
Gujarat Police : ઓપરેશન સિંદૂર (Operation Sindoor) બાદ પાકિસ્તાન (Pakistan) ભારત (India) પર સતત હુમલાઓ કરી રહ્યું છે. જેથી હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિનું નિર્માણ થયુ છે. તેવામાં ભારત સરકાર પણ દરેક પરિસ્થતિને પહોંચી વળવા માટે એલર્ટ બન્યું છે. ભારત પાકિસ્તાનની દરેક ગતિવિધીઓ પર નજર રાખી રહ્યું છે તેમજ સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટેની પણ તૈયારીઓ શરુ કરી દીધી છે તેવામાં સરહદી વિસ્તારોમાં તેમજ દરિયાઈ માર્ગો પર પણ સરકારે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે. ત્યારે ગુજરાત સરકાર પણ દરિયાઈ માર્ગો પર સતર્કતા રાખી રહી છે.
ગુજરાતના દરિયા કિનારાઓ પર પોલીસનો પહેરો
મળતી માહિતી મુજબ ભારત- પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિને જોતા સરકારે દરિયાઈ પટ્ટી પર કડક સુરક્ષા ગોઠવી દીધી છે તેમજ દરિયા કિનારાઓ ઉપર પોલીસનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે આ બધાની વચ્ચે સુરતમાં પણ દરિયા કિનારાઓ પર સુરક્ષાને લઈને પોલીસ એલર્ટ બની છે. શહેરના છેવાડે આવેલા સુંવાલી બીચ પર પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. તેમજ હજીરા પોલીસ દ્વારા દરિયા કિનારે પેટ્રોલિંગ હાથ ધરવામા આવ્યું હતું. આ સાથે સુરતના ઓલપાડ દરિયા કિનારાઓ પર જિલ્લા પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
સુરત પોલીસ કમિશનરે સ્થાનિક માછીમારો અને લોકો સાથે કરી બેઠક
સુરત પોલીસ કમિશનરે સ્થાનિક માછીમારો અને જે સ્થાનિક લોકો સાથે એક બેઠક પણ યોજી હતી. જેમાં માછીમારોને જરૂરિયાત ન હોય તો દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે.
આ સાથે માછીમારોને સુચના આપવામા આવી છે કે, કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો તાત્કાલિક પોલીસને જાણકારી આપે. આ સાથે પોલીસે સ્થાનિક માછીમારોનું એક whatsapp ગ્રુપ બનાવડાવ્યું છે. જેમાં માછીમારોને દરેક ગતિવિધિ અંગે અપડેટ આપવામા આવી રહી છે.
દ્વારકામાં તંત્ર દ્વારા માછીમારો માટે જાહેરનામું પ્રસિદ્ધ
દ્વારકામાં તંત્ર દ્વારા માછીમારો માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં સમુદ્રમાં તેજ પવન સાથે ઊંચા મોજાં ઉછળવાની શક્યતાથી સાવધાની રાખવાની તાકિદ કરાઈ છે.
આ પણ વાંચોઃ
પાકિસ્તાનમાં આતંકીઓની લાશોને રાષ્ટ્રધ્વજમાં લપેટી અંતિમસંસ્કાર, મિશ્રીએ શું કહ્યું? | india
Nadiad માં મહિલાનો હાથ ખેંચી ગાડીમાં બેસાડી છેડતી કરનાર માથાભારે શખ્સ ઝડપાયો
Operation Sindoor: દેશભક્તિનો રંગ, બિહારમાં જન્મ્યા 12 સિંદૂર અને સિંદૂરી
Operation Sindoor: પંજાબના ગુરદાસપુરમાં રોજ 8 કલાક અંધકાર છવાશે, જાણો સૌથી મોટું કારણ?
‘ઓપરેશન સિંદૂર’ના નામે મુકેશ અંબાણી ધંધો કરવા કેમ માગે છે? | Operation Sindoor