
Surat reconstruction News: સુરતના કાપોદ્રા વિસ્તારમાં 14 એપ્રિલની રાત્રે હીરાના કારખાનામાંથી છૂટીને ઘરે જતા 17 વર્ષીય રત્નકલાકાર પરેશ વાઘેલા પાસે નશાની હાલતમાં ફરતાં એક શખ્સે દારુ પીવા પૈસાની માગણી કરી હતી. પરંતુ સગીર રત્નકલાકાર પાસે ભાડાના 10 રૂપિયા હોવાથી નશા માટે પૈસા આપવાનો ઈનકાર કરતા આરોપીએ ચપ્પુના ઘા મારી બાળ રત્નકલાકરાની હત્યા કરી નાખી હતી.
મૂળ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના માલસીકા ગામનો વતની અને હાલ કાપોદ્રા વિસ્તારમાં આવેલા ક્રિષ્નાનગરમાં પરેશ વાઘેલા રહેતો હતો. 17 વર્ષિય પુત્રની હત્યા થતાં પરિવાર આઘાતમાં છે. આ ઘટનામાં આરોપી નશાખોરની ધરપકડ કરી લીધી છે.
નશાખોર પ્રભુ રવિરામ શેટ્ટીની આજે જે સ્થળ પર બાળકની હત્યા થઈ ત્યા પ્રભુને લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું તેમજ જાહેરમાં લોકોની વચ્ચે લઈ જઈને તેને માફી મગાવી હતી. લોકો સમક્ષ હાથ જોડીને આરોપીને ઊભો રાખવામાં આવ્યો હતો. જો કે પોલીસ દર વખતે આવા જ નાટક કરે છે. પોલીસે પહેલથી જો આવા તત્વો સામે કાર્યવાહી કરી હોત તો આજે તે બાળક જીવિત હોત.
બાળક કારખાનામાંથી છૂટી ઘરે આવી રહ્યો હતો
આ ઘટના ત્યારે બની હતી જ્યારે પરેશ કારખાનામાંથી છૂટી ઘરે જઈ રહ્યો હતો. જાણવા મળી રહ્યું છે આરોપીએ સગીરની હત્યા કર્યા બાદ તેણે એક રિક્ષાચાલક પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. જેથી રિક્ષાચાલકને હોસ્પિટલમાં ખસેડવો પડ્યો હતો. જે બાદ કાપોદ્રા પોલીસે હત્યારા પ્રભુ રવિરામ શેટ્ટી (ઉં.વ.25 રહે. લક્ષ્મણ નગર સોસાયટી કાપોદ્રા)ની ધરપકડ કરી કરી હતી.
પરિવારે શું કહ્યું હતુ?
પરિવારે કહ્યું કે આરોપી 24 કલાક ત્યા બેસી રહેતો હતો. મૃતકના મોટા મમ્મીએ કહ્યું હતુ કે આરોપી કોઈ સાથે ઝઘડો કરીને આવ્યો હતો. ત્યાર બાદ અમારા છોકરા સાથે ઝઘડો કર્યો હતો. બહેન દિકરીઓને પણ ત્યાથી નીકળી શકાતું ન હતુ. અમારી માગ છે કે અમારા છોકરા પાસે થયું તે આરોપી પાસે પણ થવું જોઈએ.
AAP એ હત્યારેને ફાંસી આપવા માગ કરી
આ હત્યા બાદ AAP પાર્ટીએ કોપોદ્રાના પરિવારને ન્યાય આપવા માગ કરી છે. હત્યારાને ફાંસી થાય તેવી માંગ કમિશનરને આવેદપત્ર આપી માગ કરી છે.
મને ગૃહમંત્રી બનાવો, જુઓ કેવી રીતે દારુ-ડ્રગ્સ બંધ થાય: ઈટાલિયા
AAPના નેતા ગોપાલ ઇટાલિયા જણાવ્યું કે 8 પાસ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને ધક્કો મારીને મને ગ્રેજ્યુએટને બે દિવસ માટે રાજ્યનો ગૃહમંત્રી બનાવી દો. હું શીખવીશ કે કેવી રીતે ગુજરાતમાં દારૂબંધી થાય અને ડ્રગ્સનું વેચાણ બંધ થાય.
આ પણ વાંચો:
Junagadh: અકસ્માતમાં ત્રણ યુવકના મોત, એક સાથે 3 જનાજા નીકળ્યા
Rajkot: દશા માતાના નામે ધતિંગ કરતી વધુ એક ભૂવી ઝડપાઈ, વિજ્ઞાન જાથા દ્વારા પર્દાફાશ, ભક્તોમાં રોષ
Surat AAP protest: સુરતને અસામાજિક તત્વોનો અડ્ડો બનતાં રોકવા AAPની માંગ, કમિશ્નરને આવેદન
Bihar: 4 બાળકો સહિત 5 જીવતાં સળગ્યા, 15 ગુમ, મુઝફ્ફરપુરની ઝૂંપડપટ્ટીમાંઆગ