
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ માટે ગુજરાત પ્રવાસે છે. આજે તેમના ગુજરાત પ્રવાસનો બીજા દિવસ છે. PM મોદી શનિવારે સાંજે જામનગરમાં પહોંચ્યા હતા. એરફોર્સ ખાતે મહાનુભાવો દ્વારા તેઓનું સ્વાગત કરાયું હતું. જે બાદ વડાપ્રધાન મોદીએ સર્કિટ હાઉસ ખાતે રાત્રે રકાયા હતા.
આજે વહેલી સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વનતારા પહોંચ્યા છે. જે બાદ તેઓ સોમનાથ મહાદેવનાં દર્શન કરવા જશે. સોમનાથ બાદ આજે સાંજે સાસણ જશે, જ્યાં રાત્રી રોકાણ બાદ આવતીકાલે રાજકોટની પણ મુલાકાત લેશે, જ્યાંથી દિલ્હી જવા નીકળી જશે.
આ પણ વાંચોઃ ભારત ગરીબીના ખપ્પરમાં હોમાયું; ભારતીય ગ્રાહક જરૂરિયાતની ચીજ-વસ્તુ પણ ખરીદવા અક્ષમ- ચોંકાવનાર રિપોર્ટ
પ્રાણીઓની સાચવણીના નામે વનતારા ઉભુ કરાયું
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા અનંત અંબાણીના સપના સમાન વનતારા (સ્ટાર ઓફ ફોરેસ્ટ) પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો હતો. આ પ્રોગ્રામ હેઠળ દેશ અને વિદેશમાં ઇજાગ્રસ્ત પ્રાણીઓનો બચાવ, સારવાર, સારસંભાળ અને પુનર્વસનનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. વનતારા પ્રોજેક્ટ હેઠળ 200 થી વધુ હાથીઓ, હજારો અન્ય પ્રાણીઓ, સરિસૃપ અને પક્ષીઓને બચાવાયા હોવાના દાવા છે.
બીજી બાજુ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કે વનતારા બનાવી અંબાણી પરિવારે એક ધંધો ઉભો કર્યો છે. તેનાથી તે કમાણી કરી રહ્યા છે.