
Surat Crime News :સુરતમાં મહિલા પોલીસે આપઘાત કરી લેતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. સુરત એરપોર્ટમાં મહિલા પોલીસકર્મીએ સ્યૂસાઈડ નોટમાં લખ્યું છે કે હવે જીવવું ગમતું નથી. મહિલા પોલીસકર્મીના આપઘાત બાદ પરિવારમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે. હાલ પોલીસે આપઘાત મામલે વધુ તપાસ હાથ ધરી છે.
હવે જીવવું ગમતું નથી….
આપઘાત કરનાર મહિલા પોલીસકર્મી શૈતલ ચૌધરી સુરતના આઠવા લાઈન્સ સ્થિત બસેરા હાઉસ પાસે રહેતી હતી. સુરત એરપોર્ટ પર છેલ્લા 8 વર્ષથી ફરજ બજાવતી શેતલ ચૌધરીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે. મહિલા પોલીસે સુસાઈડ નોટ લખ્યું છે કે, ‘જીવન જીવવાનો ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ હવે જીવવું ગમતું નથી. મારા મોત માટે કોઈ જવાબદાર નથી.’ સુરત પોલીસે મહિલા પોલીસકર્મીને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. આપઘાત પાછળનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.
મહિલા પોલીસનો મૃતદેહ પોતાના વતન બનાસકાંઠામાં લઈ જવાયો છે. જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. મહિલા પોલીસના આપઘાત મામલે ઉમરા પોલીસે સુસાઈડ નોટ અને ફોન મેળવીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ TELANGANA: રેસ્ક્યૂને થયા 10 દિવસ, ટનલમાંથી 4 મૃતદેહ મળ્યા, અન્ય 4ને બહાર કાઢવાનું ચાલુ, શું થઈ હશે સ્થિતિ?
આ પણ વાંચોઃ Nadiad: નડિયાદમાં એરગનથી હવામાં ફાયરિંગ કરી રોકડ ભરેલી બેગ માગી, પછી શું થયું?
આ પણ વાંચોઃ Dahod: દાહોદમાં નાસતાં ફરતાં આરોપી ડ્રોનની મદદથી ઝડપાયા, જુઓ વિડિયો આરોપીઓ કેવી રીતે ઝડપાયા?