
jewelers Suicide: સુરતમાં ઘણા સમયથી રત્નકલાકારો આપઘાત કરી રહ્યા છે. જેનો સીલસીલો સતત વધી રહ્યો છે. ત્યારે વધુ એક રત્નકલાકારે આર્થિક સંકડામણમાં આવી આપઘાત કરી લેતાં ખળભળાટ મચી ગયો છે. રત્નકલાકરે હીરા વ્યાપારમાં મંદીને કારણે આપઘાત કર્યો છે.
કામરેજના શેખપુર ગામના યુવકે હીરામાં આવેલ મંદીથી આર્થિક સંકડામણમાં આવી ગયો હતો. પરિવારનું ગુજરાન ચલાવવામાં ભારે હાલાકીનો સામનો કરી રહ્યો હતો. આર્થિક સંડકામણ સામે ઝઝૂમી રહેલા રત્નકલાકારે પંખા સાથે હુંક બાંધી ગળેફાંસો ખાઇ જીવન અંત લાવી દીધી હતો. આપઘાત કરનાર રત્ન કલાકારનું નામ 40 વર્ષીય મનસુખ સૌદરવા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ કામરેજ પોલીસને કરવામાં આવી હતી જેને પગલે પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે સુરતના રત્નકલાકારોને સરકાર મદદ કેમ કરી રહી નથી. નવસારી 300 વધુ રત્નકલાકારો આંદોલન કરી રહ્યા છે. ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ કહ્યુ કે છેલ્લા દોઢ વર્ષમાં 65 જેટલા રત્ન કલાકારોએ આપઘાત કર્યા છે. તેમ છતાં સરકાર રત્નકલાકરો વેદના સાંભળતી નથી. આજ મદ્દે જુઓ આ વીડિયો.
આ પણ વાંચોઃ ડીસામાં PM મોદીના નામે ફટાકડાનું વેચાણ!, શું ફટાકડા મોદી ફોટાના ઓથા હેઠળ બનતા? | Modi’s Marvel |VIDEO|
આ પણ વાંચોઃ જજ બાદ એન્જિનિયરના ઘરેથી કરોડો રુપિયા ઝડપાયા, નોટો ગણવા મશીનો લાવવા પડ્યા | Engineer Tarini Das
આ પણ વાંચોઃ યશવંત વર્મા પકડાયા બાદ સુપ્રિમના જજોને સંપતિ જાહેર કરવાનો વારો આવ્યો! | Supreme Court Property