
Surat Accident News: સુરતમાં ગત સાંજે(23 ફેબ્રુઆરી) એક ભયંકર અકસ્માત સર્જાયો હતો. કારચાલકે બે બાઈકને ટક્કર મારતાં 3 લોકોના કરુણ મોત થયા છે. કારે ટક્કર માર્યા બાદ સીધી BRTS રુટમાં ઘૂસી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ લકસાણા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.
મહિલા સહિત ત્રણ લોકોના મોત
મળતી માહિતી અનુસાર સુરતના લસકાણામાં કારચાલકે બે બાઈક ચાલકોને અડફેટે લીધા હતા. અકસ્માત બાદ કાર રોડ પરથી BRTSના રુટમાં ઘૂસી પલટી મારી ગઈ હતી. આ ભયંકર અકસ્માતમાં મહિલા સહિત ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર દરમિયાન મોત થયા છે. જેમાં શોભના ગજેરા, રાજેશ ગજેરા(ઉ.વ.32) અને મહેશ લાઠીયા(ઉ.વ.48 રહે. માતૃ શક્તિ સોસાયટી, પુણાગામ))નો સમાવેશ થાય છે. મૃતકોમાં શોભના અને રાજેશ બંને સગાભાઈ બહેન હોવાનું સામે આવ્યું છે. તેઓ મૂળ અમરેલી જીલ્લાના હતા. આ અકસ્માતથી પરિવારોમાં ભારે દુઃખ છવાયું છે.
અકસ્માત સર્જનાર કારચાલક અર્જુન વિરાણી (ઉ.વ.34, રહે. મમતા પાર્ક સોસાયટી, કાપોદ્રા)ને લોકોએ પકડીને પોલીસ હવાલે કર્યો છે. લસકાણા પોલીસે કારચાલક વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધની કલમ હેઠળ ગુનો નોંધી ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ IND vs PAK: ‘મેં ક્યારેય વિચાર્યું ન હતું પાકિસ્તાન હારશે’, હાર બાદ પૂર્વ કેપ્ટન વસીમ અકરમનો ગુસ્સે,
આ પણ વાંચોઃ Gujarat: સ્વામિનારાયણ સંપ્રદાયના 14 ફિરકાઓને નોટિસ મોકલાશે, હવે ફરી શું વિવાદ થયો?