
Massive fire on ship: ગુજરાતના કંડલા બંદરથી ઓમાન તરફ જઈ રહેલા પલાઉ ફ્લેગવાળા એમટી યી ચેંગ 6 જહાજમાં અચાનક ભયંકર આગ ભભૂકી ઉઠી હતી. આગ એન્જિન રૂમમાં ફેલાતાં જહાજનો સંપૂર્ણ વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જહાજમાં 14 ભારતીય મૂળના ક્રૂ સભ્યો સવાર હતા, જેમના બચાવ માટે ભારતીય નૌસેના તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો.
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં ભીષણ આગ
ભારતીય નૌસેનાના જણાવ્યા પ્રમાણે, 29 જૂનના રોજ ઓમાનની ખાડીમાં તૈનાત INS તબારને આ દુર્ઘટનાનો એલર્ટ કૉલ મળ્યો હતો. જે બાદ નૌસેનાના 13 જવાનો અને પાંચ ક્રૂ સભ્યોએ તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કર્યું હતુ અને નાની બોટ અને હેલિકોપ્ટરની સહાયથી અગ્નિશામક ટીમે આગ બૂઝાવવાનો પ્રયાસ કર્યો અને મોટા ભાગે આગને કાબૂમાં લીધી હતી.
#IndianNavy‘s stealth frigate#INSTabar, mission deployed in the Gulf of Oman, responded to a distress call from Pulau flagged MT Yi Cheng 6, on #29Jun 25.
The vessel with 14 crew members of Indian origin, transiting from Kandla, India to Shinas, Oman, experienced a major fire… pic.twitter.com/hcwCalBW96
— SpokespersonNavy (@indiannavy) June 30, 2025
નૌસેનાના પ્રવક્તાએ આપી માહિતી
આ મામલે નૌસેનાના પ્રવક્તાએ ટ્વિટ દ્વારા જણાવ્યું કે,ભારતીય નૌસેનાના પ્રવક્તાએ આજે ટ્વિટ દ્વારા જણાવ્યું કે, 29 જૂનના રોજ ઓમાનની ખાડીમાં તૈનાત INS તબારને પલાઉ ફ્લેગ ધરાવતા એમટી યી ચેંગ 6 જહાજ તરફથી એક તાકીદનો સંદેશો મળ્યો હતો. આ જહાજ, જે કંડલાથી ઓમાનના શિનસ જઈ રહ્યું હતું, તેમાં 14 ભારતીય ક્રૂ સભ્યો હતા. જહાજના એન્જિન રૂમમાં ભયંકર આગ ફાટી નીકળી, જેના કારણે જહાજનો વીજ પુરવઠો સંપૂર્ણ ઠપ થઈ ગયો. નૌસેનાના અગ્નિશામક દળે નાની બોટ અને હેલિકોપ્ટરની મદદથી આગ બૂઝાવવાની કામગીરી શરૂ કરી. 13 નૌસૈનિકો અને 5 ક્રૂ સભ્યોએ સંયુક્ત રીતે બચાવ કાર્ય હાથ ધર્યું અને મોટા ભાગે આગને કાબૂમાં લેવામાં સફળ રહ્યા.