કુરુક્ષેત્રમાં બ્રાહ્મણોનું મહાભારત: વાસીભોજન સામે આવતા ભૂદેવોનો પિત્તો ગયો; ફાયરિંગ

  • India
  • March 23, 2025
  • 0 Comments

કુરુક્ષેત્રમાં બ્રાહ્મણોનું મહાભારત: વાસીભોજન સામે આવતા ભૂદેવોનો પિત્તો ગયો; ફાયરિંગ

હરિયાણાના કુરુક્ષેત્રમાં એક મહાયજ્ઞ દરમિયાન મહાભારત જેવા દ્રશ્યો સર્જાયા હતા. જોકે, આ મહાભારત માટે પોતે બ્રાહ્મણો જવાબદાર હતા અને તે પણ ભોજન માટે… વાત જાણે તેમ છે કે, વાસી ભોજન સામે આવતા બ્રાહ્મણોનો પિત્તો ગયો હતો. નાની બોલાચાલી જોતજોતામાં મોટા સંઘર્ષમાં ફેરવાઈ ગઈ હતી. નોબત ફાયરિંગ સુધી આવી જતાં ઘટનાએ સ્થળ પર અરાજકતા સર્જી દીધી હતી.

ફાયરિંગ અને હિંસા
આયોજકોના સુરક્ષા ગાર્ડ્સે ફાયરિંગ કર્યું, જેમાં એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો. લખનઉ અને લખીમપુરનો આ યુવક ગોળીથી ઘાયલ થયો, જ્યારે લગભગ બે ડઝન બ્રાહ્મણોને પથ્થરમારા અને લાઠીચાર્જમાં ઇજા થઈ હતી. ઘટના બાદ ગુસ્સે ભરાયેલા બ્રાહ્મણોએ કુરુક્ષેત્ર-પેહોવા રોડ જામ કરી દીધો.

શું હતું વિવાદનું કારણ?
કુરુક્ષેત્રમાં 1008 કુંડીય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશભરમાંથી બ્રાહ્મણોને આમંત્રિત કરાયા હતા. સવારના નાસ્તામાં બાસી અને દુર્ગંધ મારતું ભોજન પીરસવામાં આવ્યું, જેનો બ્રાહ્મણોએ વિરોધ કર્યો. તેમનું કહેવું હતું કે આવું ભોજન પશુઓ પણ ન ખાય. વિરોધ દરમિયાન આયોજકોના બાઉન્સરો સાથે બોલાચાલી થઈ, જે હાથાપાઈમાં ફેરવાઈ ગઈ. બ્રાહ્મણોએ એમ પણ જણાવ્યું કે એક દિવસ પહેલાં પણ બાઉન્સરોએ તેમની સાથે મારપીટ કરી હતી અને સતત તેમનું અપમાન થઈ રહ્યું હતું.

બ્રાહ્મણો શા માટે આવ્યા?
આશીષ તિવારી નામના એક બ્રાહ્મણે મીડિયાને જણાવ્યું કે હરિઓમ બાબાએ આ યજ્ઞનું આયોજન કર્યું હતું અને 1008 બ્રાહ્મણોને બોલાવ્યા હતા. જ્યારે તેઓ નાસ્તાની ફરિયાદ લઈને બાબા પાસે જવા લાગ્યા ત્યારે બાઉન્સરે તેમને ધમકાવ્યા અને લાઠીઓથી હુમલો કર્યો. મધ્ય પ્રદેશથી આવેલા પ્રશાંત નામના બ્રાહ્મણે કહ્યું કે એક મોટા શરીરના ગાર્ડે છ ગોળીઓ ચલાવી હતી. તેમણે એમ પણ ઉમેર્યું કે આ ગાર્ડ્સને સરકારી હોવાનું કહેવાયું હતું.

આયોજકની સફાઈ
આયોજક સ્વામી હરિદાસે આ ઘટનાને યજ્ઞને બદનામ કરવાનું ષડયંત્ર ગણાવ્યું. તેમણે કહ્યું કે જો કોઈ ભૂલ થઈ હોય તો તેની તપાસ થવી જોઈએ અને દોષી સામે કાર્યવાહી થશે. તેમણે એમ પણ કહ્યું કે અહીં ઘણા લોકો છે, બધાને ઓળખવા અશક્ય છે, અને કોણ બહારથી આવીને ફાયરિંગ કરે છે તે કેવી રીતે કહી શકાય?

પોલીસનું નિવેદન
પોલીસ પ્રવક્તા નરેશ સાગવાલે જણાવ્યું કે સૈની ધર્મશાળામાં બ્રાહ્મણો નાસ્તો કરવા ગયા હતા, જ્યાં બોલાચાલી થઈ. આ દરમિયાન એક સુરક્ષાકર્મીએ ગોળી ચલાવી જેમાં એક યુવક ઘાયલ થયો. અન્ય એક યુવક પથ્થર લાગવાથી ઇજાગ્રસ્ત થયો. પોલીસે હાલ જામ ખુલ્લો કરાવી દીધો છે અને તપાસ ચાલુ છે.

  • Related Posts

    India Census: 2027 માં વસ્તી ગણતરી થશે, જાતિગત વસ્તીગણતરીનો કોઈ ઉલ્લેખ નહીં
    • June 16, 2025

    India Census 2027: ભારત સરકારે જાહેરાત કરી છે કે દેશની આગામી વસ્તી ગણતરી(India Census) વર્ષ 2027 માં હાથ ધરવામાં આવશે. આ માટે ગૃહ મંત્રાલય દ્વારા એક સૂચના બહાર પાડવામાં આવી…

    Continue reading
    New Delhi: લીગલ રાઈટ્સ કાઉન્સિલ ઈન્ડિયાની ઐતિહાસિક બેઠક: મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન, નવા નેતૃત્વની પસંદગી
    • June 16, 2025

    New Delhi: નવી દિલ્હીના કોન્સ્ટિટ્યુશનલ ક્લબ ખાતે લીગલ રાઈટ્સ કાઉન્સિલ ઈન્ડિયાની રાષ્ટ્રીય અને રાજ્ય કાર્યકારિણીની બેઠક અત્યંત સફળતાપૂર્વક સંપન્ન થઈ. આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્યામ જાજુ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

    • June 16, 2025
    • 7 views
    Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

    Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

    • June 16, 2025
    • 7 views
    Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

    Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો, શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

    • June 16, 2025
    • 11 views
    Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો,  શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

    Mahesh Jirawala missing: મહેશ જીરાવાલા કોણ છે? જે વિમાન ક્રેશની ઘટના બાદ મળ્યા નથી!

    • June 16, 2025
    • 10 views
    Mahesh Jirawala missing: મહેશ જીરાવાલા કોણ છે? જે  વિમાન ક્રેશની ઘટના બાદ મળ્યા નથી!

    Banaskantha: લૂંટ વિથ ડબલ મર્ડરની ઘટના, લૂંટારુઓએ ઊંઘમાં જ PI ના માતા-પિતાનું ઢીમ ઢાળી દીધું

    • June 16, 2025
    • 14 views
    Banaskantha: લૂંટ વિથ ડબલ મર્ડરની ઘટના, લૂંટારુઓએ ઊંઘમાં જ PI ના માતા-પિતાનું ઢીમ ઢાળી દીધું

    Surat Airport: સુરતમાં ગટર પરથી વિમાન ઉડે છે, પછી શું થાય!

    • June 16, 2025
    • 23 views
    Surat Airport: સુરતમાં ગટર પરથી વિમાન ઉડે છે, પછી શું થાય!