MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

135 લોકોની જીવ લેનારી મોરબી(Morbi) પુલ દુર્ઘટનામાં આરોપીઓ છટક બારીઓ શોધી રહ્યા છે. જોકે તેમને એક બાદ એક ઝટકા મળી રહ્યા છે. મોરબી સેશન્સ કોર્ટમાં આરોપીઓએ તેમની સામે નોંધાયેલી આઈપીસી કલમો હેઠળ ગુનો બનતો નથી તેવી દલીલ સાથે ડિસ્ચાર્જ અરજી દાખલ કરી હતી. જો કે મોરબી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે.

ગત બુધવારે અરજીની સુનાવણી દરમિયાન સરકારી વકીલ વિજય જાનીએ કરેલી દલીલો અને રજૂ કરેલા વિવિધ કોર્ટના ચુકાદાઓને ધ્યાનમાં લઈને કોર્ટે આ મોટો નિર્ણય લીધો છે.

30  ઓક્ટોબર 2022ના રોજ ગુજરાતના મોરબી શહેરમાં મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો, જેના કારણે 135 લોકોના મોત થયા હતા, 180 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ પુલનું નવીનીકરણ જયસુખ પટેલની કંપની ઓરેવા દ્વારા કરાયું હતુ. જે તૂટી પડતાં લોકોના મોત થયા હતા.  જયસુખ આ ઘટનામાં મુખ્ય આરોપી છે. તે આ કેસમાંથી છૂટકારો મેળવાનો પ્રયાસ કરી રહ્યો છે, જો કે તેની મુશ્કેલીઓ સતત વધી રહી છે.
હાલ જયસુખ જેલ બહાર ફરે છે

જયસુખ પટેલ  હાલમાં જામીન પર મુક્ત છે. સુપ્રીમ કોર્ટે તેમને 15 મહિનાની જેલ બાદ માર્ચ  2024માં જામીન આપ્યા હતા. તાજેતરના અહેવાલો અનુસાર તેને સેશન્સ કોર્ટ દ્વારા મોરબી જિલ્લામાં પ્રવેશવાની છૂટ પણ આપવામાં આવી છે. જોકે, કેસ હજુ કોર્ટમાં ચાલી રહ્યો છે, અને તેણે તાજેતરમાં ડિસ્ચાર્જ અરજી દાખલ કરી છે, દાવો કરીને કે તેમની સામે નોંધાયેલી કલમો હેઠળ ગુનો બનતો નથી.

જયસુખ પટેલના વિવાદો
  • ઓરેવા ગ્રૂપ, જે મુખ્યત્વે ઘડિયાળો બનાવે છે, તેને પુલના રિપેરનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો, જેની ટીકા થઈ.

  • મોરબી નગરપાલિકાએ હાઈકોર્ટમાં સ્વીકાર્યું કે પુલનો ઉપયોગ જોખમી હાલતમાં થતો હતો અને ખોલવા માટે મંજૂરી લેવામાં આવી નહોતી.
  • જયસુખ પટેલની મોદકતુલા (જાહેર સન્માન) ના દૃશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા, જેનાથી વિવાદ થયો.
  • આ દુર્ઘટનાએ મોરબી અને ગુજરાતમાં શોકનું મોજું ફેલાવ્યું, અને તેના કારણો તથા જવાબદારી અંગે હજુ પણ કાનૂની અને સામાજિક ચર્ચા ચાલુ છે.

આ પણ વાંચોઃ

TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના

પાકિસ્તાનના PM શાહબાઝ શરીફ હોસ્પિટલમાં દાખલ, ગૃપ્ત લેટરમાં શું થયો ખુલાસો? | Shahbaz Sharif

Rajkot: 3 શખ્સોએ યુવાને ગળે ટૂંપો દઈ છરીના ઘા ઝીંક્યા

Ahmedabad માં સૌથી મોટું દબાણ હટાવવાનું કામ ચાલુ, મુદ્દો હાઈકોર્ટમાં પહોંચ્યો

Pahalgam Attack: પહેલગામ હુમલાનો સૌથી ખતરનાક વિડિયો સામે આવ્યો

 

