Bihar News: પોલીસને લોકોએ માર માર્યો, પથ્થમારો કરતાં ઘણા ઈજાગ્રસ્ત, એકનું માથુ ફૂટ્યું

  • India
  • March 17, 2025
  • 0 Comments

Bihar News:  બિહારના મુંગેર જિલ્લામાં ASI સંતોષ કુમાર સિંહની હત્યાનો મામલો હજુ ઠંડો પડ્યો નથી. તેવામાં ગત રવિવારે રાત્રે ફરી એકવાર ગ્રામજનોએ ડાયલ 112 પોલીસ કર્મચારીઓ પર હુમલો કર્યો છે. આ ઘટનામાં, એક કોન્સ્ટેબલ બબલુ રજકના માથા પર ઈંટથી હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે તેમનું માથું ફ્રેક્ચર થયું હતું, જ્યારે અન્ય પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.

હવેલી ખડગપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ફસિયાબાદ ગામમાં બે યુવાનો લૂંટની ઘટનાને અંજામ આપી રહ્યા હતા. જેથી ગ્રામજનોએ તેમને પકડીને પંચાયત ભવનમાં બંધ કરી દીધા, ત્યારે તેમણે ડાયલ 112 ને જાણ કરી હતી. માહિતી મળતાં જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ, પરંતુ કેટલાક ગ્રામજનોએ તેનો વિરોધ કર્યો અને ત્યાં જ મામલો ઉકેલવાની જીદ પકડી હતી. આ દરમિયાન, પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થયું હતુ. અચાનક ભીડમાંથી કોઈએ પથ્થર ફેંક્યો, જે સીધો પોલીસકર્મી બબલુ રજકના માથા પર વાગ્યો હતો. આ પછી પરિસ્થિતિ વધુ વણસી જતાં ઘણા પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા.

હવેલી ખડગપુરના ડીએસપી અનિલ કુમારે તમામ પોલીસ સ્ટેશનોને એલર્ટ કર્યા અને તાત્કાલિક તેમને ફસિયાબાદ મોકલી દીધા હતા. પોલીસ બંને યુવાનોને ટોળાના ચુંગાલમાંથી છોડાવવામાં અને ખડગપુર પોલીસ સ્ટેશન લઈ જવામાં સફળ રહી હતી. હાલ આ વિસ્તારમાં પરિસ્થિતિ તંગ છે, અને પોલીસ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને પકડવા માટે કાર્યવાહી કરી રહી છે. સ્થાનિક વહીવટીતંત્રે પરિસ્થિતિને કાબુમાં લેવા માટે વધારાના દળો તૈનાત કર્યા છે.

 આ પણ વાંચોઃ Rajkot: હત્યા કરી ફરાર થયેલો શખ્સ 11 વર્ષે ઝડપાયો, ક્યાંથી ઝડપાયો આરોપી?

આ પણ વાંચોઃ PAKISTAN: BLAએ કર્યો બીજીવાર હુમલો, પાકિસ્તાનના 90 સૈનિકોના મોતનો દાવો

આ પણ વાંચોઃ મહારાણા પ્રતાપના વંશજ અરવિંદ સિંહ મેવાડનું નિધન, લાંબા સમયથી બીમાર હતા |Arvind Singh Mewar Death

આ પણ વાંચોઃ Ahmedabad: મંદિર બચાવવા લડતાં પૂજારીએ ગળાફાંસો ખાધો, પુત્રના ગંભીર આક્ષેપ

 

Related Posts

TMC Opposition Leader Dispute: ઋતબ્રત બેનર્જીને વિપક્ષના નેતા તરીકે માન્યતા આપવાના નિર્ણય સામે પડકાર, હાઈકોર્ટમાં ટીએમસીના બે જૂથ વચ્ચે કાનૂની જંગ
  • June 19, 2026

TMC Opposition Leader Dispute: પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક અભૂતપૂર્વ ઘટનાક્રમ સામે આવ્યો છે, જ્યાં સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ (TMC) હવે બે ફાડિયામાં વહેંચાઈ ગઈ હોય તેવું સ્પષ્ટ દેખાય છે. કલકત્તા…

Continue reading
Rahul Gandhi: કોટામાં રાહુલ ગાંધીનો શિક્ષણ વ્યવસ્થા પર પ્રહાર, ‘વિદ્યાર્થીઓને સપના નહીં, તણાવ અને નિરાશા આપી રહી છે આજની સિસ્ટમ’
  • June 19, 2026

Rahul Gandhi: રાજસ્થાનના કોટામાં વિદ્યાર્થીઓને સંબોધતા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ભારતની શિક્ષણ વ્યવસ્થા પર તીખા પ્રહાર કર્યા છે. કોટા, જે દેશમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓનું સૌથી મોટું કેન્દ્ર માનવામાં આવે છે,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

TMC Opposition Leader Dispute: ઋતબ્રત બેનર્જીને વિપક્ષના નેતા તરીકે માન્યતા આપવાના નિર્ણય સામે પડકાર, હાઈકોર્ટમાં ટીએમસીના બે જૂથ વચ્ચે કાનૂની જંગ

  • June 19, 2026
  • 3 views
TMC Opposition Leader Dispute: ઋતબ્રત બેનર્જીને વિપક્ષના નેતા તરીકે માન્યતા આપવાના નિર્ણય સામે પડકાર, હાઈકોર્ટમાં ટીએમસીના બે જૂથ વચ્ચે કાનૂની જંગ

Rahul Gandhi: કોટામાં રાહુલ ગાંધીનો શિક્ષણ વ્યવસ્થા પર પ્રહાર, ‘વિદ્યાર્થીઓને સપના નહીં, તણાવ અને નિરાશા આપી રહી છે આજની સિસ્ટમ’

  • June 19, 2026
  • 6 views
Rahul Gandhi: કોટામાં રાહુલ ગાંધીનો શિક્ષણ વ્યવસ્થા પર પ્રહાર, ‘વિદ્યાર્થીઓને સપના નહીં, તણાવ અને નિરાશા આપી રહી છે આજની સિસ્ટમ’

Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!

  • June 19, 2026
  • 7 views
Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!

Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

  • June 18, 2026
  • 10 views
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

  • June 18, 2026
  • 5 views
Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

  • June 18, 2026
  • 10 views
Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?