રામ મંદિરની આવક-જાવક જાહેર, 5 વર્ષમાં 2150 કરોડ ખર્ચ્યા, સરકારે કેટલાં લીધા? |UP News

  • India
  • March 17, 2025
  • 3 Comments

UP News: રવિવારે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં મણિ રામદાસ કેમ્પ ખાતે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની એક બેઠક યોજાઈ હતી. આ બેઠકની અધ્યક્ષતા ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસ દ્વારા કરવામાં આવી હતી. ટ્રસ્ટે સભામાં આવક અને ખર્ચનો અહેવાલ રજૂ કર્યો હતો. રામ જન્મભૂમિ સંકુલ માટે 5 વર્ષમાં રુ. 2150 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. મંદિરના નિર્માણ પાછળ જ 1200 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. 5 વર્ષમાં ટ્રસ્ટે સરકારને 400 કરોડ રૂપિયા ચૂકવ્યા છે.

રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું હતું કે ટ્રસ્ટની રચના 5 ફેબ્રુઆરી, 2020 ના રોજ કરવામાં આવી હતી. 28 ફેબ્રુઆરી, 2025 સુધીના 5 વર્ષમાં, ટ્રસ્ટના ખાતામાંથી વિવિધ સરકારી એજન્સીઓને 396 કરોડ રૂપિયાની રકમ ચૂકવવામાં આવી છે. જીએસટી સ્વરૂપે સરકારને રુ. 272 કરોડ મળ્યા છે. સરકારી ખાતામાં 39 કરોડ રૂપિયાનો ટીડીએસ જમા થયો છે. 14 કરોડ રૂપિયાના લેબર સેસ એકત્રિત કરવામાં આવ્યા છે. પીએફ, ઇએસઆઈ પર લગભગ 7.4 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.

સરકારને 14.90 કરોડની રોયલ્ટી ચૂકવાઈ

વીમા પોલિસી માટે 4 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. જન્મસ્થળનો નકશો મંજૂર કરાવવા માટે 5 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. અયોધ્યામાં જમીન ખરીદી છે. ખરીદીની રકમ પર સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવામાં આવી છે. આ માટે લગભગ 29 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. વીજળીના બિલના રૂપમાં 10 કરોડ રૂપિયા જમા કરાવવામાં આવ્યા છે. સરકારને રોયલ્ટી તરીકે 14.90 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. પથ્થર, કાંકરી અને ગ્રેનાઈટ જ્યાંથી આવ્યા તે સ્થળની સરકારને રોયલ્ટી પણ ચૂકવવામાં આવી છે.

આ પણ વાંચોઃ Bihar News: પોલીસને લોકોએ માર માર્યો, પથ્થમારો કરતાં ઘણા ઈજાગ્રસ્ત, એકનું માથુ ફૂટ્યું

આ પણ વાંચોઃ Rajkot: કારચાલકે બે વાહનોને ટક્કર મારી, 1નું મોત, બાળકી સહિત બે ગંભીર

આ પણ વાંચોઃ મહારાણા પ્રતાપના વંશજ અરવિંદ સિંહ મેવાડનું નિધન, લાંબા સમયથી બીમાર હતા |Arvind Singh Mewar Death

આ પણ વાંચોઃ Ahmedabad: મંદિર બચાવવા લડતાં પૂજારીએ ગળાફાંસો ખાધો, પુત્રના ગંભીર આક્ષેપ

 

 

 

Related Posts

ગોખણપટ્ટીના જમાના ગયા!, CBSE બોર્ડ અભ્યાસની પદ્ધતિ બદલી નાખશે!,  યાદ રાખવાની ઝંઝટ અને પાસ થવાના ટેન્શનમાંથી બાળકોને મળશે મુક્તિ!
  • October 27, 2025

CBSE હવે પરીક્ષાઓ લેવાની રીતને સંપૂર્ણપણે બદલી નાખવા જઈ રહ્યું છે, નવી SAFAL સિસ્ટમ વિદ્યાર્થીઓની સમજણ, વિચારસરણી અને જ્ઞાનના વ્યવહારુ ઉપયોગની ચકાસણી કરશે, જેનાથી તેઓ 21મી સદીના કૌશલ્યોમાં આગળ વધી…

Continue reading
 SIR: આવતીકાલથી ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદારોની વધઘટ કરવાનું શરુ!
  • October 27, 2025

SIR: ચૂંટણી પંચે હવે બિહારની જેમ ગુજરાત સહિત 12 રાજ્યોમાં SIR કરવાની જાહેરાત કરી છે. દાવો છે કે નકલી મતદાર યાદીઓ અટકાવવા અને નકલી મતદારોને દૂર કરવા માટે ચૂંટણી પંચે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ગોખણપટ્ટીના જમાના ગયા!, CBSE બોર્ડ અભ્યાસની પદ્ધતિ બદલી નાખશે!,  યાદ રાખવાની ઝંઝટ અને પાસ થવાના ટેન્શનમાંથી બાળકોને મળશે મુક્તિ!

  • October 27, 2025
  • 3 views
ગોખણપટ્ટીના જમાના ગયા!, CBSE બોર્ડ અભ્યાસની પદ્ધતિ બદલી નાખશે!,  યાદ રાખવાની ઝંઝટ અને પાસ થવાના ટેન્શનમાંથી બાળકોને મળશે મુક્તિ!

Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ, 9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

  • October 27, 2025
  • 11 views
Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ,  9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

  • October 27, 2025
  • 9 views
Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

LIC Exposure to Adani: અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા? 68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

  • October 27, 2025
  • 20 views
LIC Exposure to Adani:  અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા?  68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

 SIR: આવતીકાલથી ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદારોની વધઘટ કરવાનું શરુ!

  • October 27, 2025
  • 15 views
 SIR: આવતીકાલથી ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદારોની વધઘટ કરવાનું શરુ!

BJP Minister Blames Victims in Indore Harassment: ઑસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ કહ્યું- ‘આમાં તેમની પણ ભૂલ છે,સૂચના વિના બહાર ન જવાય’

  • October 27, 2025
  • 3 views
BJP Minister Blames Victims in Indore Harassment: ઑસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ કહ્યું- ‘આમાં તેમની પણ ભૂલ છે,સૂચના વિના બહાર ન જવાય’