ઉદ્યોગપતિઓને 12.3 લાખ કરોડ રૂપિયાની લોનમાફી- ખેડૂતોની ક્યારે?

  • Others
  • December 17, 2024
  • 0 Comments

દેશમાં મોંઘવારીના કારણે સામાન્ય જનતાની મુશ્કેલીઓમાં ખુબ જ વધારો થઈ ગયો છે. તો બીજી તરફ દેશના ખેડૂતોને પોતાના પાકોનું યોગ્ય વળતર ન મળતા તેઓ દેવાદાર બની રહ્યા છે. ખેડૂતો બેંકો પાસેથી લોન લેવા માટે મજબૂર બની રહ્યા છે, પરંતુ તેમની મદદ કરવા માટે સરકાર તરફથી કોઈ નક્કર પગલા ભરવામાં આવ્યા હોય તેવું દેખાઈ રહ્યું નથી. તો બીજી તરફ ખેડૂતોની લોનમાફીને લઈને પણ સરકાર કંઇ વિચારી રહી નથી. પરંતુ બીજી તરફ ઉદ્યોગપતિઓને સતત લોન માફી કરવામાં આવી રહી છે.

દેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર દરમિયાન પાછલા દસ વર્ષમાં ઉદ્યોગપતિઓની 12 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી દેવામાં આવી છે. જ્યારે છેલ્લા પાંચ વર્ષમાં લોન માફીની રકમ પૈકી અડધાથી વધારે રકમ સરકારી બેંકોએ માફ કરી છે. આમ ભારતમાં બેવડી નીતિ સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે. ઉદ્યોગપતિઓને ઘી-કેળા અને ખેડૂત સહિત સામાન્ય વ્યક્તિઓને લોન ન ભરી શકવાની સ્થિતિમાં ઘર-બાર બધું જપ્ત કરી લેવામાં આવે છે.

જણાવી દઇએ કે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પાછલા પાંચ વર્ષમાં સૌથી વધુ રકમની લોન માફ કરી છે. નાણાકીય વર્ષ 2015થી નાણાકીય વર્ષ 2024 વચ્ચે બેંકોએ કુલ 12.3 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી દીધી છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, આ રકમમાંથી 53 ટકા એટલે કે 6.5 લાખ કરોડ રૂપિયા છેલ્લા પાંચ વર્ષોમાં જાહેર ક્ષેત્રની બેંકોએ માફ કર્યા છે.

ડેટા અનુસાર, ટોપ 100 ડિફોલ્ટરોની પાસે કુલ એનપીએનો 43 ટકા હિસ્સો છે. આ માહિતી આઈટીઆરના માધ્યમથી મેળવવામાં આવી છે. લોન ન ચૂકવનારાઓમાં અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન લિમિટેડનો પણ સમાવેશ થાય છે. તે ઉપરાંત જિંદાલ અને જેપી ગ્રુપની કંપનીઓના નામ પણ યાદીમાં સામેલ છે.

જણાવી દઇએ કે, એનપીએની (નૉન-પરફોર્મિંગ એસેટ) બાબતમાં પણ સરકારી બેંકો આગળ છે. કાયદા મુજબ બેન્ક કે નાણાકીય સંસ્થા દ્વારા આપવામાં આવેલું લોન અથવા ઋણ એક નિશ્ચિત સમયગાળા પછી પરત ન થાય, તે નૉન-પરફોર્મિંગ એસેટ કહેવાય છે. કેન્દ્રીય નાણા મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રધાન પંકજ ચૌધરીએ જણાવ્યું હતુ કે, આરબીઆઈના આંકડાઓ અનુસાર, 30 સપ્ટેમ્બર, 2024 સુધી સરકારી બેંકોનું એનપીએ 3,16,331 કરોડ રૂપિયા હતુ. જ્યારે ખાનગી બેંકોનું એનપીએ 1,34,339 કરોડ રૂપિયા છે.

