પરેશ રાવલ બાદ આ અભનેત્રીએ પણ પોતાનું મૂત્ર પીધાનું સ્વીકાર્યું! | Paresh Rawal | Anu Aggarwal |

Paresh Rawal, Anu Aggarwal,urine drank: તાજેતરમાં પરેશ રાવલે એક ચોંકાવનારો દાવો કર્યો હતો. તેણે કહ્યું હતુ કે ઘૂંટણની ગંભીર ઈજાથી સાજા થવા માટે તેણે પોતાનો પેશાબ(મૂત્ર) પીધો હતો. પરેશ રાલવલ આ નિવેદન પછી ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે. પરેશ રાવલની આ વાત સાંભળી મોટાભાગના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. કેટલાક તેને જૂઠાણું કહી રહ્યા હતા તો કેટલાક તેને સત્ય કહી રહ્યા હતા. આ વચ્ચે હવે ‘આશિકી’ ગર્લ અનુ અગ્રવાલ પરેશ રાવલના સમર્થનમાં સામે આવી છે. તેણે તેને અમૃત કહ્યું અને દાવો કર્યો કે પરેશ રાવલ સાચા છે અને પોતે પણ પોતાનો પેશાબ પીધો હોવાનો દાવો કર્યો છે.

અનુ અગ્રવાલે તાજેતરમાં જ ઇન્સ્ટા બોલિવૂડને પોતાનો ઇન્ટરવ્યુ આપ્યો હતો. આ દરમિયાન જ્યારે અનુને પરેશ રાવલ દ્વારા પેશાબ પીવા અંગે પ્રશ્ન કરવામાં આવ્યો. પછી અભિનેત્રીએ ખુલાસો કર્યો કે તેણીએ પોતે એક વખત પોતાનો પેશાબ પીધો હતો.

મૂત્ર અમૃત ગણાવ્યું

અનુએ કહ્યું, ‘ઘણા લોકો આ જાણતા નથી… ભલે તે અજ્ઞાન હોય કે જાગૃતિનો અભાવ, પરંતુ પેશાબ પીવાને અમરોલી કહેવામાં આવે છે, તે વાસ્તવમાં હઠયોગમાં એક આસન છે, વચ્ચેનો ભાગ અમૃત માનવામાં આવે છે.’ તેનાથી ઘડપણ દૂર થાય છે.

અનુ અગ્રવાલ (જન્મ: 11 જાન્યુઆરી 1969) એક પૂર્વ ભારતીય અભિનેત્રી અને મોડેલ છે, જેઓ 1990ના દાયકામાં હિન્દી ફિલ્મોમાં જાણીતી હતી. તેમનો જન્મ દિલ્હીમાં થયો હતો.  તેણે દિલ્હી યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્રમાં ગોલ્ડ મેડલ મેળવ્યું હતું. શાળા દરમિયાનથી જ તેઓ નાટકોમાં ભાગ લેતા હતા અને થિયેટર ગ્રૂપ પણ શરૂ કર્યું હતું. મોડેલિંગ અને વીજે તરીકે કામ કર્યા બાદ, તેમણે દૂરદર્શનની સિરિયલ “ઈસી બહાને” (1988)માં કામ કર્યું હતુ.
આશિકી ફિલ્મથી મળી હતી પ્રસિધ્ધિ
તેની સૌથી પ્રખ્યાત ફિલ્મ “આશિકી” (1990) છે, જે મહેશ ભટ્ટ દ્વારા નિર્દેશિત મ્યુઝિકલ હિટ ફિલ્મ હતી. આ ફિલ્મમાં રાહુલ રોય સાથેની તેમની જોડીએ ખૂબ લોકપ્રિયતા મેળવી, અને તે રાતોરાત સ્ટાર બની ગયા. આ પછી તેમણે “ખલનાયકા”, “ધ ક્લાઉડ ડોર”, અને “થિરુડા થિરુડા” જેવી ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ આ ફિલ્મો “આશિકી” જેટલી સફળ ન રહી.
1999માં અનુ અગ્રવાલ એક ગંભીર રોડ અકસ્માતનો ભોગ બની હતી. જેમાં તેઓ 29 દિવસ સુધી કોમામાં રહ્યા અને તેમના શરીરનો નીચેનો ભાગ પેરાલાઈઝ્ડ થઈ ગયો હતો. આ અકસ્માતે તેની અભિનય કારકિર્દી ખતમ થઈ ગઈ. પરંતુ તેણે હિંમત ન હારી અને પોતાનું જીવન નવેસરથી શરૂ કર્યું.
હાલમાં તે બિહારના મુંગેરમાં રહે છે અને બાળકોને યોગ અને રમતગમત શીખવે છે. તેણે પોતાની આત્મકથા “અનુઝુલ” લખી, જેમાં તેમના જીવનની સંઘર્ષગાથા અને પુનરાગમનની વાત છે.
હાલ  અનુ અગ્રવાલે પોતાના સ્વમૂત્ર પીધુ હોવાનું નિવેદન કર્યું છે. જેથી તે સોશિયલ મિડિયામાં ચર્ચામાં છે.

