નેપાળમાં પૂર્વ PMની પત્નીને જીવતી સળગાવી, ઓલીએ PM પદેથી રાજીનામું આપ્યું છતાં પ્રદર્શનો ઉગ્ર | Nepal Violence

  • World
  • September 9, 2025
  • 0 Comments

Nepal Violence: નેપાળમાં લાંબા સમથી ચાલતાં ભ્રષ્ટાચાર, સરમુખત્યાર સામે લોકોએ ઉગ્ર વિરોધ કર્યો છે. આ વચ્ચે  એક હચમચાવી નાખતાં સમાચાર આવ્યા છે. પ્રદર્શનકારીઓના ટોળાએ દેશના પૂર્વ વડા પ્રધાન ઝાલનાથ ખનાલના ઘર પર હુમલો કર્યો અને તેને આગ લગાવી દીધી. આ ઘટનામાં ખનાલના પત્ની રાજ્યલક્ષ્મી ચિત્રકરને પણ નિશાન બનાવ્યા હતા. તેઓ ખરાબ રીતે દાઝી ગયા હતા અને તેમનું મૃત્યુ થયું છે. આ ઘટના દલ્લુ સ્થિત તેમના નિવાસસ્થાને બની હતી, જ્યાં વિરોધીઓએ તેમને ઘરની અંદર ઘેરી લીધા હતા અને આગ લગાવી દીધી હતી. ઘણા નેતાઓને દોડાવી દોડાવીને માર મારવામાં આવ્યો છે.

સારવાર દરમિયાન મોત

પરિવારના સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમને ગંભીર હાલતમાં કીર્તિપુર બર્ન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું. આ ઘટનાથી મૃતકોની સંખ્યામાં વધારો થયો છે. સોમવારથી શરૂ થયેલ જનરલ-જી વિરોધ હવે વધુ હિંસક બન્યો છે. અધિકારીઓએ હજુ સુધી આ હુમલા અંગે કોઈ નિવેદન બહાર પાડ્યું નથી.

સેના દ્વારા ખાનલને બચાવી લેવામાં આવ્યા

સીપીએન (યુનિફાઇડ સોશિયાલિસ્ટ) ના નેતા નરેશ શાહીના જણાવ્યા અનુસાર પ્રદર્શનકારીઓએ ઘરની અંદર આગ લગાવી દીધી હતી જેના કારણે તેણી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. તેમના જણાવ્યા મુજબ જ્યારે પ્રદર્શનકારીઓએ ઘરને આગ લગાવી ત્યારે તે તેના પુત્ર નિર્ભિક ખાનલ સાથે ઘરે હતી. આગમાં લપેટાયા બાદ તેણે છાવણીમાં આવેલી નેપાળ આર્મી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. શાહીના જણાવ્યા મુજબ તે આઈસીયુમાં સારવાર આપવામાં આવી હતી પરંતુ તે ખરાબ રીતે દાઝી ગઈ હતી. આ કારણે, તેને કીર્તિપુર હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જો કે મોત થઈ ગયુ. જ્યારે ઘરમાં આગ લાગે તે પહેલાં જ નેપાળ આર્મી દ્વારા પૂર્વ PM ઝાલનાથ ખાનલને બચાવી લેવામાં આવ્યા હતા.

ઝાલાનાથ ખાનાલ નેપાળના 35મા વડા પ્રધાન રહ્યા છે અને ફેબ્રુઆરી 2011 થી ઓગસ્ટ 2011 સુધી આ પદ સંભાળ્યું હતું. તેઓ નેપાળની કમ્યુનિસ્ટ પાર્ટીના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે અને CPNના બંધારણ સભા સંસદીય પક્ષના નેતા તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.

નેપાળમાં ભારે હિંસા કેમ?

નેપાળમાં થઈ રહેલી હિંસા માત્ર સોશિયલ મિડિયા પરનો પ્રતિબંધ એકલો નથી. નેપાળમાં લાંબા સમયથી લોકો ભ્રષ્ટાચાર, બેરોજગારી અને સરકારની તાનાશાહી સહન કરી રહ્યા હતા. ત્યારે હવે લોકોનો રોષ ફાટી નીકળ્યો છે. આ રોષ ત્યારે વધુ ઉગ્ર બન્યો જ્યારે કેટલાંક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ (જેમ કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ) પર 3 સપ્ટેમ્બર, 2025થી લાદવામાં આવ્યો. આ પ્રતિબંધ નેપાળ સરકારે સોશિયલ મીડિયા કંપનીઓને સ્થાનિક કચેરી સ્થાપવા અને ટેક્સપેયર તરીકે નોંધણી કરાવવાના નવા કાયદાનું પાલન ન કરવાને કારણે લગાવ્યો હતો. આ નિર્ણયનો Gen-Z યુવાનોએ ઉગ્ર વિરોધ કર્યો, જેને તેઓએ અભિવ્યક્તિની સ્વતંત્રતા પર હુમલો ગણાવ્યો.

ઉપરાંત યુવાનોએ સરકાર પર ભ્રષ્ટાચાર, ખરાબ પ્રશાસન અને સત્તાના દુરુપયોગના આરોપો લગાવ્યા, જેના કારણે વિરોધ વધુ તીવ્ર બન્યો. ગૃહમંત્રી રમેશ લેખક, કૃષિ મંત્રી રામનાથ અધિકારી અને આરોગ્ય મંત્રી પ્રદીપ પૌડેલે રાજીનામું આપ્યું, અને વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ પણ 9 સપ્ટેમ્બર, 2025ના રોજ રાજીનામું આપ્યું. વિરોધની તીવ્રતાને જોતાં સરકારે સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ હટાવ્યો અને તપાસ માટે સમિતિની રચના કરવાની જાહેરાત કરી.

રાજાશાહીની માંગ

બીજી તરફ, માર્ચ 2025માં રાજાશાહીની માંગ સાથે રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી (RPP) દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શનોમાં પણ હિંસા થઈ, જેમાં 2 લોકોના મોત થયા અને 105 લોકોની ધરપકડ કરવામાં આવી. આ પ્રદર્શનોમાં રાજાશાહી સમર્થકોએ ભ્રષ્ટાચાર અને ખરાબ શાસનનો વિરોધ કરતાં સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા.

  • Related Posts

    Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી
    • December 13, 2025

    Messi Event: કોલકાતામાં લોકપ્રિય ફૂટબોલર મેસ્સીની એક ઝલક મેળવવા માટે સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં ઉમટેલા ચાહકો વચ્ચે મેસ્સી જલ્દી સ્ટેડિયમ છોડી જતા રહેતા રોષે ભરાયેલા ચાહકોએ તોડફોડ કરી હતી અને ભારે…

    Continue reading
    Australia: ઓસ્ટ્રેલિયામાં આજથી બાળકો માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ નહીં કરી શકે! PM અલ્બેનીઝે કહ્યું – બાળકોને ‘બાળપણ’ મળશે
    • December 10, 2025

    Australia: આખરે આજથી ઓસ્ટ્રેલિયામાં બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહિ કરી શકે અને 16 વર્ષથી ઓછી વયજૂથના બાળકોના સોશિયલ મીડિયા વાપરવા ઉપર કડક પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝના…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે!પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!

    • December 14, 2025
    • 2 views
    Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે!પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!

    Carbocell Well Illegal Mining: સુરેન્દ્રનગર પંથકમાં કરોડોના કોલસાનો ‘કાળો કારોબાર!’100 ખાણો ઉપર દરોડા પડતા માફિયાઓમાં ફફડાટ

    • December 14, 2025
    • 6 views
    Carbocell Well Illegal Mining: સુરેન્દ્રનગર પંથકમાં કરોડોના કોલસાનો ‘કાળો કારોબાર!’100 ખાણો ઉપર દરોડા પડતા માફિયાઓમાં ફફડાટ

    Padaliya News: બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

    • December 14, 2025
    • 22 views
    Padaliya News: બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

    Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

    • December 13, 2025
    • 6 views
    Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

    H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

    • December 13, 2025
    • 7 views
    H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

    Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

    • December 13, 2025
    • 7 views
    Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને  મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!