
Salman khan Against Fir: ફિલ્મસ્ટાર સલમાન ખાન વિરુદ્ધ ભાજપના નેતા અને એડવોકેટ એવાઈન્દર મોહનસિંઘ હનીએ ફરિયાદ નોંધાવી છે. સલમાનખાન સામે આ ફરિયાદ પાન મસાલાની જાહેરાત કરવા બદલ થઈ છે.
યુવાનોને ગેરમાર્ગે દોરતી પાન મસાલાની એડ કરી હોવા અંગેની કોટાની કન્ઝ્યૂમર કોર્ટ (ગ્રાહક અદાલત)માં ફરિયાદ થતાં કોર્ટ દ્વારા અભિનેતા સલમાન ખાન અને કંપનીને નોટિસ ફટકારવામાં આવી છે. ફરિયાદમાં રાજશ્રી પાન મસાલા કંપની અને તેના બ્રાન્ડ એમ્બેસેડર સલમાન ખાન પર ગ્રાહકોને ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ કેસની સુનાવણી 27 નવેમ્બરે થશે.
ફરિયાદમાં જણાવાયું છે કે કંપની અને સલમાન ખાન કેસર ઉમેરેલી એલચી તથા કેસર ઉમેરેલા પાન મસાલા તરીકે તેમની પ્રોડક્ટની જાહેરાત કરીને ગ્રાહકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે જે દાવા તથ્યહિન છે, કારણ કે ચાર લાખ રૂપિયે મળતું કેસર પાંચ રૂપિયે મળતી પડીકીમાં વપરાતું હોય તે શક્યજ નથી.
ફરિયાદમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે આ જાહેરાતથી પ્રેરાઈને ખાસ કરીને યુવાનો આ પાન મસાલા ખાવા માટે પ્રેરાય છે, જે મોઢાના કેન્સરનું એક બહુ મોટું કારણ બને છે. કોર્ટે આ ફરિયાદના સંદર્ભમાં કંપની તથા સલમાન ખાનને નોટિસ પાઠવીને તેમનો જવાબ માગ્યો છે. આ કેસમાં વધુ સુનાવણીની તારીખ ૨૭મી નવેમ્બરે નક્કી કરવામાં આવી છે.
આ પણ વાંચો:
Salman Khan: યુદ્ધવિરામ અંગે પોસ્ટ કરતાં જ સલમાન લોકોના લપેટામાં આવી ગયો, શું કહ્યું?








