Carbocell Well Illegal Mining: સુરેન્દ્રનગર પંથકમાં કરોડોના કોલસાનો ‘કાળો કારોબાર!’100 ખાણો ઉપર દરોડા પડતા માફિયાઓમાં ફફડાટ

 Carbocell Well Illegal Mining: સુરેન્દ્રનગરના થાન પંથકમાં ચાલી રહેલા ગેરકાયદેસર કાર્બોસેલની 100 જેટલી ખાણો પર દરોડા પાડવામાં આવતા ભારે ખળભળાટ મચી ગયો છે,મોટાભાગની ગેરકાયદેસર ખાણો સરકારી ખરાબાની જમીનો પર બિન્દાસ ચાલી રહી હોવાની ચોંકાવનારી વાત સામે આવી છે.

નાયબ કલેકટર મકવાણા સહિત મુળી અને ચોટીલા મામલતદારો તેમજ તલાટીઓ પણ વહેલી સવારે પડેલા દરોડા વખતે હાજર રહ્યા હતા.થાન તાલુકામાં મોટા પ્રમાણમાં કુદરતી રીતે કાર્બોસેલ ખનીજ સંપતિ છુપાયેલ છે પરંતુ તેનો સરકારને લાભ મળતો નથી અહીં ભૂમાફિયાઓ અને સ્થાનિક તંત્રની મીલીભગતથી કરોડોની ગેરકાયદેસર ખનીજ ચોરી થઈ રહી છે જેની અનેક વખત ફરિયાદ ઉઠી છે.

થાન તાલુકામાં વર્ષોથી ભૂમાફિયાઓ દ્વારા મોટાપાયે ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન થઈ રહ્યુ હોવા છતાં પોલીસ કાર્યવાહી થતી નહિ હોવાથી હપ્તારાજના દાવા પણ અનેક વખત થઈ ચૂક્યા છે અને માત્ર દેખાડા પૂરતી કાર્યવાહી થતી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

દરોડા દરમિયાન ટ્રેક્ટર,ચરખીઓ સહિત કરોડો રૂપિયાનો ગેરકાયદેસર કાર્બોસેલનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો દરોડામાં 50 મજૂરોને 25 ખાણોમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
વિગતો મુજબ જામવાડી વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને અહીથી શ્રેષ્ઠ કક્ષાનો કોલસો સિમેન્ટ ફેક્ટરીમાં રાજસ્થાન અને એમપીમાં મોકલાવમાં આવતો હોવાનું ખુલ્યું છે,સારો કોલસો હોવાથી ગુજરાત બહાર ભાવ વધારે મળે છે,એક અંદાજ મુજબ એક ખાણમાંથી 35 ટન કોલસો ભરીને 700 ટ્રક નિકળે છે અને 25 હજાર ટન એક કુવામાંથી કિંમતી કોલસો નિકળે છે.

100 કુવાનો 2 કરોડ ટનનો માલ હોઈ શકે છે,એક ટનનો ભાવ 3200થી 4100 ગણવામાં આવેતો તે હિસાબે 100 ખાણમાં 5થી 6 કરોડનો કોલસો નીકળે છે જે બરોબાર વહીવટ થઈ જતો હોવાની ચોંકાવનારી વાતોએ હડકંપ મચાવ્યો છે ત્યારે આ મામલે સ્થાનિક જાગૃત નાગરિકો સાથે વરિષ્ઠ પત્રકાર દિલીપ ભાઈ પટેલે કરેલી વિસ્તૃત છણાવટ અહીં પ્રસ્તુત છે જુઓ વિડીયો

The Gujarat Report | સાંપ્રત લોક હિતના વિષયોના સમાચાર અને સચોટ વિશ્લેષણ જુઓ માત્ર ધ ગુજરાત રિપોર્ટ પર

આ પણ વાંચો:

Rajkumar Jat Case: ગણેશ ગોંડલનો તા.13 ડિસેમ્બર સુધી ચાલશે નાર્કોટેસ્ટ! શુ હોય છે આ નાર્કોટેસ્ટ? જાણો

Gujarat Education: શિક્ષણ પાછળ કરોડોનું આંધણ છતાં 2 લાખ 40 હજાર વિદ્યાર્થીઓએ શાળા છોડી! આખરે કરોડો રૂપિયા ક્યાં જાય છે?

