
Paresh Rawal, Anu Aggarwal,urine drank: તાજેતરમાં પરેશ રાવલે એક ચોંકાવનારો દાવો કર્યો હતો. તેણે કહ્યું હતુ કે ઘૂંટણની ગંભીર ઈજાથી સાજા થવા માટે તેણે પોતાનો પેશાબ(મૂત્ર) પીધો હતો. પરેશ રાલવલ આ નિવેદન પછી ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે. પરેશ રાવલની આ વાત સાંભળી મોટાભાગના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. કેટલાક તેને જૂઠાણું કહી રહ્યા હતા તો કેટલાક તેને સત્ય કહી રહ્યા હતા. આ વચ્ચે હવે ‘આશિકી’ ગર્લ અનુ અગ્રવાલ પરેશ રાવલના સમર્થનમાં સામે આવી છે. તેણે તેને અમૃત કહ્યું અને દાવો કર્યો કે પરેશ રાવલ સાચા છે અને પોતે પણ પોતાનો પેશાબ પીધો હોવાનો દાવો કર્યો છે.
અનુ અગ્રવાલે તાજેતરમાં જ ઇન્સ્ટા બોલિવૂડને પોતાનો ઇન્ટરવ્યુ આપ્યો હતો. આ દરમિયાન જ્યારે અનુને પરેશ રાવલ દ્વારા પેશાબ પીવા અંગે પ્રશ્ન કરવામાં આવ્યો. પછી અભિનેત્રીએ ખુલાસો કર્યો કે તેણીએ પોતે એક વખત પોતાનો પેશાબ પીધો હતો.
મૂત્ર અમૃત ગણાવ્યું
અનુએ કહ્યું, ‘ઘણા લોકો આ જાણતા નથી… ભલે તે અજ્ઞાન હોય કે જાગૃતિનો અભાવ, પરંતુ પેશાબ પીવાને અમરોલી કહેવામાં આવે છે, તે વાસ્તવમાં હઠયોગમાં એક આસન છે, વચ્ચેનો ભાગ અમૃત માનવામાં આવે છે.’ તેનાથી ઘડપણ દૂર થાય છે.
આ પણ વાંચો
Vadodara: 1200 કરોડ વિશ્વામિત્રી નદીમાં વહી ગયા, હવે વડોદરામાં પૂર નહિ આવે?
Amreli: ધારીમાંથી મૌલાનાની ધરપકડ, મોબાઈલમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ગૃપ મળ્યા
Ahmedabad: ચંડોળામાં ગેરકાયદે વસાહત ઉભી કરનાર લલ્લા બિહારી રાજસ્થાનથી ઝડપાયો
Vadodara: CM ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમમાંથી બે મહિલાઓને બળજબરીથી બહાર કાઢી, શું છે મામલો?
Surat: બાળક સાથે ભાગેલી 23 વર્ષિય શિક્ષિકા ગર્ભવતી, મેડિકલ રિપોર્ટમાં ઘટસ્ફોટ
Ajmer Hotel Fire: અજમેર હોટલમાં લાગેલી આગમાં 3 ગુજરાતી સહિત 4 ના મોત, બચાવકર્મીઓની હાલત બત્તર
ગોંડલમાં વટ અને વેર પરિબળ કામ કરી રહ્યું છે?, શું છે ઈતિહાસ? | Gondal