
સુરતના હજીરામાં આવેલી આર્સેલર મિતલના સ્ટીલ પ્લાન્ટ( AMNS)માં ગઈકાલે સાંજે આગ ભભૂકી ઉઠી હતી. આ દુર્ઘટનામાં 4 શ્રમિકોના મોત થયા છે. જ્યારે 10 લોકો દાઝી ગયા હોવાથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. તમામ ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. મૃતક શ્રમિકોના મોતની પરિવારની માડી રાત્રે જાણ કરાઈ હતી. પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યા છે. પરિવારમાં આક્રંદ સાથે રોષ છે. ઘટના સ્થળે પોલીસ પણ દોડી આવી હતી.
સુરતના હજીરામાં આવેલી AMNS કંપનીના કોરેક્સ-2 પ્લાન્ટમાં ભયાનક આગની ઘટના બની હતી. આ સમયે નજીકમાં કામ કરી રહેલા શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા હતા. જેમાં ધવલ પટેલ, ગણેશ પટેલ, જીજ્ઞેસ પારેખ અને સંદિપ પટેલ નામના 4 શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે 10 લોકોને સારવાર અર્થે ખેસાડયા છે.
ઘટના બાદ પરિવારમાં ભારે આક્રંદ સાથે રોષ છે. ઘટનના બન્યાને 4 કલાક વિતવા છતાં પરિવારોને જાણ કરાઈ ન હતી.
પરિવારે ઉહાપોહ મચાવતાં પોલીસે ઘટનાસ્થળે દોડી આવી મામલો થાળે પાડ્યો હતો. જો કે મૃતદેહો એટલી હદે બળી ગયા હતા કે ઓળખવા પણ મુશ્કેલ હતા. હાલ આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.