
રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પોતાના મજૂરા વિધાનસભા વિસ્તારમાં ગઈકાલે દક્ષિણ ગુજરાત ઉમિયા મહિલા મંડળના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. અહીં તેમણે મહિલાઓ સાથે વાત કરતા તેઓને સ્વચ્છતામાં કેવી રીતે રાખી શકાય તે અંગે વાત કરી હતી. તેઓએ કહ્યું કે, હાથમાં ધોકા લઈ લો, પુરુષોની માવો ખાઈને પિચકારી મારવાની આદત છૂટી જશે ને ઘરે પણ વહેલા આવતા થઈ જશે.
રાજ્યમંત્રીએ કહ્યું કે, સોસાયટીની નીચે બેઠાં-બેઠાં ભાઈઓ મોડી રાત સુધી પિચકારીઓ મારે છે ને ગપાટા મારે છે. જો તેને અટકાવવા હોય ને સોસાયટી ને ઘરમાં સ્વચ્છતા જાળવવી હોય તો તેના માટે ફક્ત એક જ કામ કરવાનું છે. મારી બહેનોએ હાથમાં ધોકા લઈને નીચે જવાનું છે. જો તમે હાથમાં ધોકા લઈ લેશો તો ભલભલાની માવા ખાઈને પિચકારી મારવાની આદત છૂટી જશે. આનાથી સોસાયટીમાં માવા થૂંકવાથી થતી ગંદકી અટકશે, બીમારીઓ ફેલાતી ઘટશે ને સાથોસાથ પુરુષોની મોડા સુધી બેસવાની આદત છૂટતા ઘરે પણ વહેલા આવતા થઈ જશે.
જો કે ગૃહમંત્રી લોકોના ઘરની અને સોસાયટીની સ્વચ્છ કેવી રીતે રાખવી તેની સલાહ તો આપે છે. પરંતુ પોતાના ઘરમાં જ સ્વચ્છતા ન હોય તેવું દેખાઈ રહ્યું છે. પોલીસ વિભાગમાં છડેઆમ કાયદાઓનું ઉલ્લઘન થઈ રહ્યું છે. અમરેલીમાં રાત્રે આવીને પાટીદાર યુવતીને પોલીસ ઉઠાવી ગઈ હતી. કાયદો એવો છે કે સાંજ કે રાત્રે મહિલાની ધરપકડ થઈ શકે નહીં. સાથે જ યુવતીને માર મારવાનો પણ આક્ષેપ થયો છે. ત્યારે રાજ્યમંત્રી હર્ષ સંઘવી પોતાના જ ગૃહની સફાઈ ક્યારે કરશે તેવા સવલો પેદા થાય છે.
આ પણ વાંચોઃ શું દિલ્હીની જનતા આ વખતે ભાજપને મોકો આપશે?, સર્વેમાં ચોકાવનારા ખુલાસા?