કુરુક્ષેત્રમાં બ્રાહ્મણોનું મહાભારત: વાસીભોજન સામે આવતા ભૂદેવોનો પિત્તો ગયો; ફાયરિંગ

  • India
  • March 23, 2025
  • 0 Comments

કુરુક્ષેત્રમાં બ્રાહ્મણોનું મહાભારત: વાસીભોજન સામે આવતા ભૂદેવોનો પિત્તો ગયો; ફાયરિંગ

હરિયાણાના કુરુક્ષેત્રમાં એક મહાયજ્ઞ દરમિયાન મહાભારત જેવા દ્રશ્યો સર્જાયા હતા. જોકે, આ મહાભારત માટે પોતે બ્રાહ્મણો જવાબદાર હતા અને તે પણ ભોજન માટે… વાત જાણે તેમ છે કે, વાસી ભોજન સામે આવતા બ્રાહ્મણોનો પિત્તો ગયો હતો. નાની બોલાચાલી જોતજોતામાં મોટા સંઘર્ષમાં ફેરવાઈ ગઈ હતી. નોબત ફાયરિંગ સુધી આવી જતાં ઘટનાએ સ્થળ પર અરાજકતા સર્જી દીધી હતી.

ફાયરિંગ અને હિંસા
આયોજકોના સુરક્ષા ગાર્ડ્સે ફાયરિંગ કર્યું, જેમાં એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો. લખનઉ અને લખીમપુરનો આ યુવક ગોળીથી ઘાયલ થયો, જ્યારે લગભગ બે ડઝન બ્રાહ્મણોને પથ્થરમારા અને લાઠીચાર્જમાં ઇજા થઈ હતી. ઘટના બાદ ગુસ્સે ભરાયેલા બ્રાહ્મણોએ કુરુક્ષેત્ર-પેહોવા રોડ જામ કરી દીધો.

શું હતું વિવાદનું કારણ?
કુરુક્ષેત્રમાં 1008 કુંડીય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશભરમાંથી બ્રાહ્મણોને આમંત્રિત કરાયા હતા. સવારના નાસ્તામાં બાસી અને દુર્ગંધ મારતું ભોજન પીરસવામાં આવ્યું, જેનો બ્રાહ્મણોએ વિરોધ કર્યો. તેમનું કહેવું હતું કે આવું ભોજન પશુઓ પણ ન ખાય. વિરોધ દરમિયાન આયોજકોના બાઉન્સરો સાથે બોલાચાલી થઈ, જે હાથાપાઈમાં ફેરવાઈ ગઈ. બ્રાહ્મણોએ એમ પણ જણાવ્યું કે એક દિવસ પહેલાં પણ બાઉન્સરોએ તેમની સાથે મારપીટ કરી હતી અને સતત તેમનું અપમાન થઈ રહ્યું હતું.

બ્રાહ્મણો શા માટે આવ્યા?
આશીષ તિવારી નામના એક બ્રાહ્મણે મીડિયાને જણાવ્યું કે હરિઓમ બાબાએ આ યજ્ઞનું આયોજન કર્યું હતું અને 1008 બ્રાહ્મણોને બોલાવ્યા હતા. જ્યારે તેઓ નાસ્તાની ફરિયાદ લઈને બાબા પાસે જવા લાગ્યા ત્યારે બાઉન્સરે તેમને ધમકાવ્યા અને લાઠીઓથી હુમલો કર્યો. મધ્ય પ્રદેશથી આવેલા પ્રશાંત નામના બ્રાહ્મણે કહ્યું કે એક મોટા શરીરના ગાર્ડે છ ગોળીઓ ચલાવી હતી. તેમણે એમ પણ ઉમેર્યું કે આ ગાર્ડ્સને સરકારી હોવાનું કહેવાયું હતું.

આયોજકની સફાઈ
આયોજક સ્વામી હરિદાસે આ ઘટનાને યજ્ઞને બદનામ કરવાનું ષડયંત્ર ગણાવ્યું. તેમણે કહ્યું કે જો કોઈ ભૂલ થઈ હોય તો તેની તપાસ થવી જોઈએ અને દોષી સામે કાર્યવાહી થશે. તેમણે એમ પણ કહ્યું કે અહીં ઘણા લોકો છે, બધાને ઓળખવા અશક્ય છે, અને કોણ બહારથી આવીને ફાયરિંગ કરે છે તે કેવી રીતે કહી શકાય?

પોલીસનું નિવેદન
પોલીસ પ્રવક્તા નરેશ સાગવાલે જણાવ્યું કે સૈની ધર્મશાળામાં બ્રાહ્મણો નાસ્તો કરવા ગયા હતા, જ્યાં બોલાચાલી થઈ. આ દરમિયાન એક સુરક્ષાકર્મીએ ગોળી ચલાવી જેમાં એક યુવક ઘાયલ થયો. અન્ય એક યુવક પથ્થર લાગવાથી ઇજાગ્રસ્ત થયો. પોલીસે હાલ જામ ખુલ્લો કરાવી દીધો છે અને તપાસ ચાલુ છે.

  • Related Posts

    Sofia Firdous: કોંગ્રેસના ધારાસભ્ય સોફિયા ફિરદોસ કોણ છે? જેઓએ ભાજપના સમર્થનમાં મતદાન કર્યું !
    • March 17, 2026

    Sofia Firdous: સોમવારે ઓડિશામાં રાજ્યસભાની ચાર બેઠકો માટે મતદાન થયું. આ ચૂંટણીમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ ક્રોસ-વોટિંગ કર્યું. આ ત્રણ ધારાસભ્યોમાં રમેશ જેના, દશરથી ગોમાંગો અને સોફિયા ફિરદોસનો સમાવેશ થાય છે.…

    Continue reading
    Rajya Sabha Elections 2026: રાજ્યસભા ચૂંટણીમાં વિપક્ષના 11 ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ ભાજપને ફળ્યું! NDAએ બાજી મારી
    • March 17, 2026

    Rajya Sabha Elections 2026: દેશમાં બંગાળ, આસામ અને તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે જેની રાજકીય પક્ષોમાં પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે તે અગાઉ રાજ્યસભા ચૂંટણીમાં NDAએ બાજી મારી…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

    • March 19, 2026
    • 3 views
    Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

    Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

    • March 19, 2026
    • 7 views
    Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

    MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે PM મોદીને સવાલ!!

    • March 19, 2026
    • 15 views
    MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે  PM મોદીને સવાલ!!

    America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

    • March 19, 2026
    • 4 views
    America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

    PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

    • March 19, 2026
    • 12 views
    PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

    Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!

    • March 19, 2026
    • 10 views
    Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને  કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!