
Surat: 22 અપ્રિલે જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં 30 જેટલાં લોકોનો જીવ ગયા છે. જેમાં બે વિદેશી, મહારાષ્ટ્ર, ઓડિશા, બિહાર, મધ્ય પ્રદેશ, ગુજરાતના પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે. ત્યારે ત્રણ ગુજરાતીઓના મૃતદેહ ગઈકાલ સાંજે ગુજરાત લાવવામાં આવ્યા હતા. જે બાદ આજે ભાવનગરના વતની યતીસભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિતભાઈ પરમારના અંતિમ સંસ્કાર કરાયા છે. જ્યારે સુરતમાં શૈલેષ કળથિયાની અંતિમ સંસ્કાર કરાયા છે. બંનેને સ્થળોએ હજ્જારોની સંખ્યામાં લોકો અંતિમયાત્રામાં જોડાયા હતા.
ભાવનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા. જ્યાં મૃતકોના પરિવાર સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી. અને ઘટનાની જાણકારી મેળવી હતી. તો બીજી તરફ સુરતમાં જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ પહોંચ્યા હતા. જ્યાં મૃતકની પત્ની શીતલ કળથિયાએ પાટીલને ખખડાવી ઉધડો લીધો હતો.
તમારી પાછળ કેટલાં વીઆઈપી હોય છે? કેટલી ગાડીઓ હોય છે?
મૃતક શૈલેષ કળથિયાની પત્ની શિતલબેને પોતાની વ્યથા ઠાલવતા પાટીલને કહ્યું કે, સરકાર સુરક્ષા પુરી પાડી શકી નથી. આજ પછી મત જ ન આપતા. વધુમાં કહ્યું જ્યાં ટુરિસ્ટ જગ્યા હતી ત્યા કોઈ પોલીસ કે અર્મીમેન ન હતુ. ફર્સ્ટ એડ કિટ સહિતની કોઈ સુવિધા ન હતી. એક આર્મીમને કહ્યું હતુ કે તમે ઉપર ફરવા શું કરવા જાવ છો?. જો જવાય એવું ન હતુ તો અમને જવા કેમ દીધા? પત્નીએ વધુમાં કહ્યું હતુ કે તમારી પાછળ કેટલાં વીઆઈપી હોય છે? કેટલી ગાડીઓ હોય છે? તમારો જીવ, જીવ છે, ટેક્સ પે કરે છે તેમના જીવ નથી. આ કેવી સરકાર છે?
અમિત શાહ પર શું આક્ષેપ?
દેશમાં ગૃહમંત્રી અમિત શાહ સામે રોષ ઠાલવી રહ્યા છે. કારણ કે દેશના નાગરિકોની સુરક્ષા કરવી તેમની જવાબદારી છે. અને કાશ્મિરમાં ખાસ કરીને સુરક્ષાની જવાબદારી કેન્દ્ર સરકાર અને અમિત શાહની બને છે. અમિત શાહે કાશ્મીર મુલાકાત લીધી ત્યારે પણ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. આ મુલાકાત દરમિયાનના કેટલાંક વિડિયો મ્યૂટ કર્યાના અમિત શાહ પર આક્ષેપ લાગ્યા છે.
આ પણ વાંચોઃ
PM Modi Bihar Visit: આતંકી હુમલાથી દેશ શોકમગ્ન, મોદી બિહારમાં પંચાયતીરાજ દિનની ઉજવણીમાં!
ઘૂસીને મારવાની વાત અમને ના કહો, રક્ષાનો મામલો છે, કરી બતાવો: સંજય રાઉત
Pakistan X Account Block: પાકિસ્તાન સરકારનું સત્તાવાર X એકાઉન્ટ ભારતમાં બ્લોક
Terrorism Protest: ભાવનગર, રાજકોટમાં આતંકવાદનો વિરોધ, શું કરી માંગ?
Pahalgam Terrorist Attack: પહેલગામ હુમલા મામલે પાકિસ્તાની રક્ષામંત્રીએ શું કહ્યું?