Gujarat Education: શિક્ષણ પાછળ કરોડોનું આંધણ છતાં 2 લાખ 40 હજાર વિદ્યાર્થીઓએ શાળા છોડી! આખરે કરોડો રૂપિયા ક્યાં જાય છે?

  • Gujarat
  • December 8, 2025
  • 0 Comments

Gujarat Education: ગુજરાતમાં કરોડો રૂપિયાનો ખર્ચ અને સરકારી તાયફા છતાં શિક્ષણ ખાડે ગયું છે જેની કબુલાત ખુદ સરકારે કરવી પડી છે.લોકસભામાં ખુદ કેન્દ્ર સરકારે સ્વીકાર્યું છે કે ગુજરાતમાં 2 લાખ 40 હજાર વિદ્યાર્થીઓએ ભણવાનું અધવચ્ચેજ છોડી દીધુ છે.

વિગતો મુજબ દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં નજર કરવામાં આવેતો ગુજરાતમાં ડ્રોપઆઉટ રેટમાં 341 ટકાનો ચિંતા જનક વધારો જણાઈ આવે છે.વર્ષ 2024-25માં 54 હજાર 451 વિદ્યાર્થીઓએ શાળા છોડી હતી જે આંકડો 2025-26માં વધીને 2 લાખ 40 હજારને પાર કરી ગયો છે જે વાસ્તવિકતા ખૂબજ ચિંતા ઉપજાવનારી છે.

એક તરફ સમગ્ર શિક્ષા યોજના પાછળ ગુજરાતમાં કુલ 2199 કરોડ રૂપિયાથી વધુ રકમનો ખર્ચ થયો છે પણ તેનું સકારાત્મક પરિણામ મળી શક્યું નથી ત્યારે સ્વાભાવિક સવાલ ઉઠે કે આ કરોડો રૂપિયાનું શુ થયું?

સરકાર શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો યોજે છે,મિડિયામાં વાહવાહી થતાં ફોટા સાથેના સમાચારો છપાય છે ટીવીમાં વિડીયો આવે છે અને મોટા મોટા ભાષણો થાય છે પણ વાસ્તવિક સ્થિતિ કેમ અલગ છે?તે અંગે લોકો સવાલો કરી રહયા છે. મોટી સંખ્યામાં બાળકો કેમ ભણતર છોડી રહ્યા છે તે સવાલ અઘ્ધર છે ત્યારે આ કરોડો રૂપિયાનું બજેટ ક્યાં જતું હશે ક્યાં વપરાતું હશે તે એક રહસ્ય રહ્યું છે.

રાજ્યમાં તમામ શાળાઓમાં ઢોલ નગારા સાથે પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે,પણ વિદ્યાર્થીને માત્ર પ્રવેશ આપવાથી જવાબદારી પૂર્ણ થઇ જતી નથી તેના પાયાના પ્રશ્નો જોવા પડે અને ત્યાં ભંડોળનો સકારાત્મક ઉપયોગ થવો જોઈએ, રાજ્યમાં ડ્રોપ આઉટના આંકડા પર ધ્યાન આપવા સહિત શિક્ષણનું સ્તર સુધારવા તરફ ધ્યાન આપવાની જવાબદારી નક્કી થતી નથી.

તમામ સમસ્યાઓ સરકાર પણ જાણે તો છે જ, સરકારને પણ ખબર છે કે ધોરણ 8માં અભ્યાસ કર્યા બાદ વિદ્યાર્થી આગળનું શિક્ષણ મેળવવાને બદલે શાળા છોડી દે છે.

વાસ્તવિક સ્થિતિતો એવી પણ છે કે ઘણી જગ્યાએ ધોરણ પાંચમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીને ગુજરાત લખતાં કે વાંચતા પણ નથી આવડતું એવામાં ગણિતના દાખલા કેવી રીતે આવડી શકે? ધોરણ 3,5 અને 8માં ભણતા વિદ્યાર્થીઓને ગણિતાના સરળ દાખલા પણ આવડતા નથી સ્કૂલોમાં અનેક પાયાની સમસ્યાઓ સર્જાતા આ સ્થિતિ છે જે અંગે સરકારે ચિંતન કરવાનો સમય પાકી ગયો છે.

આ પણ વાંચો:

The employee drank poison due to the SIR’s workload:મેરઠમાં સિંચાઈ વિભાગના BLO કર્મચારીએ SIR કામગીરીથી ત્રસ્ત થઈ ઝેર પી લીધુ!

Cylinder blast in Goa: ગોવાની નાઈટ ક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં 25 લોકોના મોત!