Related Posts

Dahod ની આંગણવાડીઓમાં બાળકોના જીવને જોખમ, અનેક જર્જરીત હાલતમાં, શું તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોવે છે?
  • August 5, 2025

Dahod: વિકસિત અને ગરવી ગુજરાતના દાવાઓ વચ્ચે ટ્રાઇબલ બેલ્ટ ગણાતા દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં આંગણવાડી કેન્દ્રોની દુર્દશા ચિંતાનો વિષય બની રહી છે. ગરબાડા નગરના નવાગામ ફળિયામાં આવેલી એક આંગણવાડીની જર્જરીત…

Continue reading
Banaskantha: આદિવાસી સમાજના વિરોધમાં ધારાસભ્ય પણ જોડાયા, કાંતિ ખરાડી કલેક્ટર કચેરીના પગથીયે બેસી ગયા
  • August 5, 2025

Banaskantha: પાલનપુરમાં જાતિનો દાખલો ન મળવાથી આદિવાસી સમાજ રોષે ભરાયો હતો અને જાતિના દાખલાને લઈ કલેક્ટર કચેરીમાં જઈ વિરોધ કર્યો. કેમકે આદિવાસી સમાજના સરકારી નોકરી મેળવનાર લોકોને સમયસર દાખલા મળતાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Russia Ukraine war: રશિયા ચીન-પાકિસ્તાનના ભાડૂતી સૈનિકો લાવ્યું, ઝેલેન્સકીના દાવાનો પાકિસ્તાને શું આપ્યો જવાબ?

  • August 5, 2025
  • 7 views
Russia Ukraine war: રશિયા ચીન-પાકિસ્તાનના ભાડૂતી સૈનિકો લાવ્યું, ઝેલેન્સકીના દાવાનો પાકિસ્તાને શું આપ્યો જવાબ?

Dahod ની આંગણવાડીઓમાં બાળકોના જીવને જોખમ, અનેક જર્જરીત હાલતમાં, શું તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોવે છે?

  • August 5, 2025
  • 8 views
Dahod ની આંગણવાડીઓમાં બાળકોના જીવને જોખમ, અનેક જર્જરીત હાલતમાં, શું તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોવે છે?

‘ભારતની જમીન પર ચીનનો કબજો’, રાહુલના નિવેદનનો કોર્ટે આધાર માગ્યો, શું આપશે જવાબ? | Supreme court

  • August 5, 2025
  • 17 views
‘ભારતની જમીન પર ચીનનો કબજો’, રાહુલના નિવેદનનો કોર્ટે આધાર માગ્યો, શું આપશે જવાબ? | Supreme court

Banaskantha: આદિવાસી સમાજના વિરોધમાં ધારાસભ્ય પણ જોડાયા, કાંતિ ખરાડી કલેક્ટર કચેરીના પગથીયે બેસી ગયા

  • August 5, 2025
  • 12 views
Banaskantha: આદિવાસી સમાજના વિરોધમાં ધારાસભ્ય પણ જોડાયા,  કાંતિ ખરાડી કલેક્ટર કચેરીના પગથીયે બેસી ગયા

મોદીએ અમિત શાહ સાથે સંબંધો કાપી નાંખ્યા હતા, શાહ સાથે ફોટો ન આવે તેની કાળજી લેતાં | Amit shah

  • August 5, 2025
  • 31 views
મોદીએ અમિત શાહ સાથે સંબંધો કાપી નાંખ્યા હતા, શાહ સાથે ફોટો ન આવે તેની કાળજી લેતાં | Amit shah

Morbi: AAP ની સભામાં લાફાવાળી, ઈસુદાન ગઢવીને સવાલ પૂછનાર યુવકને પડ્યો લાફો

  • August 5, 2025
  • 21 views
Morbi: AAP ની સભામાં લાફાવાળી, ઈસુદાન ગઢવીને સવાલ પૂછનાર યુવકને પડ્યો લાફો