝરાયલથી પરત લાવવામાં આવ્યો હતો. તેઓ આજે સવારે 8:20 વાગ્યે જોર્ડનના અમ્માનથી નવી દિલ્હી સુરક્ષિત રીતે પહોંચ્યા હતા. વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગેરિટા દ્વારા એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદેશમાં ભારતીય નાગરિકોની સુરક્ષા સરકારની ટોચની પ્રાથમિકતા છે.”
IANS સાથે વાત કરતા, કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી પાબિત્રા માર્ગેરિટાએ કહ્યું, “ઇઝરાયલથી બહાર કાઢવામાં આવેલા ૧૬૧ ભારતીય નાગરિકોના પહેલા જૂથનું સ્વાગત કરતાં મને આનંદ થાય છે. આ જૂથ થોડા સમય પહેલા જ નવી દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત રીતે પહોંચી ગયું છે.”
#WATCH ऑपरेशन सिंधु के तहत इजराइल से निकाले गए 161 भारतीय नागरिकों के पहले जत्थे को लेकर पहली फ्लाइट आज दिल्ली पहुंची। विदेश राज्य मंत्री पाबित्रा मार्गेरिटा ने नागरिकों का स्वागत किया। pic.twitter.com/cA46MEUGmJ
— ANI_HindiNews (@AHindinews) June 24, 2025
ઇઝરાયલથી આવ્યા બાદ ભારતીય નાગરિકે શું કહ્યું ?
ઇઝરાયલથી બહાર કાઢવામાં આવેલા એક ભારતીય નાગરિકે કહ્યું, ઇઝરાયલમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે, પરંતુ તેમ છતાં ભારત સરકારે અમને ત્યાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે. હું ભારત સરકારનો આભાર વ્યક્ત કરું છું.
બીજા એક પ્રવાસીએ કહ્યું, “ખરેખર જ્યારે અમે ગયા ત્યારે અમેરિકાના સીધા હુમલા પછી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી. હું પોતે જેરુસલેમમાં હતો, અને ઈરાની હુમલાને કારણે ઘણા ઇઝરાયલી શહેરોને ઘણું નુકસાન થયું છે.”
ઓપરેશન સિંધુ હેઠળ મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો ઈરાનથી સુરક્ષિત રીતે પરત ફર્યા છે. તે જ સમયે, ઇઝરાયલમાં ફસાયેલા ભારતીયોની વાપસી પણ શરૂ થઈ ગઈ છે.
આ પણ વાંચો:
Israel iran War: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સીઝફાયરના ટ્રમ્પે ફૂક્યાં બણગા, જાણો દાવામાં કેટલી હકીકત
Israel iran War: ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધના 12 દિવસ, જાણો કોને કેટલું નુકસાન થયું?
જો ભારત સિંધુ સંધિનો અમલ નહીં કરે તો બીજીવાર યુદ્ધ માટે તૈયાર: પાકિસ્તાન | Bilawal Bhutto
Gujarat Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 170 તાલુકાઓમાં મેઘ મહેર, આજે કયા વિસ્તારોમાં આગાહી
Vadodara માં સતત બીજા દિવસે સ્કૂલને બોમ્બની ધમકી: રિફાઇનરી ગુજરાત બોર્ડ સ્કૂલમાં તપાસ શરૂ