Babri Masjid: હુમાયુએ બંગાળમાં ‘બાબરી મસ્જિદ’નો પાયો નાખ્યો! ચેલેન્જ કરતા કહ્યું”કોઈ અહીંથી એક ઈંટ પણ ખસેડી નહીં શકે!”

 

Related Posts

Rajkot Volvo Car Accident: રાજકોટમાં વોલ્વોનો આતંક, નશામાં ધૂત નબીરાએ ૧૦૦ની સ્પીડે કાર દોડાવી ૫ વાહનો ફંગોળ્યા!
  • May 13, 2026

Rajkot Volvo Car Accident: રાજકોટના સૌથી ધમધમતા વિસ્તાર ગણાતા ૧૫૦ ફૂટ રિંગ રોડ પર નાનામવા સર્કલ પાસે ફરી એકવાર ધનાઢ્ય નબીરાની બેદરકારીના દ્રશ્યો સર્જાયા છે. એક કાળા કલરની લક્ઝરીયસ વોલ્વો…

Continue reading
Russia India Oil: “બધા દેશો ઘૂંટણિયે નથી પડતા”, ભારત પરના અમેરિકી દબાણ સામે રશિયન વિદેશ મંત્રીની ગર્જના
  • May 13, 2026

Russia India Oil: રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે ઉર્જા ખરીદીના મુદ્દે ભારત પર દબાણ લાવવાના અમેરિકા અને પશ્ચિમી દેશોના પ્રયાસોની આકરી ટીકા કરી છે. મોસ્કોમાં RT ઈન્ડિયાને આપેલા એક વિશેષ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Dwarka Power Corridor Farmers: દ્વારકારમાં 10 હજાર ખેડૂતોને પરેશાની છતાં કોંગ્રેસનું રાજકારણ

  • May 13, 2026
  • 5 views
Dwarka Power Corridor Farmers: દ્વારકારમાં 10 હજાર ખેડૂતોને પરેશાની છતાં કોંગ્રેસનું રાજકારણ

Rajkot Volvo Car Accident: રાજકોટમાં વોલ્વોનો આતંક, નશામાં ધૂત નબીરાએ ૧૦૦ની સ્પીડે કાર દોડાવી ૫ વાહનો ફંગોળ્યા!

  • May 13, 2026
  • 4 views
Rajkot Volvo Car Accident: રાજકોટમાં વોલ્વોનો આતંક, નશામાં ધૂત નબીરાએ ૧૦૦ની સ્પીડે કાર દોડાવી ૫ વાહનો ફંગોળ્યા!

Udhayanidhi Stalin Sanatan Dharma: “રાવણ અને હિરણ્યકશ્યપના વંશજ”, બ્રિજભૂષણ શરણ સિંહનો ઉદયનિધિ સ્ટાલિન પર વળતો પ્રહાર

  • May 13, 2026
  • 7 views
Udhayanidhi Stalin Sanatan Dharma: “રાવણ અને હિરણ્યકશ્યપના વંશજ”, બ્રિજભૂષણ શરણ સિંહનો ઉદયનિધિ સ્ટાલિન પર વળતો પ્રહાર

Congress Attacks BJP RSS: ‘RSS નો પાકિસ્તાન પ્રેમ ફરી સામે આવ્યો’, દત્તાત્રેય હોસબોલેના નિવેદન પર કોંગ્રેસનો ભાજપ-આરએસએસ પર આકરો પ્રહાર

  • May 13, 2026
  • 11 views
Congress Attacks BJP RSS: ‘RSS નો પાકિસ્તાન પ્રેમ ફરી સામે આવ્યો’, દત્તાત્રેય હોસબોલેના નિવેદન પર કોંગ્રેસનો ભાજપ-આરએસએસ પર આકરો પ્રહાર

Arvind Kejriwal: ‘બાંગ્લાદેશ-નેપાળના Gen-Z સરકાર બદલી શકે, તો ભારતના યુવાનો પેપર લીક માફિયાને જેલ કેમ નહીં મોકલે?’ : કેજરીવાલ

  • May 13, 2026
  • 11 views
Arvind Kejriwal: ‘બાંગ્લાદેશ-નેપાળના Gen-Z સરકાર બદલી શકે, તો ભારતના યુવાનો પેપર લીક માફિયાને જેલ કેમ નહીં મોકલે?’ : કેજરીવાલ

Russia India Oil: “બધા દેશો ઘૂંટણિયે નથી પડતા”, ભારત પરના અમેરિકી દબાણ સામે રશિયન વિદેશ મંત્રીની ગર્જના

  • May 13, 2026
  • 6 views
Russia India Oil: “બધા દેશો ઘૂંટણિયે નથી પડતા”, ભારત પરના અમેરિકી દબાણ સામે રશિયન વિદેશ મંત્રીની ગર્જના