Rajkumar Jat Case: ગણેશ ગોંડલનો તા.13 ડિસેમ્બર સુધી ચાલશે નાર્કોટેસ્ટ! શુ હોય છે આ નાર્કોટેસ્ટ? જાણો

  • Gujarat
  • December 9, 2025
  • 0 Comments

Rajkumar Jat Case: ગોંડલના ચકચારી રાજ કુમાર જાટ અપમૃત્યુ કેસમાં ગણેશ ગોંડલનો 11 ડિસેમ્બરે ગાંધીનગર ખાતે નાર્કો ટેસ્ટ કરવામાં આવનાર છે.

મહત્વનું છે કે રાજકુમાર જાટ કેસમાં ગત તા.5 ડિસેમ્બરે રાજકોટની કોર્ટે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી આપી હતી.જેને પગલે હવે ગણેશ ગોંડલનો 11 ડિસેમ્બરે ગાંધીનગરમાં નાર્કો ટેસ્ટ કરવામાં આવનાર છે,નાર્કો ટેસ્ટ માટે ગણેશ ગોંડલને ગાંધીનગર સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી(FSL) ખાતે લઈ જવામાં આવ્યો છે જ્યાં ગણેશ ગોંડલની આજે તા. 9મી ડિસેમ્બરથી મેડિકલ પ્રોસેસ ચાલુ થશે.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે તા.8 ડિસેમ્બર, 2025ના રોજ મોડી રાત સુધીમાં એફએસએલ ટીમ દ્વારા જરૂરી વ્યવસ્થા કરી દેવાઈ છે અને આજે તા.9મી ડિસેમ્બરથી સતત ચાર દિવસ સુધી ગણેશ ગોંડલ ઉપર અલગ-અલગ ટેસ્ટ થશે.

રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગાંધીનગર સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (એફએસએલ) ખાતે લાવવામાં આવ્યો છે અને આજે સોમવારથી શરૂ થયેલી નાર્કો ટેસ્ટ માટેની પ્રક્રિયા આગામી તા. 12થી 13 ડિસેમ્બર સુધી ચાલશે.

■નાર્કો ટેસ્ટ શુ હોય છે તે જાણો

નાર્કો ટેસ્ટ દરમિયાન જેનો ટેસ્ટ કરવાનો હોય છે એ વ્યક્તિને સોડિયમ પેન્ટોથલ નામની દવાનું ઈન્જેક્શન આપવામાં આવે છે. જે ઈન્જેક્શન અપાતાન તે વ્યક્તિની વિચારશક્તિ એક ચોક્કસ અવસ્થામાં આવી જાય છે. આ ટેસ્ટ સમયે તે અર્ધ બેભાનની સ્થિતિમાં હોય છે. દવાની અસરથી તેની જુઠુ બોલવાની શકયતા પણ ઘટી જાય છે ત્યારબાદ એક્સપર્ટ દ્વારા કેસને લગતા સવાલો કરે છે. આ સમયે તે વ્યક્તિના હાવભાવની સ્થિતિને ખાસ ધ્યાને લેવામાં આવે છે.

ગોંડલ સહિત રાજ્યભરમાં ચકચાર જગાવનાર રાજ કુમાર જાટ અપમૃત્યુ કેસની તપાસ હાલ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના નેતૃત્વમાં ચાલી રહી છે જેમાં નાર્કોટેસ્ટ પદ્ધતિથી પુરાવા એકત્ર કરવાની કવાયત શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો:

The employee drank poison due to the SIR’s workload:મેરઠમાં સિંચાઈ વિભાગના BLO કર્મચારીએ SIR કામગીરીથી ત્રસ્ત થઈ ઝેર પી લીધુ!

Cylinder blast in Goa: ગોવાની નાઈટ ક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં 25 લોકોના મોત!

Babri Masjid: હુમાયુએ બંગાળમાં ‘બાબરી મસ્જિદ’નો પાયો નાખ્યો! ચેલેન્જ કરતા કહ્યું”કોઈ અહીંથી એક ઈંટ પણ ખસેડી નહીં શકે!”

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

  • September 16, 2026
  • 3 views
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

  • September 16, 2026
  • 4 views
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

  • September 16, 2026
  • 5 views
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

  • September 16, 2026
  • 9 views
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

  • September 16, 2026
  • 9 views
‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

  • September 16, 2026
  • 12 views
Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત