MPમાં નકલી ડોક્ટરે 7 લોકોની હાર્ટ સર્જરી કરતાં મોત, આયુષ્માન યોજનાના દુર્પયોગની આશંકા

  • India
  • April 7, 2025
  • 0 Comments

Fake doctor Narendra Vikramaditya Yadav MP:  મધ્ય પ્રદેશમાં એક નકલી ડોક્ટરે 7 લોકોની હાર્ટ સર્જરી મારી નાખ્યા છે. નરેન્દ્ર વિક્રમાદિત્ય યાદવના ભાજપ સાથે તાર હોવાનું કહેવાઈ છે. આક્ષેપ છે કે  ભાજપના ઓથા હેઠળ તે નકલી ડોક્ટર બની ફૂલ્યો ફાલ્યો હતો.

પોતાને ઈગ્લેન્ડના ડોક્ટર ગણાવતાં નરેન્દ્ર વિક્રમાદિત્ય યાદવ વિરુધ્ધ મધ્યપ્રદેશના દમોહમાં પોલીસ મથકમાં FIR દાખલ થઈ છે. ઈગ્લેન્ડમાં ભણી પોતાનું નામ ‘જોન કેમ’ રાખી મધ્ય પ્રદેશમાં 7 લોકોની હાર્ટ સર્જરી કરી હતી. જે તમામના મોત થઈ ગયા છે.

તે દામોહ જિલ્લાની એક મિશનરી હોસ્પિટલનો કાર્ડિયોલોજિસ્ટ હતો. વિક્રમાદિત્ય પર નકલી ડિગ્રીની મદદથી ડોક્ટર બનીને લોકો પર ઓપરેશન કરવાનો આરોપ છે. તેને આપરેશન કરેલા 7 દર્દીઓના મોત થયા છે. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC) એ પણ આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે.

પોલીસે જણાવ્યું છે કે નકલી દસ્તાવેજોની મદદથી ડોક્ટર બનીને દર્દીઓ સાથે છેતરપિંડી અને સારવાર કરવાનો કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આરોગ્ય વિભાગના CMHO એ ફરિયાદ કરી હતી કે ડૉ. નરેન્દ્ર જોન કામ એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી છેતરપિંડીથી કરી રહ્યો છે. ડૉ. જોન કેમના દસ્તાવેજો શંકાસ્પદ જણાયા છે.

જ્યારે NHRC સભ્ય પ્રિયાંક કાનુન્ગોએ જણાવ્યું છે કે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની એક ટીમ આ મામલાની તપાસ માટે 7 થી 9 એપ્રિલ સુધી દામોહમાં રહેશે. NHRCમાં એક સ્થાનિક રહેવાસી દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ મુજબ, હોસ્પિટલમાં કામ કરતા ડૉ. એન. જોન કામે વિદેશમાં શિક્ષિત અને તાલીમ પામેલા હોવાનો દાવો કર્યો હતો.

ફરિયાદીએ દાવો કર્યો હતો કે તે વ્યક્તિનું સાચું નામ નરેન્દ્ર વિક્રમાદિત્ય યાદવ છે. ફરિયાદમાં એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે તેમણે બ્રિટનના પ્રખ્યાત કાર્ડિયોલોજિસ્ટ પ્રોફેસર જોન કેમના નામનો દુરુપયોગ કરીને દર્દીઓને ગેરમાર્ગે દોર્યા અને તેમની ખોટી સારવારને કારણે દર્દીઓના મૃત્યુ થયા.

શુક્રવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં કાનુન્ગોએ લખ્યું હતું કે દમોહની એક મિશનરી હોસ્પિટલમાં 7 લોકોના અકાળ મૃત્યુનો મામલો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક નકલી ડૉક્ટર હૃદય રોગની સારવાર કરી રહ્યો હતો. ફરિયાદ મુજબ, ઉપરોક્ત મિશનરી હોસ્પિટલ પ્રધાનમંત્રી આયુષ્માન યોજના હેઠળ આવે છે, તેથી સરકારી ભંડોળનો પણ દુરુપયોગ થયો છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે તપાસનો આદેશ આપ્યો છે.

ભાજપની તરફેણમાં પોસ્ટ કરતો હતો

નકલી વિદેશી ડો. નરેન્દ્ર વિક્રમાદિત્ય યાદવ તેના પૂર્વ હેન્ડલ પર ભાજપની તરફેણમાં પોસ્ટ કરતો હતો. આ સાથે તે કોંગ્રેસ અને રાહુલ ગાંધીને સતત ટ્રોલ કરતો હોવાના આરોપ છે. આ કારણે તેઓ ભાજપના નેતાઓના પ્રિય રહ્યા છે. હવે જ્યારે સત્ય બહાર આવ્યું છે, ત્યારે કોંગ્રેસ સતત શાબ્દિક હુમલા કરી રહી છે. તે જ સમયે, ભાજપના નેતાઓએ સમગ્ર મુદ્દા પર મૌન પાળી લીધું છે.

 

આ પણ વાંચોઃ  Ahmedabad: જીવરાજ પાર્ક ચાર રસ્તા પાસે મકાનમાં આગ, માતા અને બાળકનું મોત

આ પણ વાંચોઃ  Share Market: રુ. 19 લાખ કરોડનું નુકસાન, સેન્સેક્સ ખુલતાની સાથે જ 3000 પોઈન્ટથી વધુ ઘટ્યો

આ પણ વાંચોઃ  Share Market: રુ. 19 લાખ કરોડનું નુકસાન, સેન્સેક્સ ખુલતાની સાથે જ 3000 પોઈન્ટથી વધુ ઘટ્યો

આ પણ વાંચોઃ ડીસા અગ્નિકાંડમાં વધુ એક ઈજાગ્રસ્તે દમ તોડ્યો મૃત્યુઆંક 22 પર પહોંચ્યો |DEESA |

 

Related Posts

Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ
  • June 16, 2025

‘બોયફ્રેન્ડે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો’ બોયફ્રેન્ડે જ હત્યા કર્યાના આક્ષેપ હત્યારાનું પગેરું મેળવવાના પોલીસના પ્રયાસ Sheetal Simmi Chaudhary Murder Mystery: આજે 16 જૂને હરિયાણાની ઉભરતી મ્યુઝિક વિડિયો કલાકાર અને મોડેલ…

Continue reading
India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી
  • June 16, 2025

India Census: કેન્દ્ર સરકારે ભારતની વસ્તીગણતરી કરવાની તારીખો જાહેર કરી દીધી છે. જોકે સરકારે પહેલા કહ્યું હતુ કે જાતિગત વસ્તી ગણતરી થશે. જો કે આજે બહાર પાડેલા જાહેરનામામાં જાતિગત વસ્તી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

  • June 16, 2025
  • 8 views
Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

  • June 16, 2025
  • 14 views
India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

  • June 16, 2025
  • 11 views
Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

  • June 16, 2025
  • 9 views
Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

  • June 16, 2025
  • 25 views
Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો, શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

  • June 16, 2025
  • 19 views
Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો,  શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી