
Telangana: તેલંગાણાના હૈદરાબાદમાં એક કાર્યક્રમ દરમિયાન વીજ કરંટ લાગવાથી કુલ 5 લોકોના મોત થયા છે, જ્યારે 4 લોકોની હાલત ગંભીર છે. રામનથપુરમાં જન્માષ્ટમી નિમિત્તે ભગવાન કૃષ્ણની શોભાયાત્રા દરમિયાન આ દુર્ઘટના બની છે. જ્યારે રથ ઉપરથી પસાર થતા વીજ વાયર અડી ગયો હતો.
મૃતકોની ઓળખ 21 વર્ષીય શ્રીકૃષ્ણ, 35 વર્ષીય શ્રીકાંત રેડ્ડી, 34 વર્ષીય સુરેશ, 39 વર્ષીય રુદ્ર વિકાસ અને 45 વર્ષીય રાજેન્દ્ર રેડ્ડી તરીકે થઈ છે. અહેવાલો એ પણ સૂચવે છે કે આ ઘટનામાં કેન્દ્રીય મંત્રી કિશન રેડ્ડીનો ગનમેન પણ ઘાયલ થયો હતો.
યાદવ સંઘમના પ્રમુખ રઘુ યાદવે કહ્યું, “આ દુર્ઘટનામાં મેં મારો એકમાત્ર પુત્ર સાઈ કૃષ્ણ યાદવ ગુમાવ્યો છે. મેં GHMC ને ઘણી ફરિયાદો કરી છે, પરંતુ કોઈ જવાબ મળ્યો નથી અને હવે મેં મારો એકમાત્ર પુત્ર પણ ગુમાવ્યો છે.” તેમણે કહ્યું કે આટલુ થવા છતાં કોઈ અધિકારી કે સરકારી પ્રતિનિધિએ અમારો સંપર્ક કર્યો નથી. અમે આમ જ રહી ગયા છીએ. હું કાર્યવાહીની માંગ કરું છું.
ઘટના પછી જે વીડિયો સામે આવ્યો છે તે ખૂબ જ દુઃખદ છે, જેમાં કેટલાક લોકો પીડિતોને CPR આપીને જીવંત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને દરેક જગ્યાએ અરાજકતાનો માહોલ છે.
આ પણ વાંચો:
Ahmedabad: હોસ્પિટલમાં આસારામના સમર્થકોની મીડિયાકર્મીઓ સાથે મારામારી, દર્દીઓ ધક્કે ચઢ્યા
આસારામના આશ્રમને ખાલી કરાવતાં વળતર મળશે કે નહીં? | Olympics Planning
Gujarat: હાઇકોર્ટે સુરત દુષ્કર્મ કેસમાં ત્રીજીવાર આસારામના જામીન લંબાવ્યા
UP: સેનાના જવાનને ટોલ પ્લાઝા પર બેરહમીથી માર મરાયો, શું છે કારણ?
RSS માં શું મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે?, જુઓ વીડિયો
Delhi: દ્વારકા DPS સહિત 3 શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી, બાળકોને રજા આપી દેવાઈ









