
Surat Fire 2025: સુરતના શિવ શક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં બે દિવસથી લાગેલી આગ આજે સવાર સુધી કાબૂમાં આવી ન હતી. જો કે હવે બપોર પછી કાબૂમાં આગ આવી હોવાની માહિતી મળી રહી છે. આ વિકરાળ આગે કોરોડનું નુકસાન પહોંચાડ્યું છે. 500થી વધુ દુકાનો બળીને રાખ થઈ ગઈ છે. ફાયરની 40 જેટલી ગાડીઓ આગ ઉપર કાબુ મેળવવા કામે લાગી હતી.
સુરત શહેરના રિંગ રોડ વિસ્તારમાં આવેલા શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં 25 ફેબ્રુઆરીએ આગ લાગી હતી. જેમાં બેઝમેન્ટમાં લાગેલી આગમાં એક વ્યક્તિનું મોત થઈ ગયું હતુ. જો કે આ આગ કાબૂમાં લેવામાં આવી હતી. ત્યારે ગઈકાલે 26 ફેબ્રાઆરીએ સવારે ફરી અહીં જ શોર્ટ શર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી. જે આજ સવાર સુધી કાબૂમાં આવી ન હતી.
રાતભર લાગી આગ
અહીં રાતભર આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધરાયા હતા. ત્યારે હવે માહિતી મળી રહી છે. વિવિધ ફાયર વિભાગની ટીમો દ્વારા પાણીનો મારો ચવાલી આગ પર કાબૂ મેળવાયો છે. જેથી સુરતના તંત્રએ હાશકારો અનુભવ્યો છે.
મેયરે શું કહ્યું?
આ ઘટના અંગે મેયર દક્ષેશ માવાણીએ કહ્યું કે આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી ગઈ છે. હાલ કુલિંગની કામગીરી ચાલી રહી છે. ત્યારે 24 કલાકથી વધુ સમય સુધી આગ લાગતી રહી. કેમ વહેલા આગ બૂઝાવી ન શક્યા તેવા સવાલો થઈ રહ્યા છે. કારણ કે ફાયર સેફ્ટી માટે બજેટમાં અનેક રુપિયા ફળવાઈ છે. તે ક્યા ગયા. સેફ્ટીના સાધનો ઓછા પડતાં આ આગ વિકરાળ બની હોવાનું લોકો જણાવી રહ્યા છે.
વેપારીઓને ભારે નુકસાન
અહીં માર્કેટમાં આવેલી વિવિધ સમાગ્રી, કપડાં સહિત અનેક ચીજવસ્તુઓની દુકાનો બળીને રાખ થઈ ગઈ છે. જેથી વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચોઃ જામગનર ACBની ટ્રેપમાં ગાંધીનગરમાંથી ASI 2 લાખની લાંચ લેતાં રંગે હાથ ઝડપાયો
આ પણ વાચોઃ UN: ભારતનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ: કહ્યું કે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય આધાર પર જીવે છે