Sanchar Saathi App Not Mandatory:સંચાર સાથી એપ પ્રી ઇન્સ્ટોલેશન મામલે મોદી સરકારની પીછેહટ; આદેશ પરત ખેંચ્યો!

  • India
  • December 4, 2025
  • 0 Comments

Sanchar Saathi App Not Mandatory: કેન્દ્ર સરકારે મોબાઇલ ફોન પર “સંચાર સાથી” એપના પ્રી-ઇન્સ્ટોલેશનને ફરજિયાત બનાવવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે.

ટેલિકોમ્યુનિકેશન વિભાગે જણાવ્યું હતુંકે એપની વધતી જતી લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને, સરકારે મોબાઇલ ફોન ઉત્પાદકોને સંચાર સાથી એપના પ્રી-ઇન્સ્ટોલેશનનો અપાયેલો આદેશ પરત ખેંચી લીધો છે.

જોકે,સરકારના ફરજિયાત એપ ડાઉનલોડ વાળી વાત આવતા લોકોના ભારે વિરોધ ઉઠ્યો હતો અને પ્રાઈવસી જોખમમાં મુકાય તેવી વાતો ઉઠતા ભારત સરકારે નવા ફોનમાં સરકારી સાયબર સિક્યૉરિટી ઍપ્લિકેશનને ફરજિયાત આપવાનો નિર્દેશ પાછો ખેંચી લીધો છે.

કેન્દ્ર સરકારે નવા સ્માર્ટફોનમાં ફરજિયાત રીતે સંચાર સાથી એપ પ્રી-ઇન્સ્ટોલ કરવાનો નિર્ણય અંતે પરત ખેંચી લીધો છે.આ પગલું તે સમયે લેવામાં આવ્યું છે જ્યારે આદેશ જાહેર થતાં જ દેશભરમાં યુઝર્સની પ્રાઈવસીને લઈને ભારે વિરોધ શરૂ થયો હતો. સરકારનું કહેવું હતું કે આ એપ સાયબર સુરક્ષા મજબૂત કરવા માટે ફરજિયાત કરવામાં આવી હતી, પરંતુ વિરોધની તીવ્રતા અને એપની ડિલીટ કરવાની સ્વતંત્રતા અંગે ઉઠેલા પ્રશ્નોને ધ્યાનમાં રાખીને આખું નિર્દેશ પાછું ખેંચવામાં આવ્યું. જો કે રસપ્રદ વાત એ છે કે માત્ર 24 કલાકમાં જ સંચાર સાથી એપને 6 લાખથી વધુ લોકોએ ડાઉનલોડ કરી લીધી છે, જે અગાઉની તુલનામાં 10 ગણો વધારો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સરકારે સ્માર્ટફોન ઉત્પાદકોને 28 નવેમ્બરના રોજ આદેશ આપ્યો હતો કે આગામી 90 દિવસમાં તમામ નવા મોબાઇલ ફોનમાં સંચાર સાથી એપ પ્રિ-ઇન્સ્ટોલ કરવી રહેશે અને પહેલાથી વેચાયેલા સ્માર્ટફોનમાંપણ સોફ્ટવેર અપડેટ દ્વારા આ એપ ફરજિયાત રીતે પહોંચાડવાની રહેશે. આ નિર્ણય બાદ એવી શંકાઓ ઊઠી હતી કે યુઝર્સ એપને પોતાની ઇચ્છા મુજબ ડિલીટ કરી શકશે કે નહીં. વિપક્ષે આ મુદ્દો સંસદમાં ઉઠાવ્યો હતો અને પ્રાઈવસીની ચિંતા અંગે સવાલ ઉઠાવતા આખરે સરકારે સ્પષ્ટ કર્યું કે એપ રાખવી ફરજિયાત નથી અને યુઝર ઈચ્છે તો તેને ડિલીટ કરી શકશે,આમ છતાં, વિવાદ ન અટકતાં સરકારે આખું પ્રી-ઇન્સ્ટોલેશન મોડલ જ પાછું ખેંચી લીધું છે

જોકે,દૂરસંચાર મંત્રાલયે જારી કરેલી પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે સંચાર સાથી એપ લોકો સ્વયંભૂ ડાઉનલોડ કરી રહયા હોય તેના વધતા ઉપયોગને ધ્યાનમાં રાખીને મોબાઈલ ઉત્પાદકો માટે તેને ફરજિયાત પ્રી-ઇન્સ્ટોલ ન કરવા સરકારે નિર્ણય કર્યો છે

આ પણ વાંચો:

Commonwealthgames2030:ગુજરાતમાં ‘ખેલકુદ’શિખવતા શિક્ષકો નથી અને ઓલેમ્પિકની વાતો થાય છે!

