MahaKumbh: મહાકુંભમાં ભયંકર ટ્રાફિક, કુંભમાં જવું સરળ નથી, યોગીએ શું નિયમ બહાર પાડ્યા?

  • India
  • February 11, 2025
  • 2 Comments

MahaKumbh Updates: યુપીના પ્રયાગરાજમાં મહાકુંભ 2025નો મેળો ચાલી રહ્યો છે. જોકે કુંભમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. જેથી લાખો લોકો અટવાયા છે. દેશના ખૂણે ખૂણેથી મોટી સંખ્યામાં ભક્તો ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવવા માટે અહીં પહોંચી રહ્યા છે. માઘ પૂર્ણિમા પહેલા મહાકુંભમાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા હોવાથી આ પરિસ્થિતિ ઊભી થઈ છે.

સીએમ યોગીના નિર્દેશ પર આ નિયમો લાગુ

Image

આવતીકાલે મહાકુંભમાં માઘ પૂર્ણિમાની ઉજવણી થવાની છે. જેથી કુંભ મેળામાં વધુ ભીડ ઉમટી પડી છે. જેને લઈ મુખ્યમંત્રીએ બેઠક કરી કેટલાંક નિયમો બનાવ્યા છે.

પ્રયાગરાજ શહેરમાં મહાકુંભ સ્નાન માટે બહારથી આવતા શ્રદ્ધાળુઓના વાહનોને 11 ફેબ્રુઆરીના સવારે 4:00 વાગ્યા પછી સંબંધિત રૂટની પાર્કિંગમાં પાર્કી શરુ કરાયા છે.  વ્યવસ્થામાં જરૂરી અને આકસ્મિક સેવાઓના વાહનોને છૂટછાટ રહેશે. શ્રદ્ધાળુઓના પ્રયાગરાજ શહેર અને મેળા વિસ્તારમાં સરળ અવરજવર અને સ્નાન માટે 11 ફેબ્રુઆરીના સાંજે 5:00 વાગ્યા પછી No Vehicle Zone લાગુ રહેશે. આ વ્યવસ્થામાં જરૂરી અને આકસ્મિક સેવાઓના વાહનોને છૂટછાટ રહેશે. આ ટ્રાફિક વ્યવસ્થા 12 ફેબ્રુઆરીના મેળા વિસ્તારમાંથી શ્રદ્ધાળુઓની સરળતાથી નીકળવા સુધી લાગુ રહેશે. પ્રયાગરાજ શહેર અને મેળા વિસ્તારમાં વાહનોના પ્રવેશ અને નીકળવા પર આ પ્રતિબંધ કલ્પવાસીઓના વાહનો પર પણ લાગુ રહેશે.

પ્રયાગરાજ સંગમ સ્ટેશન 9-14 ફેબ્રુઆરી સુધી  અવરજવર માટે બંધ

એક સત્તાવાર નિવેદન અનુસાર, પ્રયાગરાજ સ્ટેશનની બહાર ભારે ભીડને કારણે સ્ટેશનની બહાર આવતા શ્રદ્ધાળુઓને થઈ રહેલી અસુવિધાને કારણે, ઉત્તર રેલવે લખનઉ ડિવિઝનના પ્રયાગરાજ સંગમ સ્ટેશનને 9મી ફેબ્રુઆરીના રોજ બપોરે 1:30 વાગ્યાથી 14મી ફેબ્રુઆરીના રોજ સવારે 12:00 વાગ્યા સુધી મુસાફરોની અવરજવર માટે અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યું છે. જો કે, મહાકુંભ વિસ્તારમાં આવતા અન્ય 8 સ્ટેશનો પરથી નિયમિત અને વિશેષ ટ્રેનો સામાન્ય રીતે ચાલે છે.

 

આ પણ વાંચોઃRajkot માં ડબલ મર્ડર: બે ભાઈઓની અજાણ્યા શખ્સો દ્વારા હત્યા 

 

 

  • Related Posts

    આખરે EC-BJP ની ચોરી બહાર આવી, રાહુલ ગાંધીએ પુરાવા સાથે કાંડ બતાવ્યા, જુઓ
    • August 7, 2025

     EC-BJP: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે એક ખાસ પત્રકાર પરિષદ યોજી ભાજપ અને ચૂંટણીપંચની પોલ ખોલી નાખતાં દેશના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. એક-એક પુરાવા સાથે રાહુલ ગાંધીએ બતાવ્યા છે. આ…

    Continue reading
    Indian Airports On High Alert: વધુ એક આતંકી હુમલાના ભણકાર, સરકારના દાવા કેમ ખોટા?
    • August 7, 2025

    Indian Airports On High Alert: નવી દિલ્હી-દેશમાં આતંકી હુમલાને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. કેન્દ્રીય ગુપ્ત એજન્જસીઓ દ્વારા માહિતી મળી છે કે ભારત પર હુમલાની તૈયારીઓ થઈ રહી છે. જેથી…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Kinmemai Premium Rice: દુનિયાના સૌથી મોંઘાં ચોખા, 1 કિલોનો ભાવ જાણી ચોંકી જશો

    • August 7, 2025
    • 1 views
    Kinmemai Premium Rice: દુનિયાના સૌથી મોંઘાં ચોખા, 1 કિલોનો ભાવ જાણી ચોંકી જશો

    Technology: ચીને સૂર્યપ્રકાશમાંથી કેરોસીન, જર્મનીએ હવામાંથી પાણી બનાવ્યું, જાણો કઈ રીતે?

    • August 7, 2025
    • 3 views
    Technology: ચીને સૂર્યપ્રકાશમાંથી કેરોસીન, જર્મનીએ હવામાંથી પાણી બનાવ્યું, જાણો કઈ રીતે?

    Vote Theft: ‘રાહુલ ગાંધી સોગંદનામું કરે’, જો આરોપો ખોટા સાબિત થયા તો…

    • August 7, 2025
    • 11 views
    Vote Theft: ‘રાહુલ ગાંધી સોગંદનામું કરે’, જો આરોપો ખોટા સાબિત થયા તો…

    Surat: ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગના દરોડા, 11 દુકાનોમાંથી મીઠાઈના લીધા સેમ્પલ

    • August 7, 2025
    • 12 views
    Surat:  ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગના દરોડા, 11 દુકાનોમાંથી મીઠાઈના લીધા સેમ્પલ

    Bhavnagar: વૃધ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો, દારુ પીવા 50 રુપિયા ના આપતાં છરીના ઘા ઝીક્યા, હચમચાવી નાખતી ઘટના

    • August 7, 2025
    • 32 views
    Bhavnagar: વૃધ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો, દારુ પીવા 50 રુપિયા ના આપતાં  છરીના ઘા ઝીક્યા, હચમચાવી નાખતી ઘટના

    Gujarat: હાઇકોર્ટે સુરત દુષ્કર્મ કેસમાં ત્રીજીવાર આસારામના જામીન લંબાવ્યા

    • August 7, 2025
    • 39 views
    Gujarat: હાઇકોર્ટે સુરત દુષ્કર્મ કેસમાં ત્રીજીવાર આસારામના  જામીન લંબાવ્યા