 

આ પણ વાંચો

Vadodara: 1200 કરોડ વિશ્વામિત્રી નદીમાં વહી ગયા, હવે વડોદરામાં પૂર નહિ આવે?

Amreli: ધારીમાંથી મૌલાનાની ધરપકડ, મોબાઈલમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ગૃપ મળ્યા

Ahmedabad: ચંડોળામાં ગેરકાયદે વસાહત ઉભી કરનાર લલ્લા બિહારી રાજસ્થાનથી ઝડપાયો

Vadodara: CM ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમમાંથી બે મહિલાઓને બળજબરીથી બહાર કાઢી, શું છે મામલો?

Surat: બાળક સાથે ભાગેલી 23 વર્ષિય શિક્ષિકા ગર્ભવતી, મેડિકલ રિપોર્ટમાં ઘટસ્ફોટ

Ajmer Hotel Fire: અજમેર હોટલમાં લાગેલી આગમાં 3 ગુજરાતી સહિત 4 ના મોત, બચાવકર્મીઓની હાલત બત્તર

ગોંડલમાં વટ અને વેર પરિબળ કામ કરી રહ્યું છે?, શું છે ઈતિહાસ? | Gondal

 

 

 

Related Posts

અભિનેતા ધર્મેન્દ્રની તબિયત વધુ લથડી, વિદેશમાં રહેતી પુત્રીઓ ભારત આવવા રવાના | Dharmendra | Health
  • November 10, 2025

Dharmendra Hospital Admitted: લોકપ્રિય અભિનેતા ધર્મેન્દ્રની તબિયત વધુ લથડી હોવાના અહેવાલ છે,89 વર્ષના ધર્મેન્દ્ર હાલ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ છે. ધર્મેન્દ્ર ઉંમર સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તેમના…

Continue reading
Salman khan: ભાજપ નેતાએ સલમાન ખાન સામે નોંધાવી ફરિયાદ, કારણ જાણી દંગ રહી જશો!
  • November 6, 2025

Salman khan Against Fir: ફિલ્મસ્ટાર સલમાન ખાન વિરુદ્ધ ભાજપના નેતા અને એડવોકેટ એવાઈન્દર મોહનસિંઘ હનીએ ફરિયાદ નોંધાવી છે. સલમાનખાન સામે આ ફરિયાદ પાન મસાલાની જાહેરાત કરવા બદલ થઈ છે. યુવાનોને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

  • February 1, 2026
  • 3 views
World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

  • February 1, 2026
  • 10 views
Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

  • February 1, 2026
  • 9 views
Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી   એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

  • February 1, 2026
  • 7 views
Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’

  • February 1, 2026
  • 7 views
Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’

BJP: નરેન્દ્ર મોદીએ પોતાના ‘ગુરુ’ને PM બનાવવાના સપના બતાવ્યા પણ આખરે શિષ્યજ PM બની ગયા! જાણો, આવું કેમ થયું?

  • February 1, 2026
  • 13 views
BJP: નરેન્દ્ર મોદીએ પોતાના ‘ગુરુ’ને PM બનાવવાના સપના બતાવ્યા પણ આખરે શિષ્યજ PM બની ગયા! જાણો, આવું કેમ થયું?