જે બેંકોએ લોન માફ કરી છે તેમાં રકમની દ્રષ્ટિએ એસબીઆઇ સૌથી આગળ છે. એસબીઆઇએ આ પાંચ વર્ષોમાં લગભગ 1.5 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી છે. બીજી નંબરે પંજાબ નેશનલ બેંક છે. ત્રીજા ક્રમે યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, ચોછા ક્રમે બેંક ઓફ બરોડા અને પાંચમાં ક્રમે બેંક ઓફ ઇન્ડિયા છે.

લોનની રકમ પરત લેવાનું માંડી વાળવાની બાબતમાં પણ સરકારી બેંકો ખૂબ જ આગળ છે. એસબીઆઇએ આ પાંચ વર્ષોમાં કુલ બે લાખ કરોડ રૂપિયાની લોન માંડી વાળી છે. પંજાબ નેશનલ બેંકે 94,702 કરોડ રૂપિયા માંડી વાળ્યા છે. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન સપ્ટેમ્બરના અંત સુધી સરકારી બેંકોએ છેલ્લા પાંચ વર્ષોની 6.5 લાખ કરોડ રૂપિયાની સરખામણીમાં 42 હજાર કરોડ રૂપિયા લેવાનું માડી વાળ્યું છે.

ચૌધરીએ જણાવ્યું હતું કે આરબીઆઇના દિશા-નિર્દેશો અને બેંકોના બોર્ડની તસ્ફથી સ્વીકૃત નીતિ અનુસાર ચાર વર્ષ પૂર્ણ થવા પર એનપીએ રાઇટ ઓફ કરવામાં આવે છે.

RBIના ડેટા અનુસાર નાદારી જાહેર કરેલી કંપનીઓનું લિસ્ટ

  • રિલાયન્સ કોમ્યુનિકેશન લિમિટેડ
  • રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરિંગ લિમિટેડ
  • જયપ્રકાશ એસોસિએટ્સ લિમિટેડ
  • જયપ્રકાશ પાવર વેન્ચર લિમિટેડ
  • જેપી ઇન્ફ્રાટેક લિમિટેડ
  • આઇએલએન્ડએફએસ ફાઇનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ
  • રુચિ સોયા ઇન્ડસ્ટ્રીઝ
  • વિડિયોકોન ગ્રુપની બે કંપનીઓ
  • જિંદાલ ઇન્ડિયા થર્મલ પાવર
  • ગિતાંજલિ જેમ્સ

Related Posts

બ્રહ્માંડમાં અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ ‘એલિયન યાન’ દેખાયું?, વૈજ્ઞાનિકોમાં વધી ચિંતા; ખાસ મિશન શરૂ થશે | 3I/ATLAS
  • November 3, 2025

3I/ATLAS: એલિયનની હાજરી વિશે વર્ષોથી એક રહસ્ય રહ્યું છે અને બ્રહ્માંડમાં પૃથ્વી સિવાય બીજે ક્યાંક જીવન છે તેવી માન્યતાઓના આધારે અત્યાર સુધી અનેક પ્રયોગો થયા છે પણ હજુ સુધી નક્કર…

Continue reading
3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો
  • October 29, 2025

અબજો વર્ષ પહેલાં દૂરના તારાઓની દુનિયાથી આવેલો ધૂમકેતુ હવે આપણા સૂર્ય તરફ ધસી રહ્યો છે. આ ધૂમકેતુ 3I/ATLAS છે. સૌરમંડળની બહારનો ત્રીજો પદાર્થ. વૈજ્ઞાનિકોની શોધ અન્ય તારાઓની દુનિયાના રહસ્યો ઉજાગર કરે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

  • March 20, 2026
  • 6 views
Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

  • March 19, 2026
  • 6 views
Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

  • March 19, 2026
  • 11 views
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે PM મોદીને સવાલ!!

  • March 19, 2026
  • 16 views
MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે  PM મોદીને સવાલ!!

America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

  • March 19, 2026
  • 6 views
America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

  • March 19, 2026
  • 16 views
PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!