અયોધ્યા-કાશીમાં 11થી 14 ફેબ્રુઆરી સુધી શાળાઓ બંધ; ટ્રાફિક અને ભીડ વ્યવસ્થાપન માટે નવો પ્લાન

  • India
  • February 11, 2025
  • 1 Comments
  • અયોધ્યા-કાશીમાં 11થી 14 ફેબ્રુઆરી સુધી શાળાઓ બંધ; ટ્રાફિક અને ભીડ વ્યવસ્થાપન માટે નવો પ્લાન

પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં લોકો મહાજામનો સામનો કરી રહ્યા છે. કાશી અને અયોધ્યા તરફ જતા માર્ગો પર કેટલાક કિલોમીટર સુધી મહત્તમ ટ્રાફિક જામ છે. મોટા પ્રમાણમાં આવી રહેલા શ્રદ્ધાળુંઓના ક્રાઉડને યોગ્ય રીતે મેનેજમેન્ટ કરવા માટે સીએમ યોગી આદિત્યનાથે સોમવારે મોડી રાત્રે અધિકારીઓની બેઠક યોજીને નવો પ્લાન બનાવ્યો છે.

યુપીના 28 પીસીએસ અધિકારીઓને તાત્કાલિક અસરથી મહાકુંભની વિશેષ ફરજ પર પ્રયાગરાજ મોકલવામાં આવ્યા છે, જેથી લોકોને જામની સમસ્યામાંથી રાહત મળી શકે. તેમજ અયોધ્યા-કાશીમાં 11 થી 14 ફેબ્રુઆરી સુધી શાળાઓ બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે.

મહાકુંભમાં પાંચમું માઘી પૂર્ણિમા સ્નાન (માઘ પૂર્ણિમા સ્નાન) 12 ફેબ્રુઆરીએ થશે. આવી સ્થિતિમાં સીએમ યોગી આદિત્યનાથે ટ્રાફિક અને ભીડ વ્યવસ્થાપન યોજના લાગુ કરવા સૂચના આપી છે. છેલ્લા ત્રણ દિવસથી માર્ગો પર ભારે ટ્રાફિક જામ છે. લોકો કલાકો સુધી રસ્તા પર ફસાયેલા રહે છે. આમ છતાં મહાકુંભ નગરમાં લોકોના પહોંચવાની પ્રક્રિયા ચાલુ જ છે. મહાકુંભમાં દરરોજ સરેરાશ 1.44 કરોડ લોકો સ્નાન કરે છે.

સીએમ યોગી આદિત્યનાથે ભારે ભીડને લઈને મોટી બેઠક યોજી છે. આ બેઠકમાં મહાકુંભમાં શ્રદ્ધાળુઓની સુરક્ષા અને વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં આવી હતી. સીએમ યોગીએ અધિકારીઓને સૂચના આપી છે કે મહાકુંભ દરમિયાન શ્રદ્ધાળુઓને કોઈ અસુવિધા ન થવી જોઈએ.

ભક્તોની સુરક્ષા અને વ્યવસ્થાને લઈને કોઈ બેદરકારી ન રાખવી. યુપીના 28 પીસીએસ અધિકારીઓને તાત્કાલિક અસરથી મહાકુંભ માટે વિશેષ ફરજ પર પ્રયાગરાજ મોકલવામાં આવ્યા છે.

આ પણ વાંચો-MahaKumbh: મહાકુંભમાં ભયંકર ટ્રાફિક, કુંભમાં જવું સરળ નથી, યોગીએ શું નિયમ બહાર પાડ્યા?

સોમવારે મોડી રાત્રે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વરિષ્ઠ સરકારી સ્તરના અધિકારીઓની હાજરીમાં, પ્રયાગરાજ, કૌશામ્બી, કાનપુર, સુલતાનપુર, અમેઠી, વારાણસી, અયોધ્યા, મિર્ઝાપુર, જૌનપુર, ચિત્રકૂટ, બાંદા, પ્રતાપગઢ, ભદોહી, રાયબરેલી, ગોરખપુર, મહોબા અને લખનઉ વગેરે જેવા જિલ્લાઓ, ઝોન અને રેન્જોમાં તૈનાત વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને વિભાગીય કમિશનરો સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા એક ખાસ બેઠક યોજવામાં આવી હતી અને મહાકુંભની વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી અને જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા.

એક સત્તાવાર નિવેદન અનુસાર, પ્રયાગરાજ સ્ટેશનની બહાર ભારે ભીડને કારણે સ્ટેશનની બહાર આવતા શ્રદ્ધાળુઓને થઈ રહેલી અસુવિધાને કારણે, ઉત્તર રેલવે લખનઉ ડિવિઝનના પ્રયાગરાજ સંગમ સ્ટેશનને 9મી ફેબ્રુઆરીના રોજ બપોરે 1:30 વાગ્યાથી 14મી ફેબ્રુઆરીના રોજ સવારે 12:00 વાગ્યા સુધી મુસાફરોની અવરજવર માટે અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યું છે. જો કે, મહાકુંભ વિસ્તારમાં આવતા અન્ય 8 સ્ટેશનો પરથી નિયમિત અને વિશેષ ટ્રેનો સામાન્ય રીતે ચાલે છે.

