
Keshubapa: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે 2012ની વિધાનસભા ચૂંટણી દરમિયાન નરેન્દ્ર મોદી અને તેમની સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા અને નરેન્દ્ર મોદીની ટીકા કરી હતી, નેનો પ્રોજેક્ટ અને લોન અંગેની કેશુભાઈ પટેલે આક્ષેપ કર્યો હતો કે મોદી સરકારે તાતા મોટર્સના નેનો પ્રોજેક્ટને ગુજરાતમાં લાવવા માટે ₹33,000 કરોડના ફાયદા આપ્યા હતા.
તેમણે દાવો કર્યો હતો કે આ પ્રોજેક્ટ માત્ર પ્રચાર માટે લાવવામાં આવ્યો હતો અને તેનાથી સ્થાનિક ઉદ્યોગોને કોઈ ફાયદો થયો નથી, સરકારી માહિતી મુજબ, તાતા મોટર્સને સાણંદ પ્લાન્ટ માટે માત્ર 0.1% ના વ્યાજ દરે સોફ્ટ લોન આપવામાં આવી હતી. આ લોનની ચુકવણી 20 વર્ષના સમયગાળા પછી શરૂ કરવાની છૂટ આપવામાં આવી હતી.
■“નળમાં ગેસ આવશે” અંગેની ટીપ્પણી
કેશુભાઈ પટેલે મોદી સરકારના વચનોને “ભ્રામક” ગણાવ્યા હતા. તેમણે ટીકા કરી હતી કે મુખ્યમંત્રી માત્ર પ્રચારમાં માને છે અને જમીની હકીકત અલગ છે, તેમણે નર્મદાના પાણી અને ગેસ પાઈપલાઈન જેવી યોજનાઓ અંગે સરકારના દાવાઓને “જૂઠ્ઠાણું” ગણાવ્યા હતા અને કહ્યું હતું કે મોદીને “જૂઠું બોલવામાં મોનોપોલી” (એકાધિકાર) છે.
કેશુભાઈ પટેલે નરેન્દ્ર મોદીને “લાપોડશંખ” અને “હિટલર” જેવી ઉપમાઓ આપી હતી, તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે ગુજરાતમાં ભયનું વાતાવરણ છે અને લોકશાહી જેવું કંઈ રહ્યું નથી, કેશુભાઈ પટેલે આ ટીકાઓ મુખ્યત્વે પોતાની નવી પાર્ટી ‘ગુજરાત પરિવર્તન પાર્ટી’ (GPP) ના પ્રચાર દરમિયાન કરી હતી, વરીષ્ઠ પત્રકાર મયુર જાનીએ આ અંગે વિસ્તૃત છણાવટ કરી હતી જે અત્રે પ્રસ્તુત છે,જુઓ વિડીયો.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!