Russia Ukraine war: 21 વર્ષના યુવકની અજીબો ગરીબ કરુણ કહાની;પરિવારની સ્થિતિ સુધારવા રશિયાતો ગયો પણ પછી જે થયું તે જાણી ધ્રુજી જશો!!

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરતથી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Surendranagar: સુરેન્દ્રનગરના સરોડી ગામે સિલિકોસિસથી 30ના મોતથી હાહાકાર!
  • January 22, 2026

Surendranagar: સુરેન્દ્રનગરમાં થાનગઢ તાલુકાના સરોડી ગામ ખાતે આવેલી ખાણના કારણે સીલીકોસીસનો રોગચાળો ફાટી નીકળ્યો છે જેમાં છેલ્લા 9 મહિનામાં 30 લોકોના મોત થયા હોવાની ચોંકાવનારો ખુલાસો થતા ભારે સનસનાટી મચી…

Continue reading
Bullet train: નરેન્દ્ર મોદીએ બુલેટ ટ્રેન વિશે કહ્યું હતું કે, ‘વો કોઈ બેઠને નહિ આને વાલા ! મચ્યો હોબાળો!
  • January 22, 2026

Bullet train: ગુજરાતમાં બુલેટ ટ્રેનની ભારે ચર્ચા છે અને બીલીમોરા સુધી પ્રથમ તબક્કામાં શરૂ થનાર છે ત્યારે 2013માં જયારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. ત્યારે તેમણે મુંબઈમાં બુલેટ ટ્રેન પર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Surendranagar: સુરેન્દ્રનગરના સરોડી ગામે સિલિકોસિસથી 30ના મોતથી હાહાકાર!

  • January 22, 2026
  • 3 views
Surendranagar: સુરેન્દ્રનગરના સરોડી ગામે સિલિકોસિસથી 30ના મોતથી હાહાકાર!

Narendramodi: ફરી એક વખત PM નરેન્દ્ર મોદીએ ટ્રમ્પથી દૂરી બનાવી! 71મી વાર કહ્યું ” ભારત-પાકનું યુદ્ધ મેં રોકાવ્યું!” મોદીજીનું ભેદી મૌન,જુઓ ખાસ વિશ્લેષણ

  • January 22, 2026
  • 4 views
Narendramodi: ફરી એક વખત PM નરેન્દ્ર મોદીએ ટ્રમ્પથી દૂરી બનાવી! 71મી વાર કહ્યું ” ભારત-પાકનું યુદ્ધ મેં રોકાવ્યું!” મોદીજીનું ભેદી મૌન,જુઓ ખાસ વિશ્લેષણ

Kashmir: ડોડામાં સેનાનું વાહન ખીણમાં ખાબકતા 10 સૈનિકો શહીદ, 3 ગંભીર રીતે ઘાયલ!

  • January 22, 2026
  • 8 views
Kashmir: ડોડામાં સેનાનું વાહન ખીણમાં ખાબકતા 10 સૈનિકો શહીદ, 3 ગંભીર રીતે ઘાયલ!

Bullet train: નરેન્દ્ર મોદીએ બુલેટ ટ્રેન વિશે કહ્યું હતું કે, ‘વો કોઈ બેઠને નહિ આને વાલા ! મચ્યો હોબાળો!

  • January 22, 2026
  • 8 views
Bullet train: નરેન્દ્ર મોદીએ બુલેટ ટ્રેન વિશે કહ્યું હતું કે, ‘વો કોઈ બેઠને નહિ આને વાલા ! મચ્યો હોબાળો!

Gujarat Politics: પૂર્વ CM આનંદી બેન ગુજરાતમાં સક્રિય? અનાર પટેલ ની એન્ટ્રી શુ સૂચવે છે? જુઓ, ખાસ વિશ્લેષણ

  • January 22, 2026
  • 7 views
Gujarat Politics: પૂર્વ CM આનંદી બેન ગુજરાતમાં સક્રિય? અનાર પટેલ ની એન્ટ્રી શુ સૂચવે છે? જુઓ, ખાસ વિશ્લેષણ

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

  • January 22, 2026
  • 9 views
FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો