આદિવાસીઓની જમીન હડપવા મદ્દે નેતાઓ કેમ બોલવા તૈયાર નથીઃ ચૈતર વસાવા

  • Gujarat
  • January 11, 2025
  • 1 Comments

તાજેતરમાં દેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા ગાડીત ગામે એક સંમેલનમાં ગયા હતા. અહીં સભા સંબોધતી વખતે તેમણે અલગ ભીલ પ્રદેશની માંગણી કરી હતી. આ ઉપરાંત મળતી માહિતી અનુસાર જાણવા મળે છે કે, તેઓ એવી રીતે જ્યાં જાય છે ત્યાં આદિવાસીઓના વિકાસ માટે ભીલ પ્રદેશ અલગ હશે તો સારો વિકાસ થશેની વાત કરી રહ્યા છે. જો કે રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ચૈતર વસાવાની આ માગણીને લોકોને ભ્રમિત કરાવાની ગણાવી હતી. સાથે જ માગણીને ખોટી ગણાવી હતી. જેથી ચૈતર વસાવાએ ડિડોરને સણસણતો જવાબ આપ્યો છે.

આજે છોટાઉદેપુર જીલ્લાના ટૂંડવા ગામે રાઠ વિસ્તાર યુવાનો દ્વારા આયોજિત આદિવાસી જનજાગૃતિ કાર્યક્રમમાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપસ્થિત રહ્યા હતા. જ્યા તેમણે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. અને આદિવાસી સમાજને પડતી મુશ્કેલીઓને ઉજાગર કરી હતી. સાથે જ તેમણે સમાજના આશ્વાસ ન આપતાં કહ્યું હતુ કે હું કોઈ પાર્ટીના નહીં પણ સમાજના ધારાસભ્યો તરીકે તમારી વચ્ચે ઉપસ્થિત છું.

 

શૈક્ષણિક કાર્યક્રમમાં મારી ટીપ્પણી કરીઃ ચૈતર

ચૈતર વસાવાએ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને પણ આડે હાથ લીધા હતા. તેઓ જ્યારે નર્મદા જીલ્લાની એક શાળાના કાર્યક્રમમાં આવ્યા ત્યારે મારા પર ટીપ્પણી કરી હતી. તેમણે કાર્યક્રમમાં શિક્ષણને લગતી વાત કરવી જોઈતી હતી. આજે આદિવાસી વિસ્તારોમાં નકલી નર્સિંગ કોલેજો ચાલે છે. તેના પર તેમને વાત કરવી જોઈતી હતી. તેમણે વધુમાં આકરા પ્રહાર કરતાં કહ્યું કે હજારો શાળાઓ એક શિક્ષકથી ચાલે છે. બાળકોને મળતી શિષ્યવૃતિ બંધ કરી છે. તેના ખુલાસા માગ્યા હતા. આદિવાસીઓની જમીન હડપવા અંગે કોઈ નેતા બોલવા તૈયાર નથી તેવું કહી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.

 

આ પણ વાંચોઃ ખ્યાતિકાંડ મામલે તપાસ તેજઃ ચિરાગ રાજપૂતના ફરી 5 દિવસના રિમાન્ડ મંજૂર

Related Posts

Gujarat Cotton Kranti Yojana: કપાસ ક્રાંતિ યોજના, ખેડૂતોને આર્થિક સહાય કે માત્ર એક નવો સરકારી ‘જુમલો’?
  • July 12, 2026

Gujarat Cotton Kranti Yojana: ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં ‘કપાસ ક્રાંતિ યોજના’ના અમલીકરણ માટે એક મહત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં કપાસની આયાત ઘટાડવાનો અને ખેડૂતોની આવકમાં…

Continue reading
Gujarat School Dropout Crisis: ગુજરાતમાં ધોરણ 12 પહેલાં 45.5% વિદ્યાર્થીઓ અભ્યાસ છોડી દે છે, UDISE+ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
  • July 12, 2026

Gujarat School Dropout Crisis: ગુજરાતના શિક્ષણ જગત માટે તાજેતરમાં જાહેર થયેલો UDISE+ ૨૦૨૫-૨૬ રિપોર્ટ એક લાલબત્તી સમાન છે. આ રિપોર્ટ મુજબ, રાજ્યમાં શાળામાં પ્રવેશ લેનારા લગભગ ૪૫.૫ ટકા વિદ્યાર્થીઓ ધોરણ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Northeast India Updates: અસમમાં બહુવિવાહ પર પ્રતિબંધ અને પૂર્વોત્તરમાં સુરક્ષાના પડકારો

  • July 12, 2026
  • 2 views
Northeast India Updates: અસમમાં બહુવિવાહ પર પ્રતિબંધ અને પૂર્વોત્તરમાં સુરક્ષાના પડકારો

Gujarat Cotton Kranti Yojana: કપાસ ક્રાંતિ યોજના, ખેડૂતોને આર્થિક સહાય કે માત્ર એક નવો સરકારી ‘જુમલો’?

  • July 12, 2026
  • 10 views
Gujarat Cotton Kranti Yojana: કપાસ ક્રાંતિ યોજના, ખેડૂતોને આર્થિક સહાય કે માત્ર એક નવો સરકારી ‘જુમલો’?

India Global Standing: મોદી સરકારના ‘વિશ્વગુરુ’ના દાવાઓનું સત્ય, પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારતનું કથળતું સ્થાન

  • July 12, 2026
  • 10 views
India Global Standing: મોદી સરકારના ‘વિશ્વગુરુ’ના દાવાઓનું સત્ય, પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારતનું કથળતું સ્થાન

Arunachal China Incursion: અરુણાચલમાં ચીની ઘૂસણખોરી, રાષ્ટ્રીય સુરક્ષા અને સરકારની મૌન નીતિ પર ગંભીર સવાલો

  • July 12, 2026
  • 16 views
Arunachal China Incursion: અરુણાચલમાં ચીની ઘૂસણખોરી, રાષ્ટ્રીય સુરક્ષા અને સરકારની મૌન નીતિ પર ગંભીર સવાલો

BJP Religious Opposition: શું ભાજપના પાયાના પથ્થર ગણાતા ધાર્મિક સમર્થકો હવે સરકારની સામે પડ્યા છે?

  • July 12, 2026
  • 10 views
BJP Religious Opposition: શું ભાજપના પાયાના પથ્થર ગણાતા ધાર્મિક સમર્થકો હવે સરકારની સામે પડ્યા છે?

Gujarat School Dropout Crisis: ગુજરાતમાં ધોરણ 12 પહેલાં 45.5% વિદ્યાર્થીઓ અભ્યાસ છોડી દે છે, UDISE+ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

  • July 12, 2026
  • 21 views
Gujarat School Dropout Crisis: ગુજરાતમાં ધોરણ 12 પહેલાં 45.5% વિદ્યાર્થીઓ અભ્યાસ છોડી દે છે, UDISE+ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો