Salman Khan: યુદ્ધવિરામ અંગે પોસ્ટ કરતાં જ સલમાન લોકોના લપેટામાં આવી ગયો, શું કહ્યું?

  • Famous
  • May 11, 2025
  • 4 Comments

Salman Khan: ભારત અને પાકિસ્તાન વચ્ચે  સંઘર્ષ બાદ દેશમાં ઉહાપોહની સ્થિતિ છે.  ભારત-પાકિસ્તાન પહેલા ટ્ર્મ્પે યુધ્ધવિરામની જાહેરાત કરી દીધી હતી. જેથી ભારતના લોકો જે ઈચ્છા અધૂરી રહી ગઈ. ભારતના લોકો ઈચ્છતાં હતા કે આ વખતે પાકિસ્તાનને સારી પેઠે પાઠ ભણાવવામાં આવે, જેથી  તે આતંકીઓ પેદા ન કરી શકે. જો કે ભારતીયોની આશા પર પાણી ફરતું જોવા મળી રહ્યું છે. કોઈ ત્રીજા દેશે જ યુધ્ધવિરામની ઘોષણા કરી દેતાં લોકો અચરજમાં મૂકાઈ ગયા છે. લોકોને યુધ્ધવિરામનો વાંધો નથી પણ એકાએક ડોનાલ્ડ ટ્રમ્પના કહેવાથી થયું છે, તેમાં વાંધો છે.

“યુદ્ધવિરામ માટે ભગવાનનો આભાર.” કહેતાં જ લોકો રોષે ભરાયા!

બીજી તરફ કેટલાક લોકો આ યુધ્ધવિરામની સરાહના કરી રહ્યા છે. યુદ્ધવિરામ પર રાહત વ્યક્ત કરતા બોલિવૂડ અભિનેતા સલમાન ખાને સોશિયલ મીડિયા પર લખ્યું, “યુદ્ધવિરામ માટે ભગવાનનો આભાર.” જોકે થોડા સમય પછી તેણે આ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી. સલમાનના આ ટ્વીટને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે અને ઘણા યુઝર્સે તેના પર આકરા પ્રહારો કર્યા છે.

યુદ્ધવિરામ પર સલમાને ટ્વીટ ડિલિટ કરવી પડી

સલમાન ખાનના આ ટ્વિટથી સોશિયલ મીડિયા હોબાળો મચી ગયો હતો. એક તરફ કેટલાક લોકો સલમાનના યુદ્ધવિરામનું સ્વાગત કરી રહ્યા હતા, તેમની પ્રતિક્રિયાને સકારાત્મક માનતા હતા, તો બીજી તરફ ઘણા વપરાશકર્તાઓએ તેમની ટીકા કરી હતી. આ યુઝર્સે કહ્યું કે જ્યારે ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું ત્યારે સલમાને કોઈ પ્રતિક્રિયા આપી ન હતી, પરંતુ યુદ્ધવિરામની જાહેરાત થતાં જ તેણે ટ્વિટ કર્યું અને પછીથી તેને ડિલીટ કરી દીધું. એક યુઝરે ટ્વીટ કર્યું, “જ્યાં સુધી સલમાન ખાનની ફિલ્મ થિયેટરોમાં ચાલે છે ત્યાં સુધી યુદ્ધવિરામ ચાલુ રહ્યો.”

સોશિયલ મીડિયા પર તીવ્ર પ્રતિક્રિયાઓ

સલમાન ખાનને લઈને ટ્વિટર પર ચર્ચા વધુ તીવ્ર બની. ઘણા યુઝર્સે સલમાનના મૌન પર સવાલ ઉઠાવ્યા અને આરોપ લગાવ્યો કે તે ફક્ત ત્યારે જ બોલે છે જ્યારે પાકિસ્તાન સાથે શાંતિની વાત હોય. એક યુઝરે લખ્યું, “સલમાન ખાન અને અન્ય બોલિવૂડ સ્ટાર્સ જેમનો પાકિસ્તાન અને મધ્ય પૂર્વમાં મોટો ચાહક વર્ગ છે, તેમને કોઈ ટીકાનો સામનો કરવો પડતો નથી. તેઓ જાણે છે કે ભારતીય રાષ્ટ્રવાદીઓ તેમનું કંઈ કરી શકતા નથી.”

સલમાનને દેશદ્રોહી ગણાવ્યો

આ સિવાય કેટલાક અન્ય યુઝર્સે સલમાનને દેશદ્રોહી ગણાવ્યો અને તેના પર ભારતને બદલે પાકિસ્તાનના પક્ષમાં ઉભા રહેવાનો આરોપ લગાવ્યો. એક યુઝરે કહ્યું, “સલમાન પાકિસ્તાન સાથે શાંતિ ઇચ્છે છે કારણ કે તે અફઘાન છોકરીઓનો સાચો પ્રેમી બનવા માંગે છે. તે ભારત માટે નહીં પણ પાકિસ્તાની મીડિયામાં પોતાને હીરો બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.”

આ પણ વાંચોઃ

ઓપરેશન સિંદૂર ચાલુ રાખવા સેના મક્કમ, હવે શું થશે? | Operation Sindoor

જમ્મુ અને કાશ્મીર CM ઓમર અબ્દુલ્લાએ સીઝ ફાયર બાદ શું કહ્યું? | Ceasefire

Donald Trump: ભારતની જવાબી કાર્યવાહી રોકાવનાર ટ્રમ્પ કાશ્મીરની મધ્યસ્થી અંગે શું બોલ્યા?

ભારતે એકાએક કેમ જવાબી કાર્યવાહી રોકી? શું થશે ઓપરેશન સિંદૂરનું? | Operation Sindoor

ભારતે એકાએક કેમ જવાબી કાર્યવાહી રોકી? શું થશે ઓપરેશન સિંદૂરનું? | Operation Sindoor

Kheda: માતરમાં રોંગ સાઈડ જતી ઈકોએ રિક્ષાને ભયંકર રીતે ટક્કર મારી, 3ના મોત, 4ને ઈજાઓ

Lions Census: ગુજરાતમાં સિંહોની 16મી વસ્તી ગણતરી થશે, 3 દિવસમાં કેવી રીતે કરશે ગણતરી?

World Bank એ પાકિસ્તાનને આપ્યો ઝટકો, સિંધુ જળ સંધિ પર આપ્યું ચોકાવનારુ નિવેદન

 

Related Posts

અભિનેતા ધર્મેન્દ્રની તબિયત વધુ લથડી, વિદેશમાં રહેતી પુત્રીઓ ભારત આવવા રવાના | Dharmendra | Health
  • November 10, 2025

Dharmendra Hospital Admitted: લોકપ્રિય અભિનેતા ધર્મેન્દ્રની તબિયત વધુ લથડી હોવાના અહેવાલ છે,89 વર્ષના ધર્મેન્દ્ર હાલ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ છે. ધર્મેન્દ્ર ઉંમર સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તેમના…

Continue reading
Salman khan: ભાજપ નેતાએ સલમાન ખાન સામે નોંધાવી ફરિયાદ, કારણ જાણી દંગ રહી જશો!
  • November 6, 2025

Salman khan Against Fir: ફિલ્મસ્ટાર સલમાન ખાન વિરુદ્ધ ભાજપના નેતા અને એડવોકેટ એવાઈન્દર મોહનસિંઘ હનીએ ફરિયાદ નોંધાવી છે. સલમાનખાન સામે આ ફરિયાદ પાન મસાલાની જાહેરાત કરવા બદલ થઈ છે. યુવાનોને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

  • August 1, 2026
  • 2 views
Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

  • August 1, 2026
  • 2 views
Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

  • August 1, 2026
  • 2 views
Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

  • August 1, 2026
  • 7 views
Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી

  • August 1, 2026
  • 5 views
PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી

Bhopal Water Contamination: ભોપાલના 70% પાણીના નમૂનાઓ દૂષિત હોવાનો દાવો, ગેસ પીડિતોએ ઉઠાવ્યા સવાલ

  • August 1, 2026
  • 13 views
Bhopal Water Contamination: ભોપાલના 70% પાણીના નમૂનાઓ દૂષિત હોવાનો દાવો, ગેસ પીડિતોએ ઉઠાવ્યા સવાલ