
તાજેતરમાં સમાજવાદી પાર્ટીના સાંસદ રામજી લાલ સુમને રાણા સાંગા પર એક ટિપ્પણી કરી હતી. જે બાદ રાજપૂત સમાજમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. રામજી લાલ સુમને માફી માગવાનો ઈન્કાર કરતાં લોકો હવે રોષે ભરાયા છે. જેથી સમાજવાદી પાર્ટીનો ગુજરાતમાં પણ વિરોધ થઈ રહ્યો છે. સાંસદને માફી મંગાવવા અને તેમની વિરુધ્ધ કાર્યવાહી કરવા સુરેન્દ્રનગર સહિત ભૂજમાં કલેક્ટરને આવેદનપત્ર આપી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે.
સમાજવાદી પાર્ટીના સાંસદ દ્વારા રાણા સાંગા વિશે આપેલ નિવેદન લઈને ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. સુરેન્દ્રનગર અને ભુજ ખાતે કચ્છ જિલ્લા રાજપૂત કરણીસેના કલેકટરને આવેદનપત્ર આપી સમાજવાદી પાર્ટીના સાંસદ સામે કાર્યવાહીની માંગ કરી છે. રાજ્યસભામાં સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અને રાજ્યસભાના સાંસદ રામજીલાલ સુમન દ્વારા રાણા સાંગા વિશે અભદ્ર ભાષામાં ટિપ્પણી કરી હતી. જેને લઈને આજે ભુજમાં પણ વિરોધ જોવા મળ્યો છે. કરણીસેના અને બજરંગ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પાઠવી સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમન સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.
સાંસદ રામજી લાલ સુમનની વિવાદિત શું હતી?
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સાંસદ સુમનનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તે કહેતા સાંભળવા મળે છે કે રાણા સાંગા એક ‘દેશદ્રોહી’ હતા, જેણે બાબરને ઇબ્રાહિમ લોદીને હરાવવા માટે બોલાવ્યો હતો. આ ટિપ્પણી બાદ ભારે વિવાદ સર્જાયો અને કરણી સેનાના સભ્યો દ્વારા આગ્રામાં તેમના ઘર પર હુમલો કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ Earthquake: મ્યાનમાર અને થાઈલેન્ડમાં વિનાશકારી ભૂકંપ, 5 દેશોમાં ભયનો માહોલ