રાહુલ ગાંધીનો ઘટસ્ફોટ; નવા મતદાતાઓને લઈને અત્યાર સુધીનો મોટો આરોપ

  • India
  • February 3, 2025
  • 0 Comments
  • રાહુલ ગાંધીનો (Rahul Gandhi) ઘટસ્ફોટ; નવા મતદાતાઓને લઈને અત્યાર સુધીનો મોટો આરોપ
  • એક જ બિલ્ડીંગમાં સાત હજાર નવા મતદાતા ઉમેરાઇ ગયા

સંસદના ચાલુ બજેટ સત્રનો આજે (3 ફેબ્રુઆરી) ત્રીજો દિવસ છે. આ સત્રના ત્રીજા દિવસે આભાર પ્રસ્તાવ પર ચર્ચા થઇ રહી છે. આ દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ દેશ સામેના પડકારો પર ચર્ચા કરી હતી.

આ ઉપરાંત તેમણે આરએસએસ, મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામો તેમજ મુખ્ય ચૂંટણી અધિકારીની પસંદગી મામલે સરકારને ઘેરી હતી.

રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘એક બાજુ આપણે જાતિગત વસ્તી ગણતરી, એસસી-એસટી, ઓબીસીની ભાગીદારી વધારવાની દિશામાં પ્રયાસ કરવાના હતા. જ્યારે બીજી બાજુ વૈશ્વિક ક્રાંતિમાં સહયોગ આપીને ચીનના પડકારોનું ઉકેલ લાવવાની જરૂર હતી.

જો અત્યારે દેશમાં ‘ઇન્ડિ’ ગઠબંધનની સરકાર હોત તો રાષ્ટ્રપતિના સંબોધનમાં આ બાબતોનું ઉલ્લેખ કરવામાં આવ્યું હોત.’

રાહુલ ગાંધીએ સંસદની ચર્ચા દરમિયાન સંઘના પ્રમુખ મોહન ભાગવત પર પ્રહાર પણ કર્યા હતા, તેમણે બંધારણની નકલ બતાવીને કહ્યું કે, ‘દેશમાં આનું (બંધારણનું) શાસન ચાલશે.’

આ પણ વાંચો- બજેટ 2025: ગરીબો સીતારામ સીતારામ ભજે!

આ વાત પર લોકસભાના સ્પીકર ઓમ પ્રકાશ બિરલાએ રાહુલ ગાંધીને અટકાવીને કહ્યું હતું કે, ‘જે વ્યક્તિ ગૃહના સભ્ય નથી, તેમના નામે ચર્ચા ના કરો.’ આ દરમિયાન રાહુલ ગાંધી અને લોકસભા સ્પીકર વચ્ચે તકરાર જોવા મળી હતી.

આ દરમિયાન રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, ‘મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનની જીત થઇ હતી.

વિધાનસભા ચૂંટણીમાં હિમાચલ પ્રદેશની કુલ વસ્તી જેટલા મતદારોને મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યા હતા. લોકસભા અને વિધાનસભા ચૂંટણી વચ્ચે મહારાષ્ટ્રમાં 70 લાખ નવા મતદારો ઉમેરાયા હતા.

પાંચ વર્ષ કરતા છેલ્લા પાંચ મહિનામાં વધુ મતદારોને ઉમેરવામાં આવ્યા છે. શિરડીમાં એક જ બિલ્ડિંગમાંથી અચાનક સાત હજાર મતદારોને મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યા હતા.’

આ અંગે વધુમાં તેમણે કહ્યું કે, ‘હું કોઇ આરોપ લગાવી રહ્યો નથી. ફક્ત આટલું કહું છું કે કંઇક ગરબડ છે. લોકસભા ચૂંટણી બાદ અચાનક ચમત્કારિક રીતે આટલા બધા મતદારો કઇ રીતે વધી શકે છે.

અમે ચૂંટણી પંચથી લોકસભાની મતદાર યાદી, નામ અને એડ્રેસ આપવાની માંગ કરી હતી. નવા મતદાર મોટા ભાગે એ ભાગમાં ઉમેરાયા જ્યાં ભાજપની સ્થિતિ કમજોર હતી.

અમારી પાસે આ અંગે ડેટા છે. ચૂંટણી અધિકારીની પસંદગી વડાપ્રધાન, વિપક્ષના નેતા અને ચીફ જસ્ટિસે કરવાની હતી, ચીફ જસ્ટિસને હટાવીને ષડયંત્ર ઘડવામાં આવ્યું.’

ઉલ્લેખનિય છે કે, બજેટ સત્રની શરૂઆત 31 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિના સંબોધન સાથે થઈ હતી, તે જ દિવસે નાણામંત્રી નિર્મલા સીતારમણે આર્થિક સર્વે રજૂ કર્યો હતો. જયારે પહેલી ફેબ્રુઆરીએ તેમણે નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કર્યું હતું.

આ પણ વાંચો-મહાકુંભમાં થયેલી ભાગદોડમાં મૃત્યુ પામેલાઓના મૃતદેહ ગંગા નદીમાં ફેંકવામાં આવ્યા: જયા બચ્ચન

Related Posts

Earthquake in Peru: પેરુમાં મોડી રાત્રે 6.1 ની તીવ્રતાના આંચકા અનુભવાયા, એકનું મોત, અનેક ઇમારતો ધરાશાયી
  • June 16, 2025

Earthquake in Peru: ફરી એકવાર પ્રચંડ ભૂકંપના કારણે ધરતી ધ્રુજી ઉઠી છે. મોડી રાત્રે, પેસિફિક મહાસાગરના કિનારે દક્ષિણ અમેરિકન દેશ પેરુમાં એક શક્તિશાળી ભૂકંપ આવ્યો, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો.…

Continue reading
Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા
  • June 15, 2025

Maharashtra Pune, Indrayani river bridge Collapsed: મહારાષ્ટ્રના પૂણેમાં આવેલા પિંપરી ચિંચવાડમાં ઈન્દ્રાયણી નદી પરનો પુલ તૂટી પડ્યો. ઘટના સમયે ઘટનાસ્થળે ભારે ભીડ હતી અને પ્રારંભિક માહિતી મુજબ 20 થી 25…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupani ના આજે થશે અંતિમ સંસ્કાર, અત્યાર સુધીમાં આટલા મૃતકોના DNA સેમ્પલ મળ્યા

  • June 16, 2025
  • 3 views
પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupani ના આજે થશે અંતિમ સંસ્કાર, અત્યાર સુધીમાં આટલા મૃતકોના DNA સેમ્પલ મળ્યા

Earthquake in Peru: પેરુમાં મોડી રાત્રે 6.1 ની તીવ્રતાના આંચકા અનુભવાયા, એકનું મોત, અનેક ઇમારતો ધરાશાયી

  • June 16, 2025
  • 4 views
Earthquake in Peru: પેરુમાં મોડી રાત્રે 6.1 ની તીવ્રતાના આંચકા અનુભવાયા,  એકનું મોત, અનેક ઇમારતો ધરાશાયી

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

  • June 15, 2025
  • 18 views
Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

  • June 15, 2025
  • 17 views
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

Adani’s Haifa port attack: ઈરાનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

  • June 15, 2025
  • 25 views
Adani’s Haifa port attack: ઈરાનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

  • June 15, 2025
  • 15 views
Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