Prohibition in Gujarat is only on paper : ભાજપ ‘દારૂ અને ડ્રગ્સ’ના વેપારને ખુલ્લેઆમ પ્રોત્સાહન આપે છે!ઈમાનદાર પોલીસ અધિકારીઓને સાઈડ લાઈન કરાય છે!

Police action against farmers: કચ્છમાં અદાણીનો પાવર ચાલ્યો!હક્ક માંગી રહેલા 604 ખેડૂતો સામે પોલીસ કાર્યવાહી થતાં દેકારો!

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર
  • March 23, 2026

 Narendra Modi: ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસેના સાંસદ સંજય રાઉતે સતત તળિયે જઈ રહેલો રૂપિયો અને ગેસના વધતા ભાવ અંગે કેન્દ્ર સરકારની ટીકા કરી છે. તેમણે આ અંગે ચિંતા વ્યક્ત કરી…

Continue reading
Fake Milk: નકલી દૂધ પીવાથી 16 લોકોના ના મોત, 3 લોકો ગંભીર; દૂધ માફિયાઓ બેફામ! સરકારનું કોઈ નિયંત્રણ નહિ!
  • March 22, 2026

Fake Milk: ગુજરાત સહિત સમગ્ર દેશમાં બેફામ નકલી દૂધ વેચાઈ રહ્યું છે અને દૂધ ડેરીમાં પણ નકલી દૂધ આવી રહ્યું છે પરિણામે દૂધ અને દૂધની બનાવટો નકલી હોય છે તે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

  • March 23, 2026
  • 3 views
Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ

  • March 23, 2026
  • 10 views
Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ

War Update: ઈરાને ઈઝરાયેલ ઉપર કરેલા શક્તિશાળી હુમલામાં 100ના મોત? નેતન્યાહૂ ઈરાન ઉપર પરમાણુ એટેક કરી શકે!! વિશ્વભરમાં ચિંતા

  • March 22, 2026
  • 6 views
War Update: ઈરાને ઈઝરાયેલ ઉપર કરેલા શક્તિશાળી હુમલામાં 100ના મોત? નેતન્યાહૂ ઈરાન ઉપર પરમાણુ એટેક કરી શકે!! વિશ્વભરમાં ચિંતા

Pakistan News: પાકિસ્તાનમાં લશ્કર કમાન્ડરની હત્યા, ભારતે જ્યાં હુમલો કર્યો હતો તે જ સ્થળે મૃત હાલતમાં મળ્યો!

  • March 22, 2026
  • 4 views
Pakistan News: પાકિસ્તાનમાં લશ્કર કમાન્ડરની હત્યા, ભારતે જ્યાં હુમલો કર્યો હતો તે જ સ્થળે મૃત હાલતમાં મળ્યો!

PM Modi: દેશમાં PM મોદીને પસંદ ‘રીલ કલ્ચર’ અને ‘આફતમાં અવસર’શોધવાનું જાણે ભારતીયોને ફાવી ગયું છે! જુઓ ખાસ વિશ્લેષણ

  • March 22, 2026
  • 11 views
PM Modi: દેશમાં PM મોદીને પસંદ ‘રીલ કલ્ચર’ અને ‘આફતમાં અવસર’શોધવાનું જાણે ભારતીયોને ફાવી ગયું છે! જુઓ ખાસ વિશ્લેષણ

Fake Milk: નકલી દૂધ પીવાથી 16 લોકોના ના મોત, 3 લોકો ગંભીર; દૂધ માફિયાઓ બેફામ! સરકારનું કોઈ નિયંત્રણ નહિ!

  • March 22, 2026
  • 12 views
Fake Milk: નકલી દૂધ પીવાથી 16 લોકોના ના મોત, 3 લોકો ગંભીર; દૂધ માફિયાઓ બેફામ! સરકારનું કોઈ નિયંત્રણ નહિ!