યુક્રેન-અમેરિકા વચ્ચે સાઉદી અરેબિયામાં બેઠક!, શું રશિયા સાથે યુધ્ધ ખતમ કરશે? |  Saudi Arabia

  • World
  • March 11, 2025
  • 0 Comments

  Saudi Arabia Visit  Zelensky:  યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી પ્રતિનિધિઓને લઈ સાઉદી અરેબિયા પહોંચી ગયા છે. અહીં તેઓ ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને મળ્યા છે. વ્હાઇટ હાઉસમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે થયેલી ઉગ્ર ચર્ચા બાદ તેમની સાઉદી મુલાકાતને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ અંગે શાંતિ કરાર પર અહીં વાતચીત થશે.

ઝેલેન્સકી અને સાઉદી ક્રાઉન પ્રિન્સ વચ્ચેની આ મુલાકાત મંગળવારે યુક્રેનિયન અધિકારીઓ અને સાઉદી-અમેરિકાના પ્રતિનિધિઓ વચ્ચે શાંતિ કરાર માટે વાટાઘાટો પહેલા થઈ છે. ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને મળ્યા બાદ ઝેલેન્સકીએ કહ્યું કે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ સાથેની મુલાકાત સારી રહી છે. વૈશ્વિક મુદ્દાઓ પર તેમના ગંભીર અને સંયમિત વલણ અને યુક્રેનને તેમના સમર્થન બદલ અમે આભારી છીએ. અમે દ્વિપક્ષીય સંબંધોથી લઈને પરસ્પર સહયોગ વધારવા સુધીના ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી. મારું માનવું છે કે ક્રાઉન પ્રિન્સના પ્રયાસોને કારણે સાચી શાંતિ આવશે. સાઉદી અરેબિયા રાજદ્વારી માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે અને અમે તેની પ્રશંસા કરીએ છીએ.

યુક્રેનિયન પ્રતિનિધિમંડળ આજે 11 માર્ચે અમેરિકા સાથે બેઠક કરશે. આ બેઠક ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. ઝેલેન્સકીએ કહ્યું કે અમે આ યુદ્ધનો અંત લાવવા અને કાયમી શાંતિ લાવવા માટે ક્રાઉન પ્રિન્સ સાથે વિગતવાર ચર્ચા કરી છે.

ઉલ્લેખનીય છે કે જેદ્દાહમાં યોજાનારી બેઠક માટે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો પણ સાઉદી અરેબિયા પહોંચી ગયા છે. તેમણે ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને પણ મળ્યા અને કહ્યું કે યુક્રેનના ઇરાદા સ્પષ્ટ કરવા મહત્વપૂર્ણ છે જેથી રશિયા સાથે શાંતિ શક્ય બની શકે.

આ પણ વાંચોઃ અમદાવાદના જમાલપુરમાં દિવાલ ધારાશાઈ થતાં 6 લોકોના માંડ જીવ બચ્યા, પણ હાલત ગંભીર | Ahmedabad wall collapses

આ પણ વાંચોઃ Ahmedabad: આરોપીને પકડવા ગયેલી પોલીસકર્મીઓ પર માથાભારે શખ્સનો હુમલો

આ પણ વાંચોઃ અંબાણી સાહેબના વનતારામાં PM મોદીએ રમાડેલા વન્ય જીવોને લઈને સૌથી મોટો ખુલાસો

આ પણ વાંચોઃ UP Accident: હોળીની ઉજવણી કરે તે પહેલા જ 5 લોકોના મોત, વતને જતાં નડ્યો અકસ્માત

  • Related Posts

    War Update: ઈરાને ઈઝરાયેલ ઉપર કરેલા શક્તિશાળી હુમલામાં 100ના મોત? નેતન્યાહૂ ઈરાન ઉપર પરમાણુ એટેક કરી શકે!! વિશ્વભરમાં ચિંતા
    • March 22, 2026

    War Update: ઈરાન યુદ્ધના આટલા દિવસોમાં તા.22 માર્ચના રોજ ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પહેલીવાર કબુલ્યું છે કે ‘આજે અમારા માટે અત્યંત મુશ્કેલ સાંજ છે.’ 21 માર્ચની રાત્રે ઈરાને ઇઝરાયલ પર…

    Continue reading
    Pakistan News: પાકિસ્તાનમાં લશ્કર કમાન્ડરની હત્યા, ભારતે જ્યાં હુમલો કર્યો હતો તે જ સ્થળે મૃત હાલતમાં મળ્યો!
    • March 22, 2026

    Pakistan News: ભારતીય ધરતી પર હિંસા ફેલાવતા આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના કમાન્ડરને પાકિસ્તાનમાં ઠાર મારવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, શનિવારે ઈદની નમાજ પછી લશ્કર કમાન્ડર બિલાલ આરિફ સલાફીની ચાકુ માર્યા બાદ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”

    • March 23, 2026
    • 4 views
    Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”

    Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

    • March 23, 2026
    • 6 views
    Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

    UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

    • March 23, 2026
    • 18 views
    UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

    SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

    • March 23, 2026
    • 12 views
    SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

    Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

    • March 23, 2026
    • 12 views
    Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

    Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

    • March 23, 2026
    • 12 views
    Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર