Salman Khan Pakistan Terrorist :  બોલિવૂડ સ્ટાર સલમાન ખાનને આતંકવાદી જાહેર કરતું પાકિસ્તાન;શુ સલમાન સામે એક્શન લેવાશે?

  • India
  • October 26, 2025
  • 0 Comments

Salman Khan Pakistan Terrorist :  બોલિવૂડ સ્ટાર સલમાન ખાનને પાકિસ્તાન સરકારે આતંકવાદી જાહેર કર્યો છે.સલમાન ખાને તાજેતરમાં સાઉદી અરેબિયામાં એક કાર્યક્રમ દરમિયાન બલુચિસ્તાનને અલગ દેશ તરીકે ઉલ્લેખ કર્યો ત્યારે વિવાદ શરૂ થયો હતો. તેનાથી પાકિસ્તાનની રાજકીય સંસ્થા નારાજ થઈ હતી. આ નિવેદન બાદ, શાહબાઝ સરકારે પાકિસ્તાનના આતંકવાદ વિરોધી કાયદા હેઠળ સલમાન ખાનને આતંકવાદી જાહેર કરતી સત્તાવાર સૂચના જારી કરી છે, સાથેજ, સલમાન ખાનનું નામ ચોથી અનુસૂચિમાં ઉમેરવામાં આવ્યું છે ત્યારે પાકિસ્તાનના કાયદા મુજબ ચોથી અનુસૂચિનો અર્થ શું થાય છે અને પાકિસ્તાની પોલીસ સલમાન ખાનની ધરપકડ કરી શકે કે કેમ? તે જાણીએ

પાકિસ્તાનના 1997ના આતંકવાદ વિરોધી કાયદા હેઠળ, ચોથી અનુસૂચિમાં આતંકવાદી અથવા ઉગ્રવાદી પ્રવૃત્તિઓમાં સંડોવણીના શંકાસ્પદ વ્યક્તિઓની યાદીમાં આવે છે.આ યાદીમાં સમાવિષ્ટ વ્યક્તિઓને પાકિસ્તાનમાં મુસાફરી પ્રતિબંધો, સંપત્તિ ફ્રીઝ અને કડક દેખરેખનો સામનો કરવો પડે છે. જો કે, આ એક સ્થાનિક કાનૂની જોગવાઈ છે, જેનો અર્થ છે કે તે ફક્ત પાકિસ્તાની સરહદોની અંદર જ લાગુ પડે છે.

પાકિસ્તાની કાયદા અમલીકરણ એજન્સીઓને ભારતમાં કોઈ અધિકારક્ષેત્ર નથી. પાકિસ્તાનમાં સલમાન ખાનને આતંકવાદી જાહેર કરવાથી તેમને ભારતીય ક્ષેત્રમાં તેની વિરુદ્ધ કાર્યવાહી કરવાનો અધિકાર મળતો નથી.

જો પાકિસ્તાન સલમાન ખાન સામે કોઈ કાનૂની કાર્યવાહી કરે, તો પણ તેને પ્રત્યાર્પણ સંધિ અથવા પરસ્પર કાનૂની સહાય સંધિ દ્વારા સહાય લેવી પડે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે એવી કોઈ પ્રત્યાર્પણ સંધિ નથી,પરિણામે સલમાન સામે કાર્યવાહી કરવી અશક્ય બની જાય છે.

જોકે,આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર, સરહદ પાર ધરપકડ ફક્ત ઇન્ટરપોલ રેડ નોટિસ જેવા સત્તાવાર કાનૂની તંત્ર દ્વારા જ કરી શકાય છે પણ આ પ્રકારની ધરપકડ માત્ર આતંકવાદ અથવા ગંભીર વૈશ્વિક ગુનાઓ સાથે સંકળાયેલા કેસોમાં જ થઈ શકે છે તેમાંય વળી કોઈપણ કાર્યવાહી કરતા પહેલા વિશ્વસનીય પુરાવા રજૂ કરવા આવશ્યક છે.
સલમાન ખાનના કિસ્સામાં ફક્ત એક નિવેદન આધારિત જે કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિને લાગુ પડતું નથી જેની ગંભીરતા રહેતી નથી જેથી પાકિસ્તાન ગમેતે વાતો કરે પણ તે કઈ કરી શકે તેમ નથી.

આ પણ વાંચો:

IND vs PAK: ‘ધંધો હોય તો નાગરિકોના મોતની કોઈ કિંમત હોતી નથી’, પહેલગામ હુમલો ભૂલી પાકિસ્તાન સાથે મેચ!

Kheda: માતરમાં ખુલ્લેઆમ દારૂનો વેપલો, બૂટલેગર બીજીવાર દારુ વેચાણ કરતો પકડાયો, પોલીસની કામગીરી પર સવાલ

Gujarat police: દારુડિયાને પકડવા દારુડિયો પોલીસ આવ્યો! પોલીસની આબરુના ધજાગરા ઉડાડતા વીડિયો આવ્યા સામે

Kheda: દારુ કેસમાંથી બચાવવા ખેડા LCBનો પોલીસકર્મી 25 હજારની લાંચ લેતાં ઝડપાયો, જુઓ પછી શું થયા હાલ?

Related Posts

UPI MDR Charges: શું UPI હવે ફ્રી નહીં રહે? સરકારના નવા નિર્ણયથી કરોડો યુઝર્સમાં ચિંતા
  • August 8, 2026

UPI MDR Charges: દેશમાં ડિજિટલ પેમેન્ટનો સૌથી મોટો આધાર બનેલી UPI (યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ) સેવા હાલમાં સામાન્ય ગ્રાહકો માટે સંપૂર્ણપણે નિઃશુલ્ક છે. પરંતુ તાજેતરમાં સરકાર દ્વારા કાયદામાં કરાયેલા એક ફેરફાર…

Continue reading
Modi-Sukhbir Badal Meeting: પંજાબમાં ફરી BJP-SAD ગઠબંધન? મોદી-સુખબીર બાદલની મુલાકાતે વધારી અટકળો
  • August 8, 2026

Modi-Sukhbir Badal Meeting: પંજાબની રાજનીતિમાં ફરી એકવાર શિરોમણી અકાલી દળ (SAD) અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે સંભવિત ગઠબંધનની ચર્ચાએ જોર પકડ્યું છે. શુક્રવારે શિરોમણી અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UPI MDR Charges: શું UPI હવે ફ્રી નહીં રહે? સરકારના નવા નિર્ણયથી કરોડો યુઝર્સમાં ચિંતા

  • August 8, 2026
  • 5 views
UPI MDR Charges: શું UPI હવે ફ્રી નહીં રહે? સરકારના નવા નિર્ણયથી કરોડો યુઝર્સમાં ચિંતા

Modi-Sukhbir Badal Meeting: પંજાબમાં ફરી BJP-SAD ગઠબંધન? મોદી-સુખબીર બાદલની મુલાકાતે વધારી અટકળો

  • August 8, 2026
  • 5 views
Modi-Sukhbir Badal Meeting: પંજાબમાં ફરી BJP-SAD ગઠબંધન? મોદી-સુખબીર બાદલની મુલાકાતે વધારી અટકળો

Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ

  • August 8, 2026
  • 6 views
Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ

Ahmedabad Ring Road Metro: રિંગરોડ પર મેટ્રોને કેન્દ્ર સરકાર મંજૂરી આપશે

  • August 8, 2026
  • 6 views
Ahmedabad Ring Road Metro: રિંગરોડ પર મેટ્રોને કેન્દ્ર સરકાર મંજૂરી આપશે

Jharkhand Students Protest: જંતર-મંતર પછી ઝારખંડમાં વિદ્યાર્થીઓનો બળવો, બંને આંદોલનોમાં શું છે સૌથી મોટો ફરક?

  • August 8, 2026
  • 8 views
Jharkhand Students Protest: જંતર-મંતર પછી ઝારખંડમાં વિદ્યાર્થીઓનો બળવો, બંને આંદોલનોમાં શું છે સૌથી મોટો ફરક?

Mohan Bhagwat: વિદ્યાર્થી આંદોલન સામે બદલાયો RSSનો સૂર? ભાગવતના નિવેદને મોદી સરકાર પર વધાર્યા સવાલ

  • August 7, 2026
  • 5 views
Mohan Bhagwat: વિદ્યાર્થી આંદોલન સામે બદલાયો RSSનો સૂર? ભાગવતના નિવેદને મોદી સરકાર પર વધાર્યા સવાલ