વારાણસીની પણ આવી જ હાલત છે. કાશીમાં આવી રહેલી મોટી ભીડને જોતા પ્રશાસને શહેરમાં ઘણી જગ્યાએ ફોર વ્હીલર પર પ્રતિબંધ લગાવી દીધો છે. વારાણસીની બહાર જ બહારના વાહનોને રોકવામાં આવી રહ્યા છે. ભીડવાળી જગ્યાઓ પર સીસીટીવી અને ડ્રોન કેમેરા દ્વારા નજર રાખવામાં આવી રહી છે. ભક્તોની ભીડને જોતા અનેક જગ્યાએ રૂટ બદલવામાં આવ્યા છે.

કાશી વિશ્વનાથ મંદિર પ્રશાસનના જણાવ્યા અનુસાર ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને વધારાનો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. મંદિર પ્રશાસનના જણાવ્યા અનુસાર દરરોજ લગભગ ચારથી છ લાખ ભક્તો દર્શન કરવા આવી રહ્યા છે.

સરકારી આંકડાઓ અનુસાર, 9 ફેબ્રુઆરી સુધી પ્રયાગરાજ મહાકુંભમાં 43.57 કરોડથી વધુ લોકોએ ગંગા અને સંગમમાં સ્નાન કર્યું છે. 10 ફેબ્રુઆરીએ સવારે 10 વાગ્યા સુધીમાં 63 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ગંગા અને સંગમમાં સ્નાન કર્યું હતું.

વધતી ભીડને જોતા અયોધ્યા અને વારાણસીમાં 11 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી શાળાઓ બંધ રહેશે. અયોધ્યામાં ભીડને જોતા જિલ્લા મેજિસ્ટ્રેટ સી.વી. સિંહે તમામ શાળાઓને આગામી ચાર દિવસ સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. તેમજ જો શાળાઓ ઈચ્છે તો તેઓ ઓનલાઈન વર્ગો ચલાવી શકે છે.

આ પણ વાંચો- Surat: બેંક કર્મચારીએ ગળે ફાંસો ખાઈ જીવનલીલા સંકોલી? નોકરી પર જવાનું કહી પાછો ન આવ્યો, જાણો કારણ?

Related Posts

Uttar Pradesh Politics: ભાજપાના મનોવૈજ્ઞાનિક યુદ્ધ સામે સપાની રણનીતિ, શું અખિલેશ યાદવ સત્તા હાંસલ કરી શકશે?
  • June 20, 2026

Uttar Pradesh Politics: ઉત્તર પ્રદેશના રાજકીય આકાશમાં અત્યારે વિધાનસભા ચૂંટણીને લઈને એક અજીબ ગરમાવો છે. જોકે ચૂંટણીના ભણકારા હજુ થોડા દૂર હોઈ શકે છે, પરંતુ સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીએ અત્યારથી…

Continue reading
Noida Labour Protest: મજૂરોની માંગોથી ‘ષડયંત્ર’ સુધી, નોઈડા વિરોધ પ્રદર્શન પછી રાજ્યની બેવડી રણનીતિનો ખુલાસો
  • June 20, 2026

Noida Labour Protest: ૧૩ એપ્રિલના નોઈડા શ્રમિક આંદોલનના ગુનાઈતિકરણની ઉતાવળમાં સરકાર અને પ્રશાસને એક મહત્વની વાત છુપાવી દીધી છે: શ્રમિકોએ શાંતિપૂર્ણ રીતે પોતાના અધિકારોની માંગણી કરી હતી, પરંતુ તેમને અવાજ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Uttar Pradesh Politics: ભાજપાના મનોવૈજ્ઞાનિક યુદ્ધ સામે સપાની રણનીતિ, શું અખિલેશ યાદવ સત્તા હાંસલ કરી શકશે?

  • June 20, 2026
  • 2 views
Uttar Pradesh Politics: ભાજપાના મનોવૈજ્ઞાનિક યુદ્ધ સામે સપાની રણનીતિ, શું અખિલેશ યાદવ સત્તા હાંસલ કરી શકશે?

Noida Labour Protest: મજૂરોની માંગોથી ‘ષડયંત્ર’ સુધી, નોઈડા વિરોધ પ્રદર્શન પછી રાજ્યની બેવડી રણનીતિનો ખુલાસો

  • June 20, 2026
  • 5 views
Noida Labour Protest: મજૂરોની માંગોથી ‘ષડયંત્ર’ સુધી, નોઈડા વિરોધ પ્રદર્શન પછી રાજ્યની બેવડી રણનીતિનો ખુલાસો

Education System India: શિક્ષણ વ્યવસ્થા કે શોષણ મશીન? વિદ્યાર્થીઓનું વધતું આર્થિક અને માનસિક ભારણ

  • June 20, 2026
  • 7 views
Education System India: શિક્ષણ વ્યવસ્થા કે શોષણ મશીન? વિદ્યાર્થીઓનું વધતું આર્થિક અને માનસિક ભારણ

Ram Mandir Corruption Controversy: રામ મંદિરનો જશ મોદીને : અમિત શાહ, હવે ચોરીનો અપજશ કોનો?

  • June 20, 2026
  • 6 views
Ram Mandir Corruption Controversy: રામ મંદિરનો જશ મોદીને : અમિત શાહ, હવે ચોરીનો અપજશ કોનો?

US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

  • June 19, 2026
  • 9 views
US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

  • June 19, 2026
  • 7 views
India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા