
Operation Sindoor:ભારતમાં પહેલગામના આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન ઉપર એર સ્ટ્રાઈક કરી હતી જેને ઓપરેશન સિંદૂર નામ અપાયું હતું જેમાં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું આ યુદ્ધમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું હોવાનો ખુલાસો અમેરિકાના USCCના રિપોર્ટમાં કરવામાં આવતા દુનિયાભરમાં ભારતની ફજેતી થઈ રહી છે.
મે 2025માં પહલગામ હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેના ચાર દિવસના યુદ્ધમાં પાકિસ્તાને મોટી લશ્કરી સફળતા મેળવી હોવાનું રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે.આ અહેવાલમાં પહલગામ હુમલાને આતંકવાદી હુમલો ગણવાને બદલે “બળવાખોર હુમલો” તરીકે દર્શાવ્યો છે.
800 પાનાંના આ રિપોર્ટને યુએસ-ચાઇના ઇકોનોમિક એન્ડ સિક્યોરિટી રિવ્યૂ કમિશન (USCC)એ જાહેર કર્યો છે.કોંગ્રેસના નેતા જયરામ રમેશની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેઓએ કહ્યું છે કે હવે “શું વડાપ્રધાન અને વિદેશ મંત્રાલય આ રિપોર્ટ સામે પોતાનો વાંધો કે વિરોધ નોંધાવશે ખરા ?
આ રિપોર્ટને કારણે આપણી રાજદ્વારીને વધુ એક મોટો ફટકો લાગ્યો છે.”
યુએસસીસીનું કહેવું છે કે ચીને ભારત-પાકિસ્તાન યુદ્ધનો ઉપયોગ લાઈવ વોરમાં તેનાં આધુનિક શસ્ત્રોનું પરીક્ષણ કરવા અને તેમને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવા માટે કર્યો હતો.લડાઈ પછી વિશ્વભરમાં ચીનના દૂતાવાસોએ તેમનાં શસ્ત્રોની પ્રશંસા કરી અને કહ્યું કે પાકિસ્તાને એનો ઉપયોગ ભારતીય લડાકુ વિમાનોને તોડી પાડવા માટે કર્યો હતો.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાને ભારતનાં નવાં રાફેલ જેટ સહિત ઓછાંમાં ઓછાં છ ભારતીય લડાકુ વિમાનોને તોડી પાડવાનો દાવો કર્યો છે.આનાથી રાફેલ જેટની છબિ ખરાબ થઈ ગઈ.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હકીકતમાં ત્રણ ભારતીય વિમાનને તોડી પાડવામાં આવ્યાં હતા પરંતુ ચીને પાકિસ્તાનના આ દાવાઓનો ઉપયોગ તેનાં શસ્ત્રોનું વેચાણ કરવા માટે કરી છ રફેલ વિમાન ગણાવ્યા હતા.રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાનને આ યુદ્ધમાં ચીને શસ્ત્રો આપ્યા હતા જે વિશ્વને તેની લશ્કરી શ્રેષ્ઠતા દર્શાવે છે. એમાં જણાવાયું છે કે પાકિસ્તાને ચીનની HQ-9 વાયુ સંરક્ષણ પ્રણાલી, PL-15 મિસાઇલો અને J-10 ફાઇટર જેટનો ઉપયોગ કર્યો હતો.
ભારતનો દાવો છે કે આ સમયગાળા દરમિયાન પાકિસ્તાનને પણ ચીની ગુપ્ત માહિતી મળી હતી. પાકિસ્તાન આ વાતનો ઇનકાર કરે છે અને ચીને પણ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી. અહેવાલો અનુસાર, 2019થી 2023 વચ્ચે પાકિસ્તાનની 82% શસ્ત્રોની આયાત ચીનથી થઈ હતી.
દરમિયાન, USCCના રિપોર્ટથી ભારે ખળભળાટ મચ્યો છે ત્યારે આ રિપોર્ટ બહાર પાડનાર USCC શુ છે?તે જાણો
યુએસસીસી એક દ્વિપક્ષીય કમિશન છે, કે જે રિપબ્લિકન અને ડેમોક્રેટિક બંને પક્ષો દ્વારા ચીન-યુએસ આર્થિક અને સુરક્ષા સંબંધોને સંતુલિત રીતે દેખરેખ રાખવા માટે બનેલું છે ટૂંકમાં
USCC એક અમેરિકન કમિશન છે, જે દર વર્ષે ચીન શું કરી રહ્યું છે અને વિશ્વ પર એની શું અસર પડી રહી છે એનો અહેવાલ બહાર પાડે છે.
આ વખતે રિપોર્ટમાં ચીનની નીતિઓ, તેની આર્થિક ક્ષમતા, લશ્કરી પડકાર, ટેકનોલોજી સ્પર્ધા અને સપ્લાય ચેઇન સહિત ઘણાં મહત્ત્વપૂર્ણ જોખમોની જાણકારી મેળવવામાં આવી હતી
આ રિપોર્ટનો ઉદ્દેશ કોંગ્રેસ અને યુએસ નીતિ નિર્માતાઓને ચીન દ્વારા ઊભા થયેલા પડકારોનો સામનો કેવી રીતે કરવો એ અંગે ભલામણો પૂરી પાડવાનો છે.તેવે સમયે પાકિસ્તાન સામેના યુદ્ધમાં ભારતની હાર થઈ હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે અને તેમાં ચીને પાકિસ્તાનને શસ્ત્રો પુરા પાડ્યા હોવાનો દાવો કર્યો છે.
આમ,પાકિસ્તાન સામે ભારતની પ્રથમ વખત હાર થઈ હોવાના રિપોર્ટથી દુનિયાભરમાં ભારતની ફજેતી થઈ છે.
મહત્વનું છે કે ભારતીય હુમલાઓ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં ૨૨ એપ્રિલ ૨૦૨૫ના રોજ થયેલા આતંકવાદી હુમલાના જવાબરૂપે હતા. એ આતંકવાદી હુમલાની જવાબદારી પાકિસ્તાન-પ્રેરિત ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ નામના આતંકવાદી સંગઠને સ્વીકારી હતી જેમાં ઓછામાં ઓછા ૨૮ નાગરિકો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગના હિન્દુ પ્રવાસીઓ હતા. ભારત મુજબ પાકિસ્તાને હુમલાખોરોને ટેકો આપ્યો હતો, જોકે પાકિસ્તાને દર વખતની જેમ આરોપોને નકારી કાઢ્યા. આ કાર્યવાહીથી ૨૦૨૫ના ભારત-પાકિસ્તાન સ્ટેન્ડઓફમાં તણાવ વધ્યો, જે વ્યાપક કાશ્મીર સંઘર્ષનો એક ભાગ હતો. ભારતે પોતાની આત્મરક્ષા માટે આતંકવાદીઓના ઠેકાણા નાશ કરવાને જરૂરી ઠેરાવ્યું હતું અને ૨૧ ઠેકાણામાંથી ૯ ઠેકાણાં પાકિસ્તાનની અંદર ઘૂસીને નષ્ટ કર્યા હોવાનો દાવો કર્યો હતો.
બીજી તરફ હમણાં આવેલા રિપોર્ટમાં આ સંઘર્ષમાં પાકિસ્તાન સામે ભારતની હાર થઈ હોવાનો દાવો કરાયો છે.
આ પણ વાંચો:
Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓનો અશ્લિલ ડાન્સ, વીડિયો વાયરલ થતા વિવાદ
Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી
Rajasthan: BJP કાર્યકર્તાઓએ કેન્સરના દર્દીઓને બિસ્કિટ આપ્યા, ફોટા પડાવ્યા અને બિસ્કીટ પાછા લઈ લીધા







