ભારતમાં આત્મહત્યાનો સિલસિલો પહોંચ્યો ડરામણા સ્તરે; NCRBએ જાહેર કર્યો ચોંકાવનારો ડેટા

  • India
  • December 11, 2024
  • 0 Comments

ભારતમાં આત્મહત્યાઓની ઘટનાઓનો સિલસિલો ખુબ જ ખતરનાક રીતે આગળ વધી રહ્યો છે. સુસાઇડને લઈને આવેલા એક ડેટાએ ચિંતામાં વધારો કર્યો છે. જણાવી દઇએ કે, હાલમાં જ બેંગલુરની એક કંપનીના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) એન્જિનિયર અતુલ સુભાષ મોદીએ આત્મહત્યા કરવાની ઘટનાએ દેશભરમાં ચર્ચા જગાવી છે. તેમણે આત્મહત્યા કરતા પહેલા લગભગ 1.20 કલાકનો વીડિયો પણ પોષ્ટ કર્યો છે. આ ઉપરાંત 23 પેજની સુસાઈડ નોટ પણ લખી છે, જેમાં તેમણે મોત પાછળ પત્ની નિકિતા સિંઘાનિયા અને તેના પરિવારને જવાબદાર ઠેરવ્યો છે.

જોકે આત્મહત્યા જેવું પગલું ભરવા સુભાષ એકલા નથી. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) અને નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના ડેટા મુજબ મહિલાઓ કરતા પુરુષો સૌથી વધુ આત્મહત્યા કરે છે. ડબલ્યુએચઓના રિપોર્ટ મુજબ વિશ્વભરમાં દર વર્ષે સાત લાખથી વધુ લોકો આત્મહત્યા કરે છે, જ્યારે ભારતમાં આ આંકડો દર વર્ષે વધી રહ્યો છે.

એનસીઆરબીના ડેટા મુજબ આત્મહત્યા કરનાર મહિલાઓ કરતા પુરુષોની સંખ્યા વધુ છે. બે દાયકાના આંકડા દર્શાવી રહ્યા છે કે, ભારતમાં આત્મહત્યા કરનાર 10માંથી 6 અથવા 7 પુરુષો હોય છે. વર્ષ 2001 અને 2022 દરમિયાન આત્મહત્યા કરનાર મહિલાઓની સંખ્યા 40થી 48 હજાર નોંધાઈ છે, જ્યારે આ દરમિયાન જીવન ટુંકાવનારા પુરુષોની સંખ્યા 66 હજારથી વધીને એક લાખને પાર પહોંચી ગઈ છે.

2022માં 1.70 લાખથી વધુ લોકોએ આત્મહત્યા કરી હતી, જેમાં 1.22 લાખથી વધુ પુરુષો હતા. એટલે કે દૈનિક સરેરાશ 336 પુરુષ જીવન ટુંકાવી રહ્યા છે. માત્ર ભારતમાં જ નહીં વિશ્વભરમાં પણ આવી જ સ્થિતિ છે. ડબલ્યુએચઓના ડેટા મુજબ વિશ્વભરમાં એક લાખ આત્મહત્યામાંથી પુરુષોનો દર 12.6 અને મહિલાઓનો દર 5.3 છે. આ જોતા એવું કહી શકાય કે, વિશ્વભરમાં મહિલાઓ કરતા સૌથી વધુ પુરુષ પીડાઈ રહ્યો છે.

એનસીઆરબીના 2022ના રિપોર્ટ મુજબ, સૌથી વધુ 30થી 45ની ઉંમરના, ત્યારબાદ 18થી 30 અને પછી 45થી 60ની ઉંમરનાઓ આત્મહત્યા કરે છે. ગત વર્ષે 30થી 45ની ઉંમરના 54351 લોકોએ આત્મહત્યા કરી હતી, જેમાં 77 ટકા પુરુષો હતા. આવી જ રીતે આત્મહત્યા કરનારા 18થી 30 વર્ષના 59108 લોકોમાંથી 65 ટકા પુરુષો હતા. તેમજ 45થી 60 વર્ષના આત્મહત્યા કરનારાઓમાં 31921 લોકોમાંથી 82 ટકા પુરુષો હતા.

રિપોર્ટ મુજબ આત્મહત્યા કરનારા મોટાભાગના લોકો પરિણીત છે. 2022માં 1,14,485 પરિણીત લોકોએ આત્મહત્યા કરી હતી, આમાંથી લગભગ 74 ટકા પુરુષો હતા. 2022માં 8164 પરિણીત લોકોએ લગ્ન સંબંધી સમસ્યાના કારણે આત્મહત્યા કરી હતી. આમાંથી 52 ટકા પુરુષો હતા.

Related Posts

Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા
  • February 1, 2026

Union Budget 2026: નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે પહેલી ફેબ્રુઆરી 2026ને રવિવારે પોતાનું સળંગ નવમું બજેટ રજૂ કર્યું હતું.ગયા વર્ષની સરખામણીમાં જોઈએ તો વર્ષ 2025ના બજેટમાં 12 લાખ રૂપિયા સુધીની આવકને…

Continue reading
The Epstein File: “જેક્રી એપસ્ટેઇન ફાઇલ્સ”માં નરેન્દ્ર મોદીનું નામ ઉછળતા ખળભળાટ! એપસ્ટેઇનના ઇમેઇલમાં મોદીનો ઉલ્લેખ શુ સૂચવે છે?કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
  • February 1, 2026

●અમેરિકામાં સગીરાઓનું શારીરિક શોષણ કરવું અને કરાવવાના પ્રકરણમાં દોષિત રેપીસ્ટ જેક્રી એપસ્ટેઇનની ફાઇલ્સમાં નરેન્દ્ર મોદીના નામનો ઉલ્લેખ હોવાનો કોંગ્રેસે આરોપ મૂકી તેનો જવાબ આપવા જણાવ્યું છે. કોંગ્રેસ નેતા પવન ખેડાએ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

  • February 1, 2026
  • 3 views
World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

  • February 1, 2026
  • 10 views
Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

  • February 1, 2026
  • 9 views
Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી   એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

  • February 1, 2026
  • 8 views
Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’

  • February 1, 2026
  • 7 views
Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’

BJP: નરેન્દ્ર મોદીએ પોતાના ‘ગુરુ’ને PM બનાવવાના સપના બતાવ્યા પણ આખરે શિષ્યજ PM બની ગયા! જાણો, આવું કેમ થયું?

  • February 1, 2026
  • 13 views
BJP: નરેન્દ્ર મોદીએ પોતાના ‘ગુરુ’ને PM બનાવવાના સપના બતાવ્યા પણ આખરે શિષ્યજ PM બની ગયા! જાણો, આવું કેમ થયું?